અભિષેક શર્મા ભારતમાં નંબર વન બન્યો છે. તેણે IPLમાં 55 બોલમાં 141 રન બનાવીને સૌથી વધુ રન બનાવીને ખેલાડીઓમાં તેનું સ્થાન ત્રીજા ક્રમે છે. આ બાબતમાં અભિષેક શર્માથી આગળ રહેલા બે ખેલાડીઓ બંને વિદેશી છે. અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે 141 રનની ઇનિંગ રમીને ભારતીય બેટ્સમેનોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 12, 2025
કેએલ રાહુલને પાછળ છોડીને તે નંબર 1 બન્યો અભિષેક
અભિષેક શર્માએ 55 બોલમાં 141 રન બનાવ્યા છે. 256.36 ના સ્ટ્રાઇક રેટથી રમતા અભિષેકે તેની ઇનિંગ્સમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. 2025 ની આ IPLમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો, જેમણે આઈપીએલ 2020 માં આરસીબી સામે અણનમ 132 રન બનાવ્યા હતા.
અભિષેક શર્મા દ્વારા બનાવેલા 141 રન આઈપીએલમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો સ્કોર છે. તેમના પહેલા, બે સૌથી મોટા સ્કોર બે વિદેશી બેટ્સમેનોના નામે છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર ક્રિસ ગેઈલના નામે છે, જે તેણે આઈપીએલ 2013માં બેંગ્લોરના મેદાન પર 175 રન બનાવીને બનાવ્યો હતો. ત્યારબાદ ક્રિસ ગેલે બ્રેન્ડન મેક્કુલમનો આઈપીએલ 2008માં બનાવેલા 158 રનનો રેકોર્ડ તોડ્યો, જે આઈપીએલ ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે.
રન ચેઝમાં સૌથી વધુ સ્કોર ધરાવતા બેટ્સમેન
ગેઇલના નામે 175 રન અને મેક્કુલમના નામે 158 રન બનાવ્યા હતા . જ્યારે અભિષેક શર્માએ 141 રન બનાવ્યા હતા . આ રીતે, તે IPL રન ચેઝમાં સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન છે. અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે છઠ્ઠી સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે, જેમણે માત્ર 30 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. યુઝુફ પઠાણે 37 બોલમાં, ડેવિડ મિલરે 38 બોલમાં, ટ્રેવિસ હેડે 39 બોલમાં અને પ્રિયાંશ આર્યએ પણ 39 બોલમાં આઈપીએલ સદી ફટકારી હતી.
Please click on above magazine cover to read magazine online. E-magazine will take time to load depending upon your network connection. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
ચિત્રલેખાના 75 વર્ષની ઉજવણી એ ફક્ત એક સામયિકના 75 વર્ષની ઉજવણી નહોતી. એ હતી 75 વર્ષની એક ગૌરવશાળી સફરની. 75 વર્ષના ગુજરાતી પત્રકારત્વના એક મહત્વપૂર્ણ પડાવની. 75 વર્ષના ગુજરાતી સમાજના પ્રતિબિંબની.
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાયો, જ્યારે 12 એપ્રિલ, 2025, શનિવારના રોજ મુંબઇમાં વિલેપાર્લે (પશ્ચિમ) ખાતે મુકેશ પટેલ ઓડિટોરિયમમાં કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલ, જાણીતા થિયેટર આર્ટીસ્ટ સરિતા જોશી અને નેશનલ સ્ટોક એક્સચેન્જના MD અને CEO આશિષકુમાર ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાએલા ભવ્ય કાર્યક્રમમાં ચિત્રલેખાના 75મા વાર્ષિક અંકનું વિમોચન કરવામાં આવ્યું.
કેવો ભવ્યાતિભવ્ય રહ્યો એ કાર્યક્રમ? જૂઓ, આ તસવીરોમાં….
