આ દિવસોમાં બોલિવૂડમાં ચારે બાજુ ગણપતિ બાપ્પાના આગમનની ઉજવણી થઈ રહી છે. ગુરુવારે જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ની સફળતા માટે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં.
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની આગામી ફિલ્મ પરમસુંદરીને લઈ ખૂબ ચર્ચામાં છે. એવામાં ગણેશ બાપ્પાના આર્શિવાદ માટે બંને લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતાં. આ પહેલા અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
જાહ્નવી કપૂર ભીડમાં ગુસ્સે થઈ ગઈ?
View this post on Instagram
સિદ્ધાર્થ અને જાહ્નવીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ બાપ્પાના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. આ દરમિયાન જાહ્નવીએ લાલ રંગની સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ, સિદ્ધાર્થ પણ ગુલાબી રંગના કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ દરમિયાન જાહ્નવી અને સિદ્ધાર્થ ભીડમાં ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. તેમને જોતા જ મોટી ભીડ એકઠી થઈ ગઈ.
કોઈક રીતે બંને બાપ્પા પાસેથી આશીર્વાદ લઈને પાછા ગયા.
આ ઉપરાંત, બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાએ પણ બાપ્પાના દર્શન કર્યા. લાલબાગચા રાજાના દરબારમાં અભિનેત્રીને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં, નુસરત મુસ્લિમ હોવા છતાં, હિન્દુ ધર્મને સમાન મહત્વ આપે છે. આ કારણે, ઘણા લોકોએ તેના ફોટા અને વીડિયો જોઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
