મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું છે. અજિત પવાર આજે બારામતીમાં એક રેલીને સંબોધિત કરવાના હતા. અહેવાલો અનુસાર, પવારનું વિમાન બારામતીમાં ઉતરતી વખતે ક્રેશ થયું હતું. અકસ્માત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

અજિત પવારનું નિધન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ત્રણ લોકોના બુધવારે સવારે પુણે જિલ્લામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, અધિકારીઓએ જણાવ્યું હતું. પુણેના બારામતી વિસ્તારમાં પવારનું વિમાન ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.
અજિત પવારને ગંભીર ઇજાઓ પહોંચી હતી
પુણે ગ્રામીણ પોલીસના વરિષ્ઠ સૂત્રોએ અકસ્માત અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. પ્રાથમિક માહિતી મુજબ અજિત પવારને વિમાન દુર્ઘટનામાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષકે આ વાતની પુષ્ટિ કરી છે અને શક્ય તેટલી વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપવામાં આવી છે.
છ લોકોના મોત: DGCA
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પણ બારામતીમાં વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. DGCA એ જણાવ્યું છે કે દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. VSRની માલિકીનું આ વિમાન ખાનગી હતું. જોકે, બારામતીમાં ઉતરાણ કરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. સુપ્રિયા સુળે, સુનેત્રા પવાર અને પાર્થ પવાર પણ દિલ્હીથી બારામતી જવા રવાના થવાના હતા.


