રાજ્યમાં બનશે C-295 એરક્રાફ્ટઃ PM મોદીને હસ્તે શિલાન્યાસ

269

વડોદરાઃ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની દિશામાં દેશ વધુ એક મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યના વડોદરામાં ટાટા અને એરબસ મળીને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવશે. જેથી આ મહિનાના અંતે વડા પ્રધાન મોદી આ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ એરક્રાફ્ટ ઇન્ડિયન એરફોર્સનો હિસ્સો બનશે. આ વાતની માહિતી ડિફેન્સ સેક્રેટરી અજયકુમારે આપી હતી.

ખાસ વાત એ છે કે દેશમાં અત્યાર સુધી એરક્રાફ્ટ નથી બનાવવામાં આવતા. ટાટાએ યુરોપિયન કંપની એરબસની સાથે મળીને સોદો કર્યો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 21,935 કરોડ છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાની છે, એ પહેલાં સરકારે રાજ્યને વધુ એક ભેટસોગાદ આપી છે.

એવું પહેલી વાર છે, જ્યારે યુરોપની બહાર ટ્રાન્સોપોર્ટ એરક્રાફટ બનાવવામાં આવશે. સપ્ટેમ્બર, 2021માં જ ભારતે એરબસની સાથે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે એક સોદો પણ કર્યો હતો, જેમાં જૂના એવરો-748ને જગ્યાએ C-295 એરક્રાફ્ટ ખરીદવા માટે સોદો થયો હતો. આ સોદો રૂ. 21,000 કરોડથી વધુનો હતો. આ સમજૂતી હેઠળએરબસ પહેલાં 16 એરક્રાફ્ટને બનાવીને સ્પેનની એસેમ્બલી લાઇનથી ભારત મોકલશે. આ 16 એરક્રાફ્ટ આગામી ચાર વર્ષોમાં વિવિધ તબક્કે મળશે. બાકીના 40 એરક્રાફ્ટ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ એરબસના સહયોગથી બનશે. DGCAએ આ પ્રોજેક્ટને ગયા સપ્તાહે મંજૂરી આપી હતી. દેશમાં બનેલા એરક્રાફ્ટનો સપ્લાય 2026થી 2031 સુધી કરવામાં આવશે.

સરકરા નવા એકક્રાફ્ટને જૂના એવરો 748 વિમાનોને બદલવાની યોજના પર કામ કરી છે. આ પ્રોજેક્ટની સાથે સૌપ્રથમ વાર એવું થશે કે દેશમાં ખાનગી કંપનીઓ મળીને એરક્રાફ્ટ બનાવશે.

C-295 સેના અને રાહત કામો માટે વિશ્વાસપાત્ર એરક્રાફ્ટ માનવામાં આવે છે. કુદરતી આફતોમાં આ એરક્રાફ્ટ ઘણા ઉપયોગી થશે.