જાણો કોણ છે ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP ડો. કે.એલ.રાવ?

0

નવા વર્ષની શરૂઆત થતાં જ ગુજરાતને વધુ એક નવા ઈન્ચાર્જ ડીજીપી મળી ગયા છે. ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આ નામની જાહેરાત થતાં જ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વની વાત એ છે કે, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે.

ડો.કે.એલ.એન.રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી બન્યા તે પહેલા ડો.કે.એલ.એન.રાવ સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવતાં હતા. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર અધિકારી છે અને તેમને નિવૃત્તિને હજુ 22 મહિનાનો સમય બાકી છે. જેથી ગુજરાત રાજ્યના 30માં ડીજીપી તરીકે રાવની નિમણૂંક કરવામાં આવી છે.

ડો.રાવ 1992ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેઓ એસપી તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે જ્યારે તેઓ ઘણાં વર્ષ સુધી ગુજરાતની જેલના વડા તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે.

ગુજરાતમાં કેવા ગુનાઓ બની રહ્યા છે તેની પેટર્ન જાણવા માટે સીઆઈડી ક્રાઈમ એ સૌથી મહત્ત્વનું એકમ ગણાય છે. હાલમાં સરકાર ક્યા પ્રોજેકટ ઉપર કામ કરી રહી છે તે તમામ માહિતીથી સીઆઈડી ક્રાઈમના વડા માહિતગાર હોય છે. તેમજ સીઆઈડી ક્રાઈમની ઓફિસ ડીજીપી ઓફિસમાં જ આવેલી છે અને ગૃહ વિભાગની બેઠકોમાં પણ સીઆઈડીના વડા હાજર રહે છે. આ તમામ કામ ડો.કે.એલ.એન.રાવ કરી ચૂક્યા છે.