મુંબઈ: કાંદિવલી રીક્રીએશન ક્લબમાં`પાંદડું લીલું ને રંગ રાતો’સુગમ સંગીતનો કાર્યક્રમ

મુંબઈમાં કલા-સંસ્કૃતિ અને સાહિત્ય સંબંધિત અનેક કાર્યક્રમો થતાં હોય છે. કાંદિવલી રીક્રીએશન ક્લબ સમયાંતરે સાંસ્કૃતિક-સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આજના સમયમાં સુગમ સંગીતનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે ક્લબ દ્વારા `પાંદડું લીલું ને રંગ રાતો’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

નિશા કાપડિયા, આલાપ દેસાઈ, રાઘવ દવે અને મુકેશ જોશી

કાંદિવલી રીક્રીએશન ક્લબ દ્વારા આગામી 4 જાન્યુઆરી, રવિવારે સાંજે એક સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. `પાંદડું લીલું ને રંગ રાતો’ શીર્ષક હેઠળ આયોજિત આ પ્રોગ્રામ કાંદિવલી રીક્રીએશન ક્લબ ગ્રાઉન્ડ, કાંદિવલી (પશ્ચિમ) ખાતે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ વગેરે નામાંકિત સ્વરકારોએ સ્વરબદ્ધ કરેલા ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ નિશા કાપડિયા, આલાપ દેસાઈ અને રાઘવ દવે કરશે.

કાર્યક્રમમાં વાદ્યસંગતમાં પ્રતીક શાહ, વિજય ધુમાલ, દેવેન પંડ્યા અને શશાંક આચાર્ય જોડાશે. સંચાલન કવિ મુકેશ જોશીનું અને સંકલન હિતેન આનંદપરા કરશે. ક્લબ વતી પ્રમુખ સંજય શાહ, સચિવ ગૌતમ આચાર્ય, મનોરંજન સમિતિના કન્વીનર ભાવેશ મહેતા અને ભૂપેશ શિરોદરિયા દ્નારા આયોજિત કાર્યક્રમમાં પ્રવેશ માટે આ નંબર પર 9892795625 સંપર્ક કરી શકાશે.