બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમમાં એક મૌલાનાએ CM યોગી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કર્યું હતું. મૌલાનાએ મંચ પરથી CM યોગીને ખુલ્લેઆમ દફનાવી દેવાની ધમકી આપી હતી. મૌલાનાએ ભીડ વચ્ચે CM યોગી વિરુદ્ધ અનેક અપશબ્દો પણ કહ્યા. CM યોગીને ધમકી આપનારાએ તેમને માજલગાંવની મુસ્તફા મસ્જિદમાં આવવાની ચેલેન્જ પણ ફેંકી હતી. તેણે કહ્યું હતું કે જો યોગી અહીં આવશે તો તેમને અહીં જ દફનાવી દેવામાં આવશે.
ધમકીનો વિડિયો આવ્યો સામે
હકીકતમાં, બીડના માજલગાંવમાં ખુલ્લા મંચ પરથી ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને દફનાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અહીં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન એક મૌલવીએ મંચ પરથી CM યોગીને દફનાવી દેવાની ધમકી આપી.
इस मौलवी का हिम्मत देखिए 😡
योगी जी को मारने की धमकी दे रहा हैसून उत्तर प्रदेश का टकले, तुझे दफना दूंगा
अल्लाह हूं अकबर
अल्लाह हूं अकबरक्या इन आतंकवादियों पर कारवाई होगा? pic.twitter.com/Cj1Bx6W8oa
— Chandan Sharma (@ChandanSharmaG) September 26, 2025
મૌલવીની ઓળખ અશફાક નિસાર શેખ તરીકે થઈ છે. હાલ આ મામલે માજલગાંવ પોલીસ સ્ટેશનમાં કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત CM યોગીને ધમકી આપતો મૌલવીનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શું છે ‘આઈ લવ મોહમ્મદ કેમ્પેઇન?
દેશભરમાં ‘આઈ લવ મુહંમદ’ને લઈને મુસ્લિમ સંગઠનો દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જુમ્માની નમાજ પછી આજે મસ્જિદોની બહાર અનેક જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યાં છે. એ જ ક્રમમાં બીડમાં પણ મસ્જિદની બહાર પ્રદર્શન થયું. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે કાનપુરમાં ‘આઈ લવ મોહમ્મદ’ના પોસ્ટર લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે જે કાર્યવાહી કરી તે ખોટી છે. તેમનો આરોપ છે કે આ પગલાંથી સામ્પ્રદાયિક સૌહાર્દ બગડ્યું છે અને નિર્દોષ નાગરિકોના મૂળભૂત હકોનું હનન થયું છે. હાલ CM યોગીને ધમકી આપવામાં આવેલા મામલે પોલીસ શું એક્શન લે છે તે જોવાનું રહેશે.

