વાપી: મેરિલના ગ્લોબલ હેડક્વાર્ટરની ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન એમ.એસ. ધોનીએ મુલાકાત લીધી.”બચપના શુડન્ટ રિટાયર” તે વિષય પર તેમણે હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક વાતચીત કરી. “બચપના શુડન્ટ રિટાયર” એ એક રાષ્ટ્રવ્યાપી જાહેર આરોગ્ય ચળવળ છે. જેમાં “ટ્રીટમેન્ટ જરૂરી હૈ” એવા વિષય પર ભાર મૂકવામાં આવે છે. જે સમયસર નિદાન અને અદ્યતન મેડિકલ થેરાપીની પ્રાપ્યતા અંગે જાગૃતિ માટે શરૂ કરવામાં આવી છે.
આ વ્યાપક ચળવળના કેન્દ્રિત વિસ્તરણ તરીકે, ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ ના છત્ર હેઠળ વરિષ્ઠ નાગરિકો માટેની આરોગ્યને એક સમર્પિત કેમ્પેઇન “બચપના શુડન્ટ રિટાયર ” રજૂ કરે છે. આ કેમ્પેઇન એ વાતને દ્રઢ બનાવે છે કે વહેલા નિદાન, નિવારક તપાસ અને નવીન સારવાર વિકલ્પોની પહોંચ કાર્ડિયાક, ઓર્થોપેડિક અને અન્ય વય-સંબંધિત પરિસ્થિતિઓમાં પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે. આખરે આ સુવર્ણ વર્ષોમાં સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તા જાળવી રાખે છે. જ્યારે ઉંમર વધે છે, ત્યારે રમતિયાળ સ્વભાવ, જિજ્ઞાસા અને આનંદની ભાવના કોઇ પણ હિસાબે ઓછી થવી જોઈએ નહીં. જીવનના દરેક તબક્કે ગૌરવ અને ઉત્સાહ જાળવવાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે ભારત તેની વૃદ્ધ વસ્તીમાં જીવનશૈલી સંબંધિત સમસ્યાઓમાં સતત વધારો જોઈ રહ્યું છે.
આ કેમ્પેઇનના એક ભાગ બનતા એમ.એસ. ધોનીએ ભારપૂર્વક કહ્યું, ” હું માનું છું કે, તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી એ તમારા માટે અને જે લોકો તમને પ્રેમ કરે છે તેમના માટે પણ સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે જે તમે કરી શકો છો -. જે આપણા બધાની જવાબદારી છે, ખાસ કરીને યુવા પેઢીની, તે ખાતરી કરવાની કે આપણા માતાપિતા અને દાદા-દાદી યોગ્ય કાળજી લે, ધ્યાન રાખે અને તેમને સપોર્ટ મળે. ટ્રીટમેન્ટ ઝરૂરી હૈ જેવી ઝુંબેશો તે દિશામાં એક પગલું છે, અને મને આનો ભાગ બનવાનો આનંદ છે”
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી અનુસાર , ભારતમાં થતા કુલ મૃત્યુમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો હિસ્સો લગભગ 28% છે , જે તેમને દેશમાં મૃત્યુનું મુખ્ય કારણ બનાવે છે . આ જ સમયે, બદલાતી જીવનશૈલી અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્થૂળતા વધી છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અહેવાલ મુજબ હાલમાં 24% થી વધુ ભારતીય પુખ્ત વયના લોકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે . આ પરિબળો હલનચલન સંબંધિત સમસ્યાઓમાં વધારામાં પણ ફાળો આપી રહ્યા છે – ઇન્ડિયન જર્નલ ઓફ ઓર્થોપેડિક્સ અને NIH સંશોધન ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા અભ્યાસો દર્શાવે છે કે ઘૂંટણનો અસ્થિવા ભારતમાં લગભગ 4 માંથી 1 પુખ્ત વયના લોકોને અસર કરે છે , જે અપંગતાનું અને દેશમાં ઘૂંટણના રિપ્લેસમેન્ટની સર્જરીનું મુખ્ય કારણ છે. એકસાથે, આ વલણો રોગનિવારક સ્ક્રીનીંગ, શરૂઆતનું મેડિકલ કન્સલ્ટેશન અને એડવાન્સ્ડ થેરાપીની પ્રાપ્યતાની વધતી જતી જરૂરિયાતને દર્શાવે છે જેથી ખાતરી કરી શકાય કે લાંબુ આયુષ્ય સ્વસ્થ, વધુ સક્રિય વર્ષો સાથે સુસંગત છે.
આ કેમ્પેઇન દેશભરના પરિવારોને તેમની પોતાની વાર્તાઓ શેર કરીને ભાગ લેવાનું આહ્વાન કરે છે – ટૂંકા વિડીયો રેકોર્ડ કરીને, હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ પોસ્ટ કરીને અથવા તેમના દાદા-દાદી સાથેની પ્રિય યાદોની ઉજવણી કરીને.




