આજે એટલે બુધવારે સવારે સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ પર ભારે ગતિએ વાહન ચલાવવાથી ગોઝારો અકસ્માત થયો. દુ:ખદ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને ચાર ઘાયલ થયા. આ અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં હાઇવે પર થયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં કાળમુખી ઘટના ઘટી. હિંમતનગર નજીક જસવંતગઢ પાટિયા પાસે એક પુરપાટ ઝડપે આવતી ખાનગી બસે કારને પાછળથી ટક્કર મારતા ભીષણ અકસ્માત થયો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.
આ દુર્ઘટના શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. આ ભીષણ અકસ્માતમાં અન્ય 6 લોકોને ગંભીર ઈજા થઈ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો પાછળનો અને ઉપરનો ભાગ બિલકુલ દબાઈ ગયો હતો. કારમાં સવાર મુસાફરો પણ લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાયેલા હતાં.
ગાંભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે વાનમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. અકસ્માત બાદ, તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે ઝડપી ગતિએ આવતી બસે પાછળથી વાનને કેમ ટક્કર મારી.




