આઈપીએલ 2026 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ એક અત્યંત ચોંકાવનારો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સ સામેની મહત્વની મેચ પહેલા ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન (સ્ટેન્ડ-ઇન) બનાવવામાં આવ્યો છે. વર્ષ 2013 થી મુંબઈની ટીમ સાથે જોડાયેલા બુમરાહ માટે આ પહેલી તક છે જ્યારે તે આઈપીએલમાં કોઈ ટીમનું નેતૃત્વ કરશે.
A kid with a unique action bowled yorkers at will. That same kid, now a legend of the game will lead the Blue & Gold in Dharamshala.
A journey to be proud of, Captain Jasprit! 💙 pic.twitter.com/QCi1X4HhDy
— Mumbai Indians (@mipaltan) May 14, 2026
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે કેપ્ટનશીપના સંકટમાંથી પસાર થઈ રહી છે. ટીમના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા કમરના દુખાવાને કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે અને તેઓ ટીમની સાથે ધર્મશાળા પણ પહોંચ્યા નથી. બીજી તરફ, સૂર્યકુમાર યાદવ જેઓ પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહ્યા હતા, તેઓ પણ વ્યક્તિગત કારણોસર હાલ ટીમ સાથે ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં મેનેજમેન્ટે અનુભવી બુમરાહ પર ભરોસો મૂક્યો છે.
બુમરાહ: મુંબઈનો 10મો કેપ્ટન
જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરનાર 10મો ખેલાડી બની ગયો છે. આ અગાઉ સચિન તેંડુલકર, હરભજન સિંહ, શાન પોલોક, ડ્વેન બ્રાવો, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા, કાયરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આ જવાબદારી નિભાવી ચૂક્યા છે. જોકે બુમરાહ પાસે આઈપીએલમાં કેપ્ટનશીપનો અનુભવ નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ટેસ્ટ અને ટી20 માં કેપ્ટનશીપ કરી ચૂક્યો છે.
કેપ્ટન બન્યા બાદ શું બોલ્યો બુમરાહ?
ટોસ દરમિયાન કેપ્ટન તરીકે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા બુમરાહે જણાવ્યું હતું કે, “આ ઘણું સારું અનુભવાય છે. જ્યારે હું 19 વર્ષની ઉંમરે આ ટીમમાં આવ્યો હતો, ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક દિવસ ટેસ્ટ કેપ્ટન કે એમઆઈનો કેપ્ટન બનીશ. મને જવાબદારી લેવી ગમે છે અને આ એક નવો પડકાર છે જેનો હું ચોક્કસ આનંદ માણીશ.”



