પ્રખ્યાત ગાયક સોનુ નિગમને તાજેતરમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. સવાલ પૂછતા જ તેઓ નારાજ દેખાયા હતા.

NEET પરીક્ષા પેપર લીક કેસને લઈને દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પેપર લીક સામે ક્રોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં શરૂ થયેલું અભિયાન હવે સોશિયલ મીડિયાથી રસ્તાઓ પર પહોંચી ગયું છે. જંતર મંતરથી સંસદ કૂચ કાઢવામાં આવી અને વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ થયો. વિરોધ પ્રદર્શને ખુબ જ મોટુ રૂપ ધારણ કર્યુ. ઘણા સ્ટાર્સ વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલ્યા છે. શબાના આઝમી સહિતના સેલેબ્સે તો જંતર મંતર પહોંચી વિદ્યાર્થીઓનો અવાજ મજબુત કર્યો હતો.
View this post on Instagram
બૉલિવૂડના કેટલાક વિરોધમાં જોડાઈ રહ્યા છે જ્યારે કેટલાક સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં સોનુ નિગમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેઓ પત્રકાર પર ભડકી ગયા હતાં.
સોનુ નિગમે શું કહ્યું?
પ્રખ્યાત ગાયક સોનુ નિગમે તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.વાતચીત દરમિયાન ગાયકને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે,’દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શન વિશે તમે શું કહેવા માંગો છો?” સોનુ નિગમે જવાબ આપ્યો, “હું અહીં શેના માટે આવ્યો છું? બસ.” જ્યારે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો, “હવે બધું પૂરું થયું,બસ.”
ગાયકાના પ્રદર્શન અંગેના પ્રશ્ન પરની પ્રતિક્રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યાર બાદ તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક તેમને અનફોલો કરવાની હાકલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક બહિષ્કારની હાકલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ લખી રહ્યા છે, “કહેવાતી સેલિબ્રિટી.”




