ચેન્નઈઃ તામિલનાડુ સરકારે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ લોનની સુવિધાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી કે. વિશ્વનાથને જણાવ્યું હતું કે સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આર્થિક સંસાધનોની અછતને કારણે કોઈ પણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ લોનની ઉપલબ્ધિનો વ્યાપ સતત વધારી રહી છે જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.
7.5 લાખ રૂપિયા સુધીનું શિક્ષણ લોન ગેરંટી વિના મળશે
તેમણે જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળ સરકારે એવી વ્યાપક વ્યવસ્થા ઊભી કરી છે, જે હેઠળ વિદ્યાર્થીઓને 7.5 લાખ રૂપિયા સુધીનું શિક્ષણ લોન કોઈ પણ પ્રકારની કોલેટરલ (જામીન) અથવા ગેરંટી વિના આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે માત્ર આર્થિક મુશ્કેલીઓને કારણે કોઈ પણ વિદ્યાર્થીનું ઉચ્ચ શિક્ષણ પ્રભાવિત ન થવું જોઈએ.
યુપીએ સરકારની શિક્ષણ લોન નીતિનો પણ ઉલ્લેખ
તેમણો નિવેદનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર (2004–2014)નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું હતું કે તે સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ લોન ઉદારતાપૂર્વક ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી અને હવે તામિલનાડુ સરકાર પણ એ જ વિચારસરણી સાથે વિદ્યાર્થીઓને વધુમાં વધુ નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવા માટે કાર્ય કરી રહી છે.

ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ વધારવા પર સરકારનો ભાર
તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારનો હેતુ માત્ર લોન ઉપલબ્ધ કરાવવાનો નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સુધી સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે બેંકિંગ વ્યવસ્થા અને સરકારી યોજનાઓ દ્વારા શિક્ષણ લોન મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુલભ બનાવવામાં આવી રહી છે.




