ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આજે મંગળવારે એક અણધાર્યો નિર્ણય લીધો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર વિધાન પરિષદ સભ્ય (MLC) કે. કવિતાને BRSમાંથી સસ્પેન્ડ કરી દીધી. કવિતાના પિતા અને BRS વડા કે. ચંદ્રશેખર રાવે કવિતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
પાર્ટીના મહાસચિવ ટી. રવિન્દર રાવ અને અન્ય મહાસચિવ (શિસ્ત બાબતોના પ્રભારી) સોમા ભરત કુમારે એક સંદેશમાં મીડિયાને જણાવ્યું હતું કે કવિતાના પિતા અને BRS વડા કે. ચંદ્રશેખર રાવે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કવિતાના તાજેતરના વર્તન અને તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ BRSને નુકસાન પહોંચાડી રહી છે. પક્ષના નેતૃત્વએ તેને ગંભીરતાથી લીધું છે.
