કોરોનાના 70,496 નવા કેસ, 964નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 69 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 70,496 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 964 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 69,06,152 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,06,490 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 59,06,69 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 78,365 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,93,592 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

11 લાખ લોકોનું કોરોના ટેસ્ટિંગ

ICMRના જણાવ્યા મુજબ આઠ ઓક્ટોબરે કોરોના વાઇરસના કુલ આઠ કરોડ 44 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાં 11 લાખનાં સેમ્પલનાં ટેસ્ટિંગ કઈ કાલે કરવામાં આવ્યાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.