17મી પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિસર્જન પછી પણ મમતા બેનર્જીએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલી નથી. તેમણે હજુ પણ પ્રોફાઇલ પર મુખ્યમંત્રી ટેગ લખેલો રાખ્યો છે.

પશ્ચિમ બંગાળની 17મી વિધાનસભા ભંગ થઈ.તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલી નથી. તેમણે હજી પણ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર મુખ્યમંત્રી ટેગ જાળવી રાખ્યો છે.
પ્રોફાઇલ હજુ બદલાઈ નથી
મમતા બેનર્જી તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર “પશ્ચિમ બંગાળના માનનીય મુખ્યમંત્રી” લખેલું છે. તેમની હાર છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો અને એ ટેગ તેમણે સોશિયલ મીડિયા પર જાળવી રાખ્યો છે.

17મી વિધાનસભા ભંગ
ગુરુવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ 17મી વિધાનસભા ભંગ કરી હતી. 17મી વિધાનસભાનો કાર્યકાળ 7 મેના રોજ પૂરો થયો હતો. રાજ્યપાલે બંધારણની કલમ ૧૭૪(૨)(બી) દ્વારા મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને વિધાનસભા ભંગ કરી હતી. કોલકાતાના લોક ભવન દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તાત્કાલિક અમલમાં છે.
ટીએમસી 15 વર્ષ સુધી સત્તામાં રહી
2021 માં, મમતા બેનર્જી 17મી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેઓ 2011 થી સતત સત્તામાં હતા. જોકે, આ વખતે તેમને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. તૃણમૂલ કોંગ્રેસ બંગાળમાં સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ, અને મમતા બેનર્જી પણ ભવાનીપુર બેઠક ગુમાવી.
ભાજપનો મોટો વિજય
2026 ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જબરદસ્ત વિજય મેળવ્યો. ભાજપે 293 માંથી 207 બેઠકો જીતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. જોકે, વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર “100 બેઠકો ચોરી” કરવાનો આરોપ લગાવ્યો અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. જોકે, 2026 ની ચૂંટણી પછી, પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચના થશે, અને ભાજપ તેના મુખ્યમંત્રી પસંદ કરવામાં વ્યસ્ત છે.




