કોરોનાના 17,073  નવા કેસ, 21નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં 45.4 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,073 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 197.11થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,34,07,046 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાઇરસના 6493 નવા કેસો નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,25,020 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,27,87,606 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15,208 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 94,420એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.57 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,03,604 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.07 ટકા છે.

દેશમાં 197.11 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,97,11,91,329 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,49,646 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.