નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાને ક્યારેય પરમાણુ હથિયારો બનાવવાની ઇચ્છા રાખી નથી. હોર્મુઝ જળસંધિની હાલની સ્થિતિ ખૂબ જ જટિલ છે. ચર્ચા અને સંવાદ દ્વારા સમજૂતી સિવાય અન્ય કોઈ ઉકેલ શક્ય નથી. અમે હોર્મુઝ જળસંધિમાંથી તમામ જહાજોને સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરવા માટે તૈયાર છીએ. હોર્મુઝની સ્થિતિ સુધારવા માટે ચીન જે પણ પગલાં લેશે, તેનું અમે સ્વાગત કરીશું. ઈરાન યુદ્ધવિરામ જાળવી રાખીને કૂટનીતિને તક આપવા પ્રયત્નશીલ રહ્યું છે.
ભારતની રચનાત્મક ભૂમિકાનું સ્વાગત કરીશું
નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાન સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દાનો સૈન્ય ઉકેલ શક્ય નથી. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થતા હજુ નિષ્ફળ ગઈ નથી. ઈરાન પાસે અમેરિકા પર વિશ્વાસ ન કરવાનાં તમામ કારણો છે, જ્યારે અમેરિકા પાસે ઈરાન પર વિશ્વાસ કરવાનાં તમામ કારણો છે. પશ્ચિમ એશિયાના સંકટ અંગે તેમણે કહ્યું હતું કે ભારત કોઈ પણ રચનાત્મક ભૂમિકા ભજવવા માગશે તો તેનું અમે સ્વાગત કરીશું.
There can’t be any solution other than a negotiated settlement: Iranian Foreign Minister Abbas Araghchi on West Asia crisis.
We are ready to help pass all vessels through Strait of Hormuz: Iran’s Foreign Minister Abbas Araghchi. pic.twitter.com/iQ13s6caRK
— Press Trust of India (@PTI_News) May 15, 2026
ઈરાન સાથેનું યુદ્ધ ગુરુવારે 76મા દિવસે પહોંચી ગયું છે અને યુદ્ધવિરામ માટેના તમામ પ્રયાસો હાલ અટવાયેલા દેખાઈ રહ્યા છે. અહેવાલ છે કે બ્રિક્સના મુખ્ય સત્રોમાં ભાગ લેવાની સાથે સાથે અબ્બાસ અઘરાચી ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમ જ બેઠકમાં હાજર અન્ય અધિકારીઓ સાથે અલગથી પણ બેઠક કરી રહ્યા છે.




