નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે સતત ત્રણ ચૂંટણી હાર્યા પછી તેમનો નૈતિક અભિગમ બદલાઈ ગયો છે શું? શાહે ઇન્ટરવ્યુમાં 2013ની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે રાહુલ ગાંધીએ તત્કાલીન PM મનમોહન સિંહ દ્વારા લાવવામાં આવેલા તે વટહુકમને ફાડી નાખ્યો હતો, જેમાં લાલુ પ્રસાદ યાદવને રાહત આપવામાં આવી હતી.
શાહે તેની તુલના બંધારણ (130મો સુધારો) વિધેયક, 2025 સાથે કરતાં કહ્યું હતું કે જ્યારે કોઈ PM, CM અથવા કેબિનેટ મંત્રી 30 દિવસથી વધુ સમય જેલમાં રહે છે, ત્યારે તેમને પદ પરથી દૂર કરવાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
આ વટહુકમ ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષી ઠર્યા બાદ લાવવામાં આવ્યો હતો, જેમાં દોષી સાંસદોને પોતાની સીટ પર રહેવા માટે ત્રણ મહિનાની રાહત આપવામાં આવી હતી. આ વટહુકમ દોષી સાંસદો અને વિધાયકોને અયોગ્ય ઠેરવનારા સુપ્રીમ કોર્ટના આદેશને બેકાર કરી નાખ્યો હતો. જોકે પછીથી આ વટહુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
Speaking to @ANI. https://t.co/EQRkbv7K5M
— Amit Shah (@AmitShah) August 25, 2025
શું જેલમાંથી સરકાર ચલાવવી યોગ્ય છે?
શાહે સવાલ કર્યો કે શું આ ‘યોગ્ય’ છે કે આવા બંધારણીય પદ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિ જેલમાંથી સરકાર ચલાવે? આ વિધેયક કોઈ પણ એવા PM, CM અથવા મંત્રીને પદ પરથી દૂર કરવાની જોગવાઈ કરે છે, જેઓ સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોય.
