તાહિર હુસૈનના ઘરે તોફાનની સામગ્રી પહોંચી કેવી રીતે?

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોમવાદી તોફાનો દરમ્યાન આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યાને મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન ભલે પોતાને નિર્દોષ બતાવતા હોય પણ કેટલાય એવા સવાલ છે, જે તાહિરને શંકાના દાયરામાં ઘેરે છે. વળી, તોફાનના દિવસે તાહિરના ઘરે પેટ્રોલ બોમ્બ, પથ્થર અને મોટી માત્રામાં આટલી બધી સામગ્રી આવી કેવી રીતે?

ઘરના ટેરેસ પર પેટ્રોલ બોમ્મ, પથ્થર અને તેજાબના પેકેટ આવ્યાં કેવી રીતે?

તાહિરે દાવો કર્યો હતો કે તેમના ઘર પર તોફાની તત્ત્વોએ કબજો જમાવી લીધો હતો. ત્યારે એમણે શું આની જાણ પોલીસને કરી હતી? સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયોમાં તેઓ ખુદ એક ડંડો લઈને ટેરેસ પર ફરતા દેખાય છે, ક્યારેક ફોન પર વાત કરે છે તો ક્યારેક અહીં-તહીં જોવા મળે છે. તેઓ આ સવાલનો કોઈ જવાબ નથી આપી શક્યા કે તેમના ઘરે આટલા પથ્થર, પેટ્રોલ ક્યાંથી આવ્યા? જે ચીજવસ્તુઓ જેટલી માત્રામાં તાહિરના ઘરથી મળી છે, એ કંઈક રાતોરાત ના પહોંચી શકે. કેટલાય ડઝિન પેટ્રોલ બોમ્બ કોણે બનાવ્યાય? તેજાબનાં પેકેટ બનાવવામાં આવ્યાં છે. કોથળામાં ભરીને પથ્થર લાવવામાં આવ્યા છે ગુલેલ તૈયાર કરવામાં આવ્યા અને આગ લગાડવા માટે મશાલ ક્યાંથી આવી? આ બધું જોઈને તો એવું લાગે છે કે આની તૈયારી ઘણા પહેલા સમયથી કરવામાં આવી હતી. તાહિરે ષડયંત્ર હેઠળ પોતાને હિંસાનો શિકાર બતાવ્યો હતો?

તાહિરના દાવા પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય?

તાહિર હુસૈને એક ટીવી ચેનલથી વાતચીતમાં કહ્યું હતું કે તેમના જીવને પણ જોખમ છે. જો તાહિરની આ વાત પર વિશ્વાસ કરીએ તો તેના ઘરે જબરદસ્તી કબજો કરવામાં આવ્યો હતો અને તેમના જીવને ખતરો હતો તો તેઓ ઘરેથી ભાગ્યા કેમ નહીં? જો તેમના જીવને જોખમ હતું તો તેઓ ટેરેસ પર કેવી રીતે ફરી રહ્યા હતા? સેંકડો તોફાની તત્વો તેમના ઘરે ઘૂટી ગયા હતા અને તેમનો વાળ પણ વાંકો ના થયો?

તાહિરની ટેરેસ પરથી ફાયરિંગ

સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે સોમવારે અને મંગળવારે તાહિરની ટેરેસ પરથી આસપાસના વિસ્તારોમાં ભારે ફાયરિંગ થયું હતું તેના ટેરેસ પરથી સેંકડો લોકો હતા જે આસપાસના મકાનોમાં પથ્થરબાજી કરી રહ્યા હતા. તાહિરના બિલ્ડિંગની બાજુમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર મહક સિંહના ભાઈનું ગોદામ છે, જેમાં આસપાસના લોકોની 40થી વધુ ગાડીઓ ઊભી હતી, જેમાંથી 25 બળી ગઈ છે. હવે સવાલ એ છે કે તાહિર હુસૈનની ધરપકડ ક્યારે કરાશે.