હવે WHOના વડાએ PM મોદીની પ્રશંસા કરી

1232

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડરોસ અધનોમ ઘેબરેયસસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કોરોના વાઇરસનો વધુ ફેલાવો ના થાય એ માટે દેશભરમાં મોદી દ્વારા લોકડાઉન કરવાના પગલાને તો વખાણ્યું હતું, પણ તેમણે મોદી સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતવાળાઓનાં હિતમાં જે પગલાં લીધાં એની પણ પ્રશંસા કરી હતી. લોકડાઉન જેવાં પગલાંને કારણે ગંભીર પરિણામ ગરીબ અને નીચલા વર્ગને ભોગવવાં પડ્યાં છે. બધા દેશના પોતાના દેશના નાગરિકોને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવાને રોકવા માટે લોકોની મુવમેન્ટને પૂરી કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

WHOએ 1.70 લાખ કરોડના રાહત પેકેજની પ્રશંસા કરી

ટેડરોસે ભારત સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ, રોકડ અને મફત ગેસ સિલિન્ડર આપવાના કાર્યની સરાહના કરી હતી અને વડા પ્રધાનની પ્રશંસી કરતાં તેમણે લખ્યું હતું કે કોરોના સંકટ દરમ્યાન ભારતની ગરીબ જનતા માટે 24 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરું છું. તેમણે 80 કરોડ જરૂરિયાત લોકોને મફત કરિયાણું, 20 કરોડ લોકોને આર્થિક મદદ અને આઠ કરોડ ઘરોને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

કેટલાય વિકાસશીલ દેશો આ સ્તરના જનહિત કાર્યક્રમોને લાગુ કરવા માટે સંઘર્ષ કરતા રહે છે. ગરીબોનાં હિતમાં આ પ્રકારના પ્રયાસ સામાજિક અને આર્થિક રીતે દેશને મજબૂત બનાવે છે. કેન્દ્ર સરકારે આ પહેલાં 1.70 લાખ કરોડના રહત પેકેજની પણ તેમણે પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના જાહેર કરતાં કહ્યું હતું કે દેશમાં કોઈ પણ ભૂખ્યું નહીં રહે. તેમણે કહ્યું હતું કે સરકારનું હાલ ધ્યાન ગરીબ જનતા, મજૂરો અને કામદારોને રાહત આપવા પર છે. બધાં રાજ્યોમાં સામાજિક સંગઠન પણ લોકો સુધી ખાદ્ય ખોરાકી અને અન્ય જરૂરતોના માલસામાન પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.