ત્રણ ‘બાબરી મસ્જિદ’ સાથે હોસ્પિટલ અને સ્મારક બનાવવાની પણ તૈયારી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદને લઈને રાજકીય તોફાન ઊભું થયું છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા વિધાનસભ્ય હુમાયૂ કબીરએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ત્રણ મોટી મસ્જિદો બનાવવામાં આવશે, જેમાંથી પ્રથમ મસ્જિદની પાયો મુર્શિદાબાદમાં મુકાઈ ચૂક્યો છે.

કેટલો ખર્ચ થશે?

મુર્શિદાબાદની મસ્જિદ પર અંદાજિત ખર્ચ- રૂ. 300 કરોડ

ત્રણ મસ્જિદો પર કુલ ખર્ચ- રૂ. 1000 કરોડ

ફંડિંગ પર સવાલો

  • શિલાન્યાસ દરમિયાન 60 હજાર બિરયાનીનાં પેકેટ વહેંચાયા
  • પહેલા જ દિવસે 100 ટ્રેક્ટર ઈંટ અને સામાન પહોંચ્યો
  • દાવો: એક વ્યક્તિએ રૂ. 80 કરોડનું દાન આપ્યું
  • આરબ દેશોમાંથી આવેલા મૌલાનાઓ પણ કાર્યક્રમમાં જોડાયા
  • શું ખાડી દેશોમાંથી ફંડિંગ થઈ રહી છે?

આ પરિસ્થિતિમાં સવાલ ઊઠે છે કે હુમાયૂં મુસલમાનોના મત બેંકને લક્ષ્ય બનાવી રહ્યા છે? અને તેમના ફંડિંગને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

કયા જિલ્લાઓમાં મસ્જિદ?પ્રાપ્ત માહિતી પ્રમાણે મુર્શિદાબાદમાં જ્યાં હુમાયુ ‘બાબરી મસ્જિદ’ બનાવવા કહે છે ત્યાં 70 ટકા મુસ્લિમ વસ્તી છે. આ ઉપરાંત બીજા જિલ્લામાં માલદામાં મુસ્લિમ વસ્તી 51 ટકા છે, જ્યારે બીરભૂમ જિલ્લામાં 35 ટકા મુસ્લિમ વસ્તી છે.

રાજકીય ટકરાવ તેજ

બાબરી મસ્જિદને લઈને દેશભરમાં રાજકીય તાપમાન વધ્યું છે. ભાજપે આ મુદ્દે મમતા બેનર્જી અને હુમાયુ પર હુમલા તેજ કર્યા છે. ભાજપ સાંસદ સમ્બિત પાત્રાએ કહ્યું છે કે મમતા અને હુમાયુ તુષ્ટીકરણનું રાજકારણ કરી રહ્યાં છે. જ્યારે TMC નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે ભાજપ ધર્મના નામે હંગામો મચાવી રહ્યો છે. એ ઉપરાંત, UPના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કહ્યું છે કે અમારો મસ્જિદથી કોઈ વિરોધ નથી, પરંતુ જો બાબરને નામે મસ્જિદ બનશે તો અમે વિરોધ કરીશું.

પણ બાબરી સ્મારકનું એલાન

બંગાળ બાદ હવે હૈદરાબાદમાં પણ બાબરી સ્મારકની જાહેરાત થઈ છે. તહરિક મુસ્લિમ શબ્બાન સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી સ્મારક બનશે, એ સાથે જ હોસ્પિટલ અને સ્કૂલ પણ બનાવવામાં આવશે.