બાંગ્લાદેશના PM બનતાં પહેલાં તારિક રહેમાનની કટ્ટરપંથી જમાતને ચેતવણી

ઢાકાઃ બાંગ્લાદેશની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ BNP અધ્યક્ષ તારિક રહેમાને દેશની જનતાને એકતા જાળવવા અપીલ કરી છે. તારિક રહેમાને પાર્ટીની જીતને લોકશાહી માટે બલિદાન આપનાર લોકોને સમર્પિત કરી. જનતાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ જીત બાંગ્લાદેશની છે. આ જીત લોકશાહીની છે. આ જીત તેમની છે જેમણે લોકશાહીની આશા રાખી અને તેના માટે બલિદાન આપ્યું. આજે પછી અમે બધા આઝાદ છીએ અને હકોનો સાચો અર્થ ફરીથી સ્થાપિત થયો છે. તેમણે કટ્ટરપંથી જમાતને ચેતવણી આપી હતી.

અમારે એકજુટ રહેવું પડશે: તારિક રહેમાનતેમણે કહ્યું હતું કે તમારી સક્રિય ભાગીદારીથી દોઢ દાયકાથી વધુ સમય પછી દેશમાં સીધી મતદાન પ્રક્રિયા દ્વારા સંસદ અને સરકારની ફરી સ્થાપના થઈ રહી છે. અમારે એકજુટ રહેવું પડશે, જેથી કોઈ પણ ખરાબ શક્તિ દેશમાં ફરી તાનાશાહી સ્થાપિત ન કરી શકે અને દેશ કોઈના કબજામાં ન જાય. તમામ અવરોધો પાર કરીને તમે દેશમાં લોકશાહી સ્થાપિત કરી છે — તે બદલ જનતાને અભિનંદન.”

કોઈ સાથે અન્યાય નહીં થાય

તેમણે કહ્યું હતું કે સુરક્ષિત બાંગ્લાદેશ બનાવવા માટે અમને બધાના સહકારની જરૂર છે. દેશના પુનર્નિર્માણમાં દરેકે જવાબદારીપૂર્વક કામ કરવું પડશે. કોઈ પણ બહાને કોઈ સાથે અન્યાય કરી શકાય નહીં. કાયદો અને વ્યવસ્થા કોઈ પણ કિંમતે જાળવવી પડશે.

જલદી નવી સરકાર શપથ લેશે

બાંગ્લાદેશની વચગાળા સરકારના મુખ્ય સલાહકારના પ્રેસ સચિવે જણાવ્યું છે કે નવી સરકારનો શપથવિધિ કાર્યક્રમ ખૂબ જલદી યોજાશે. એટલે માનવામાં આવે છે કે દેશને નવી સરકાર માટે ત્રણ દિવસથી વધુ રાહ જોવી નહીં પડે.

તારિક રહેમાનનો રાજકીય સફર ઉતાર-ચઢાવભર્યો રહ્યોવર્ષ 2004માં શેખ હસીનાની રેલી પર થયેલા ગ્રેનેડ હુમલા કેસમાં તારિક રહેમાનને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ હુમલામાં 24 લોકોનાં મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. રહેમાને હંમેશાં આ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા પછી વચગાળા શાસનકાળ દરમિયાન તેમને તમામ કેસોમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2018માં ખાલિદા જિયાને ભ્રષ્ટાચાર કેસમાં જેલ મોકલાયા બાદ તારિક રહેમાનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.