રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઇતિહાસમાં પહેલીવાર પરિવર્તન આવી રહ્યું છે. આ વખતે સમારોહ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નહીં પણ ગુજરાતની આ ખાસ જગ્યા પર યોજાશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હતી, અને હવે પુરસ્કાર સમારોહ અંગે એક મોટી અપડેટ સામે આવી રહી છે. આ પુરસ્કારો સામાન્ય રીતે દિલ્હીમાં યોજાતા હોય છે, પરંતુ આ વખતે એવું નહીં થાય.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ક્યાં યોજાશે?
અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીના બદલે ગુજરાતના કેવડિયામાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 22 સપ્ટેમ્બરે કલાકરોનું સન્માન કરશે.
કેવડિયા, જેનું નામ હવે એકતા નગર રાખવામાં આવ્યું છે.જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ 597 ફૂટ ઊંચી છે અને તેનું ઉદ્ઘાટન 2018 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ દિલ્હીની બહાર યોજાઈ ચૂક્યા છે
પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ 1954માં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો. ત્યારથી, મોટાભાગના પુરસ્કાર સમારોહ ત્યાં જ યોજાઈ રહ્યા છે. જુલાઈમાં જાહેર કરાયેલા પુરસ્કારોની 72મી આવૃત્તિ સામાન્ય પરંપરાથી અલગ હશે. જોકે પહેલા પણ એવું બની ચૂક્યું છે કે જ્યારે એવોર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજવામાં આવ્યા હોય.
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓ
‘આર્ટિકલ 370’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાઈ છે. રાજકુમાર રાવની ‘શ્રીકાંત’ને શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મ ગણવામાં આવી છે.
મલયાલમ સુપરસ્ટાર મામૂટી અને બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યનને “બ્રહ્મયુગમ” અને “ચંદુ ચેમ્પિયન” માં તેમના અભિનય માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડાને વિનાયક દામોદર સાવરકરની બાયોપિક “સ્વતંત્ર વીર સાવરકર” પરના તેમના કાર્ય માટે શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ પ્રાપ્ત થશે.
તેલુગુ સાયન્સ-ફિક્શન ફિલ્મ “કલ્કી 2898 એડી” એ શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પ્રદાન કરતી સંપૂર્ણ મનોરંજનનો એવોર્ડ મળશે, જ્યારે અરુણ માથેશ્વરન દ્વારા દિગ્દર્શિત અને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ “કેપ્ટન મિલર” એ રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મેળવશે.
72મા રાષ્ટ્રીય પુરસ્કારો હવે 22 સપ્ટેમ્બરે ગુજરાતના એકતા નગરમાં યોજાશે, જ્યાં તમામ પુરસ્કાર વિજેતાઓ હાજર રહેશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમનું સન્માન કરશે. આ સમારોહમાં 2024 માં રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો, શ્રેષ્ઠ પ્રદર્શન આપનારા કલાકારો, દિગ્દર્શકો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવશે.




