વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ ભાવનગરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમની સુરક્ષા માટે 7 જિલ્લાની પોલીસ અને રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. કુલ 4 એડિશનલ DGP અને IG કક્ષાના અધિકારીઓ સહિત 4,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થાની મુખ્ય વિગતો
થ્રી-લેયર સુરક્ષા
વડાપ્રધાનના એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂટને સુરક્ષાની દ્રષ્ટિએ 6 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી SP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. આ સમગ્ર રૂટ પર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સુરક્ષા માટે બોલાવાયેલા જિલ્લા
ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રેલવે પોલીસના જવાનોને સુરક્ષા માટે બોલાવાયા છે.
ટેકનિકલ અને મેન્યુઅલ વોચ
રોડ-શોના રૂટ પર ધાબા પોઈન્ટ્સ, ડોગ સ્ક્વોડ અને રૂટ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ પોલીસ સતત મોનિટરિંગ કરશે.
કાર્યક્રમનો સમયગાળો
વડાપ્રધાનનો આશરે 20 મિનિટનો રોડ શો અને જવાહર મેદાન ખાતેનો કાર્યક્રમ 40 થી 50 મિનિટનો રહેવાનો અંદાજ છે.
પી.જી.વી.સી.એલ. દ્વારા ભારત સરકારની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત વીજળી વિતરણ ક્ષેત્રે ધરમૂળથી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વીજળીના વિતરણમાં ઉપયોગમાં લેવાતા કેબલની સમયાનુસાર ફેરબદલી કરવામાં આવી રહી છે. પી.જી.વી.સી.એલ. ભાવનગર ઝોનલ કચેરી નીચે આવતા વિસ્તારોમાં રૂ.303 કરોડના ખર્ચે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) કેબલ નાખવામાં આવશે. દરિયા કિનારાના ભાવનગર અને અમરેલી જિલ્લાને ફાયદારૂપ પી.જી.વી.સી.એલ.ના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું આગામી તા.20મી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.
વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને ભાવનગરમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન અને અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિનામાં બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.




