ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા પ્રવકતા મંત્રીઓની જાહેરાત કરાઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક જવાબદારી આપવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક કરાઈ છે. તથા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂંક થઇ છે. અગાઉની સરકારમાં જીતુભાઇ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.

આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બંન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલા જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

xr:d:DAE-mUAkcno:3872,j:46985059225,t:23021415

રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હર્ષભાઇ સંઘવીને ગૃહ રાજ્ય મંત્રી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે તેમને રાજ્યના પ્રવક્તા મંત્રી તરીકેની પણ વધારાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ સિવાય જીતુ વાઘાણીને પણ ફરી એકવાર મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષભાઇ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.