કોરોનાના 35,662 નવા કેસ, 281નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના 35,000થી વધુ નવા કેસો નોંધાયા છે, જેમાં કેરળમાં નોંધાયેલા 23,260 કેસો પણ સામેલ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,662 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 281 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,34,17,390 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,44,529 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,26,32,222 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 33,798 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,40,639એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.65 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,48,833 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.07 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 79.42 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 79,42,87,699 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2,15,98,046 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.