આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ છેઃ સૂર્યકુમાર યાદવ

અમદાવાદઃ દેશના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. રવિવાર (8 માર્ચ)એ તે ICC T20 વર્લ્ડ કપ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. હવે સૂર્યા મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓના ક્લબમાં સામેલ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમારે એક મોટું એલાન કર્યું હતું.

સૂર્યકુમારે કહ્યું હતું કે કે હવે તેમનું આગળનું લક્ષ્ય લોસ એન્જેલેસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અને ટ્રોફી અપાવવાનું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મિડિયાથી વાત કરતાં સૂર્યકુમારે કહ્યું હતું કેઆગળનું લક્ષ્ય ઓલિમ્પિક… ઓલિમ્પિક ગોલ્ડ અને તે જ વર્ષે યોજાનારો T20 વર્લ્ડ કપ પણ છે. આ વાત ભૂલતા નહીં. જ્યારે તિલક વર્માએ જેકબ ડફીનો કેચ પકડીને T20 વર્લ્ડ કપમાં ભારતની જીત પર મહોર મારી, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવના ચહેરા પર શરારતી સ્મિત ફેલાયુ હતું. આ સ્મિત અનેક ગેરસમજો તોડીને મળેલા ખિતાબી જીતનું હતું.

આ સ્મિત એવા કેપ્ટનનું હતું જેણે બેટ્સમેન તરીકે ખરાબ પ્રદર્શન માટે ભારે ટીકા સહન કર્યા છતાં ટીમને ખિતાબ જિતાડીને ટીકા કરનારાઓનો મોં બંધ કરી દીધા હતા. જીત હોય કે હાર, સૂર્યકુમાર પોતાની લાગણીઓ પર કાબૂ રાખવામાં નિષ્ણાત છે. વર્લ્ડ કપ પહેલાં દ્વિપક્ષી સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર અને છેલ્લાં બે વર્ષમાં મોટી ઇનિંગ્સ ન રમવાને કારણે સૂર્યકુમાર પર ભારે દબાણ હતું.