ઇઝરાયેલનાં હૃદય પર ઇરાને મિસાઇલો ઝીંકી, મોસાદ તબાહ!

મધ્ય પૂર્વમાં હમાસ પછી, ઇઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું છે. બંને દેશો વચ્ચેની લડાઈથી આખી દુનિયા ચિંતિત છે. ઇઝરાયલી હુમલાના જવાબમાં ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. દરમિયાન, ઈરાને હર્ઝલિયામાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલયને નષ્ટ કરી દીધું છે. તેહરાનના મીડિયાએ આ દાવો કર્યો છે.

ઈરાને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને નિશાન બનાવીને તેના મુખ્યાલયને નષ્ટ કરી દીધું છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હુમલા બાદ આકાશમાં ધુમાડાના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. આ અંગે, તેહરાનના મીડિયા સંગઠનોએ દાવો કર્યો છે કે હર્ઝલિયાના મુખ્યાલય પર મિસાઈલ છોડવામાં આવી છે. જોકે, ઈરાનના દાવા પર ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

પાંચમા દિવસે પણ સંઘર્ષ ચાલુ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ પાંચમા દિવસે પણ ચાલુ છે. ઈરાને મંગળવારે તેલ અવીવમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો. આ ઉપરાંત, લશ્કરી ગુપ્તચર સાથે સંકળાયેલ ગુપ્તચર એજન્સી AMAN ની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી છે. માર્યા ગયેલા ટોચના કમાન્ડરોમાં મેજર જનરલ અલી શાદમાની પણ હતા.

મોસાદની રચના ક્યારે થઈ?

મોસાદ ઇઝરાયલની ગુપ્તચર એજન્સી છે. આ એજન્સી ગુપ્ત માહિતી એકત્રિત કરવા, ગુપ્ત કામગીરી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે જવાબદાર છે. આ ગુપ્તચર એજન્સી વડા પ્રધાનના કહેવા પર કામ કરે છે. તેને વિશ્વની સૌથી મોટી જાસૂસી એજન્સીઓમાંની એક માનવામાં આવે છે. વડા પ્રધાન ડેવિડ બેન-ગુરિયનના રુવેન શિલોહની ભલામણ પર 13 ડિસેમ્બર 1949 ના રોજ મોસાદની રચના કરવામાં આવી હતી.