1975નો એ સમયગાળો, જ્યારે દુનિયાના મોટાં દેશો અવકાશમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા હતા. ત્યારે ભારત એક નાનકડા પરંતુ મહત્વના પગલાં માટે તૈયાર થઈ રહ્યું હતું. કાચા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મર્યાદિત સાધનો અને સાવ નવો અનુભવ, છતાંય ભારતીય વૈજ્ઞાનિકોએ એક અખંડ વિશ્વાસ સાથે અવકાશને પડકાર આપ્યો. પરિણામે 19 એપ્રિલ 1975ના રોજ ‘આર્યભટ્ટ’ નામનો ભારતનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં લોન્ચ થયો. આર્યભટ્ટ 19 એપ્રિલ 2025માં પચાસ વર્ષ પુર્ણ કરશે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા 1975થી અત્યાર સુધીમાં કુલ 129 ભારતીય મૂળના ઉપગ્રહો અને 342 વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારથી લઈને આજ સુધી, ભારતે ટેક્નોલોજી, સંશોધન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે પ્રગતિ કરી છે, એ એક પ્રેરણાદાયક સફર છે.
આજે અહીં એવા દસ ઉપગ્રહ વિશે જાણીશું જે ભારતના અંતરિક્ષ ઇતિહાસમાં મહત્વ ધરાવે છે.
આર્યભટ્ટ
આર્યભટ્ટ ભારતનો પહેલો ઉપગ્રહ હતો, જે 19 એપ્રિલ 1975ના રોજ રૂસી રોકેટ દ્વારા લોન્ચ થયો. એનો હેતુ ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર સંબંધિત પ્રયોગો કરવાનો હતો. આ ઉપગ્રહ ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને સ્વાવલંબન તરફનું પહેલું પગલું હતું. એનું નામ પ્રખ્યાત ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટના નામ પર રાખવામાં આવ્યું હતું.
આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો. ૧૯૮૪ની સોવિયેત યુનિયનની ટપાલ ટિકિટ જેમાં ભાસ્કર ૧, ભાસ્કર ૨ અને આર્યભટ્ટ ઉપગ્રહ છે. ભારતીય ૨ રૂપિયાની ચલણી નોટ પર આર્યભટ્ટ અવકાશયાનનું ચિત્ર હતું.
IRS-1A
IRS-1A (ભારતીય રિમોટ સેન્સિંગ ઉપગ્રહ) ભારતનો પહેલો પૃથ્વી અવલોકન ઉપગ્રહ હતો. જે 17 માર્ચ 1988ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. એની મદદથી કૃષિ, વન્યજીવન, જમીન ઉપયોગ અને પાણી સંચાલન જેવા ક્ષેત્રોમાં ઉપયોગી માહિતી મળી. આ ઉપગ્રહના કારણે માહિતી અને ડેટા માટે વિદેશી દેશો પર રહેલી ભારતની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડવામાં સફળતા મેળવી.
INSAT-3B
INSAT-3B ભારતના INSAT (ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સિસ્ટમ) શ્રેણીનો ભાગ છે. આ સેટેલાઈટ 21 માર્ચ 2000ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહ મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન, ડેટા ટ્રાન્સમિશન, અને શૈક્ષણિક કામ માટે ઉપયોગી રહ્યો. એ સમયનો એ ભારત માટે ટેલિકોમ્યુનિકેશનમાં ક્રાંતિ લાવનાર ઉપગ્રહ હતો.
કાર્ટોસેટ-2
કાર્ટોસેટ-2 એક ઉચ્ચ રિઝોલ્યુશન ધરાવતો પૃથ્વી અવલોકન ઉપગ્રહ હતો. જેને 10 જાન્યુઆરી 2007ના રોજ લોન્ચ કરાયો. જેનો ઉપયોગ નકશા બનાવવું, શહેર વિકાસ, વિમાની સર્વેલન્સ અને સુરક્ષા માટે થયો. એ ઉપગ્રહના કારણે ભારતે ઉચ્ચ ગુણવત્તાવાળી સેાટેલાઈટ ઈમેજિંગ સુવિધા મેળવી.
