ભારતનું મેડલનું સ્વપ્ન તૂટ્યું, નીરજ ચોપરા પછી સચિન યાદવ બહાર

ટોક્યોઃ દેશનું વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માં મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. નીરજ ચોપરા બાદ સચિન યાદવ પણ બહાર થઈ ગયા છે. નીરજે આ ચેમ્પિયનશિપ આઠમા નંબરે અને સચિન યાદવે ચોથા નંબરે પૂર્ણ કરી છે.

ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ હરીફાઈમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. હવે પડોશી દેશો વચ્ચેની હરીફાઈ ટોક્યોમાં ચાલુ છે. ટોક્યોમાં વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાનો મુકાબલો ઓલિમ્પિક ચેમ્પિયન અર્શદ નદીમ સામે હતો. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં નીરજ ચોપરાનું લક્ષ્ય ટોક્યોના ઓલિમ્પિક સ્ટેડિયમમાં પોતાનો ખિતાબ બચાવવાનો હતો, પણ તે જાળવી શક્યો નથી.વર્ષ 2021માં ટોક્યોમાં જ તેમણે ઓલિમ્પિક સ્વર્ણપદક જીત્યું હતું, જે ભારતનું બીજું વ્યક્તિગત ઓલિમ્પિક સ્વર્ણપદક અને એથ્લેટિક્સમાં પહેલું પદક હતું.

રાજકીય તણાવથી દૂર નીરજ ચોપરા વિરુદ્ધ અર્શદ નદીમ વચ્ચેનો મુકાબલો સૌથી વધુ ચર્ચિત રહ્યો, કારણ કે ગયા વિશ્વ ચેમ્પિયનશિપમાં નીરજે સ્વર્ણ અને અર્શદે રજત પદક જીત્યું હતું, જ્યારે ઓલિમ્પિકમાં આનું વિરુદ્ધ થયું હતું. વર્ષ 2022ના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સે બન્ને વખત કાંસ્ય પદક જીત્યું હતું. આ વખતે ક્વોલિફાયરમાં સૌથી લાંબી દૂરી સુધી ભાલો ફેંકવાને કારણે તેઓ મુખ્ય દાવેદાર હતા.

  • કેશૉર્ન વોલ્કૉટ: 88.16 મીટર
  • એન્ડરસન પીટર્સ: 87.38 મીટર
  • કર્ટિસ થોમ્પસન: 86.67 મીટર
  • સચિન યાદવ: 86.27 મીટર
  • જુલિયન વેબર: 86.11 મીટર
  • જુલિયસ યેગો: 85.54 મીટર
  • રૂમેશ થરંગા પથિરાગે: 84.38 મીટર – બહાર થઈ ગયા
  • નીરજ ચોપરા: 84.03 મીટર – બહાર થઈ ગયા
  • ડેવિડ વેગનર: 82.84 મીટર – બહાર થઈ ગયા
  • અર્શદ નદીમ: 82.73 મીટર – બહાર થઈ ગયા
  • જેકબ વડ્લેજ: 78.71 મીટર – બહાર થઈ ગયા
  • કેમેરોન મેકએન્ટાયર: 75.65 મીટર – બહાર થઈ ગયા

નીરજ ચોપરા બહાર

નીરજ ચોપરા પોતામાં સુધારો કરી શક્યા નહીં. તેઓ પોતે જ નિરાશ છે. તેઓ વિશ્વ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયા છે. 26 સ્પર્ધાઓ બાદ, નીરજ ચોપરા કોઈ સ્પર્ધામાં ટૉપ-2માં સ્થાન બનાવી શક્યા નથી. તેમના માટે અહીં આઠમું સ્થાન આવ્યું છે.