રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય

શિક્ષકોની ભરતી મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ સામે હવે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતન સાથે ફરજ સોંપવામાં આવશે. રાજ્યમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જો કે તેને કાયમી શિક્ષક કે ફિક્સ પગારમાં કામ કરતા શિક્ષકોને મળતા એકપણ લાભ મળવા પાત્ર રહેશે નહીં.