ગાંધીનગર- મુખ્યપ્રધાન સીએમ રુપાણી દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. સીએમ રુપાણીએ સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરી છે જે તેની રીતની દેશની સૌપ્રથમ યોજના ગણાવવામાં આવી છે.
ગાંધીનગરમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં યોજનાની જાહેરાત કરતી વેળાએ તેમની સાથે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ ઉપસ્થિત હતાં. રુપાણીએ જણાવ્યું કે સૂર્યશક્તિ કિસાન યોજનાનો હેતુ ખેડૂતોની આવક વધારવાનો છે.દે શમાં પહેલી વખત ખેડૂતો માટે આવી જાહેરાત થઈ રહી છે, જેનાથી પ્રથમ વખત ખેડૂકો ખેતીની સાથે વીજ ઉત્પાદન પણ કરશે. પોતાના જ ખેતરમાં સૌર ઊર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત વીજ ઉત્પાદન કરી શકશે. સીએમે તેને જ્યોતિગ્રામ યોજના પછીની બીજી સૌથી મોટી યોજના ગણાવી હતી.
યોજનાની કેટલીક મહત્વની વાત..
સોલાર પેનલો માટે ખેડૂતોએ સમિતિ બનાવવી પડશે
સરકાર સોલાર પેનલનો વિમો લેશે
ખેડૂત સોલાર પેનલની નીચે પાક વાવી શકશે,
137 ફીડરનો પાયલોટ પ્રોજેક્ટ
1,12,000 હોર્સ પાવર ઉત્પાદનનું લક્ષ્ય
ખેડૂતોએ 35 ટકા લોન કરાવવી પડશે
સ્કાય ફીડર લગાવનાર ખેડૂતોને 24 કલાક વીજળી મળશે
સ્કાય ફીડર પ્રોજેક્ટ 170 કરોડનો રહેશે
પાંચ ટકા રકમ ખેડૂતે ભરવાની થશે, કેન્દ્ર-રાજ્ય સરકારની ૬૦ ટકા સબસિડી, ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે
ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી સૌર ઊર્જા-વીજળી સરકારને સોલાર પેનલ માટેના કુલ ખર્ચની માત્રામાંવેચી આર્થિક સમૃદ્ધિ મેળવશે
રાજ્ય સરકાર ખેડૂત વતી ૩પ ટકા રકમની ૭ વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે
સ્કાય માટેનું ખેડૂતનું મૂડી રોકાણ વીજ વેચાણથી ૮ થી ૧૮ માસમાં જ તેને પરત મળી જશે