ગુજરાતમાં આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઠંડી વધી શકે છે. જો કે વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં રાહત મળવાની શકયતાઓ છે.

ગુજરાતમાં હાલ વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આવી જ ઠંડી આગામી કેટલાક દિવસો યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે ઠંડીથી હાલ કોઇ રાહત મળવાની નથી. જો કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી કહેર મચાવી શકે છે.
બંગાળની ખાડી હાલ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. એક મજબૂત સિસ્ટમ પણ બની ગઇ છે અને હવે આ સિસ્ટમ થોડા જ સમયમાં વાવાઝોડું બની જશે અને પછી વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં મચાવી શકે છે ભીષણ કહેર. હવામાન વિભાગની આગાહી પ્રમાણે. 26 તારીખે આ વાવાઝોડું તામિલાનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર ત્રાટકી શકે છે.




