ભારત સરકારે વર્ષ ૨૦૨૪ માટેના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિની ભલામણના આધારે કેન્દ્ર સરકારે કન્નડ ફિલ્મોના સદાબહાર અને બહુમુખી પ્રતિભા ધરાવતા જ્યેષ્ઠ અભિનેતા અનંત નાગની આ સર્વોચ્ચ સિનેમેટિક સન્માન માટે પસંદગી કરી છે.
🎬THE DADASAHEB PHALKE AWARD 2024 GOES TO…
Shri ANANT NAG
On the recommendation of the Dadasaheb Phalke Award Selection Committee, the Government of India is pleased to announce that the Actor will be conferred the prestigious Dadasaheb Phalke Award 2024 for his contribution… pic.twitter.com/3WKnWZDGs0
— PIB India (@PIB_India) September 16, 2026
22 સપ્ટેમ્બરે ગુજરાતના કેવડિયામાં અપાશે એવોર્ડ
ભારતીય સિનેમા ક્ષેત્રે દાયકાઓ સુધી આપેલા અપ્રતિમ અને શાનદાર પ્રદાન બદલ અનંત નાગને આ પુરસ્કારથી નવાજવામાં આવશે. આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા (એકતા નગર) ખાતે ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન થશે, જ્યાં તેમને આ ગૌરવવંતું સન્માન એનાયત કરવામાં આવશે.
Congratulations to the legendary Anant Nag Ji on being conferred the Dadasaheb Phalke Award.
For several decades, his effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema, particularly Kannada cinema. In whichever role he…
— Narendra Modi (@narendramodi) September 16, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
અનંત નાગના નામની જાહેરાત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમને હૃદયપૂર્વક શૂભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને લખ્યું, “દિગ્ગજ અભિનેતા અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેમણે પોતાના સહજ અભિનય અને અદભુત વિવિધતા દ્વારા દાયકાઓ સુધી ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર એક ઊંડી છાપ છોડી છે. તેમણે ભજવેલા દરેક પાત્રમાં અનોખી ઊંડાઈ અને વાસ્તવિકતા જોવા મળે છે.”
અનંત નાગની સિનેમા યાત્રા
4 સપ્ટેમ્બર 1948 ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં જન્મેલા અનંત નાગ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યંત આદરણીય અભિનેતા અને નેતા છે. પોતાના લાંબા અને સફળ કરિયરમાં તેમણે વિવિધ ભાષાઓની અસંખ્ય ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કોમેડી, ગંભીર ડ્રામાથી લઈને પડકારજનક ચરિત્ર ભૂમિકાઓ સુધી, તેમણે દરેક પાત્રને પડદા પર જીવંત કર્યું છે.

