લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) પર નિશાન સાધતાં કહ્યું હતું કે મુઘલો અને અંગ્રેજોએ દેશને લૂંટી લીધા પછી જે કંઈ બચ્યું હતું તે આ બન્ને પક્ષોએ પોતાની ઝોલીમાં ભરી લીધું. આદિત્યનાથે ઇટાહમાં એક નવા સિમેન્ટ પ્લાન્ટના ઉદઘાટન પછી પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 1947માં આ દેશને આઝાદી મળી. 1947થી 1960 સુધી ભારત દુનિયાનું છઠ્ઠું અર્થતંત્ર હતું. તે પહેલાંની વાત કરીએ તો 17મી અને 18મી સદીમાં આ દેશ વિશ્વનું નંબર એક અર્થતંત્ર ધરાવતો દેશ હતો.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે પહેલાં મુગલો લૂંટીને ગયા, પછી અંગ્રેજોએ વિનાશ કર્યો અને મુગલો-અંગ્રેજો પછી જે કંઈ બચ્યું તે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ લૂંટી લીધું. દેશ અને રાજ્ય સામે ઓળખનો સંકટ ઊભો કર્યો.મુખ્ય પ્રધાને કેન્દ્ર અને રાજ્યની ભૂતપૂર્વ સરકારોની ટીકા કરતાં કોંગ્રેસ અને સપા પર નિશાન સાધ્યું અને તેમના પર સંકીર્ણ માનસિકતા રાખવાનો તથા અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે કોઈ કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી, બન્નેની માનસિકતા PM નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના દૃષ્ટિકોણ મુજબ ક્યારેય રહી નથી.
पहले मुगलों ने लूटा फिर अंग्रेजों ने तबाह किया और जो कुछ बचा रह गया था,
वह कांग्रेस और समाजवादी पार्टी ने तबाही का नया मंजर पैदा करके देश और प्रदेश के सामने पहचान का संकट खड़ा कर दिया था… pic.twitter.com/5oxCHI2pYt
— Yogi Adityanath (@myogiadityanath) August 21, 2025
તેમણે કહ્યું હતું કે આ પક્ષોની સંકીર્ણ દૃષ્ટિને કારણે એ લોકો માત્ર પોતાના પરિવારનો જ વિકાસ કરતા રહ્યા. પરિણામે ઉત્તર પ્રદેશ અને દેશ પાછળ પડતો ગયો, ગરીબી વધતી ગઈ અને તેમના ગુંડાઓને કારણે અરાજકતા વધતી ગઈ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને સપાના શાસનમાં ન તો વેપારી સુરક્ષિત હતો, ન તો પોલીસ સ્ટેશન અને ન તો દીકરીઓ સુરક્ષિત હતી. રમખાણો થવાં સામાન્ય બાબત બની ગઈ હતી.