ચંદ્રયાન-1
ચંદ્રયાન-1 ભારતનું પહેલું ચંદ્ર મિશન હતું. જે 22 ઓક્ટોબર 2008ના રોજ PSLV (પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) દ્વારા લોન્ચ થયું હતું. આ મિશને ચંદ્રના પૃષ્ઠ પર પાણીના અણુઓ હોવાનો પુરાવો આપ્યો. જે વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે મોટી શોધ હતી. આ મિશનથી ભારત વૈશ્વિક અવકાશ સંશોધનમાં મજબૂત ભાગીદાર બન્યું.
SARAL
SARAL એટલે કે ‘Satellite with ARgos and ALtiKa’, ભારત અને ફ્રાંસ વચ્ચે સહયોગથી બનાવામાં આવેલો ઉપગ્રહ છે. એ 25 ફેબ્રુઆરી 2013ના રોજ લોન્ચ કરવામાં આવ્યો. SARALનો મુખ્ય હેતુ સમુદ્ર સપાટી ઊંચાઈનું માપ કરવું અને સમુદ્ર પ્રવાહોની માહિતી એકત્રિત કરવાની હતી.
મંગળયાન (MOM)
મંગળયાન એટલે કે મંગળ ઓર્બિટર મિશન (MOM), ભારતનું પહેલું મંગળ મિશન હતું. જે 5 નવેમ્બર 2013ના રોજ લોન્ચ થયું. આ મિશનથી ભારત મંગળ સુધી પહોંચનારો પહેલો એશિયન દેશ બન્યો. સાથે જ પ્રથમ પ્રયત્ને સફળતા પણ મેળવી. મહત્વની બાબત એ છે કે MOM નો ખર્ચ ખૂબ ઓછો હતો. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી.
આસ્ટ્રોસેટ
આસ્ટ્રોસેટ ભારતનો પહેલો ખાસ વિજ્ઞાનક મિશન હતું. જે મલ્ટી-વેવલેન્થ અવલોકન માટે 28 સપ્ટેમ્બર 2015ના રોજ લોન્ચ થયો. આ ઉપગ્રહે બ્રહ્માંડના ગહન અવલોકન માટે X-Ray, UV અને ઓપ્ટિકલ રેન્જમાં માહિતી આપી. આ ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટું પગલું હતું.
ચંદ્રયાન-2
ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019માં લોન્ચ થયું. એનું લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારની શોધખોળ કરવાનો હતો. જોકે લેન્ડર ‘વિક્રમ’ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરી શક્યું નહીં, છતાં ઓર્બિટર આજેય ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે અને મહત્વની માહિતી મોકલે છે.
ઓશનસેટ-3 (EOS-6)
ઓશનસેટ-3 એ સમુદ્રવિજ્ઞાન માટેનો ઉપગ્રહ છે. જેને 26 નવેમ્બર 2022એ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેનો હેતુ સમુદ્રની સપાટી, પવનની દિશા અને ઝડપ, તેમજ આબોહવાની માહિતી મેળવવાનો છે. આ ઉપગ્રહ ભારતના ખેતી અને માછીમારી ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થયો છે.
દેવકી વસુદેવ લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે નારદ મુનિ તેમને આશીર્વાદ આપવા પહોંચે છે. ત્યાં તેમને રાજકુમાર કંસ મળે છે. કંસ તેમની પાસે આશીર્વાદ માંગે છે. ત્યારે નારદ મુનિ ખૂબ ઓછા શબ્દોમાં તેને પાપના માર્ગેથી પાછા વળવાની સલાહ આપે. ‘ધર્મની જ્યારે જ્યારે ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તેની પુનઃસ્થાપના કરવા ઈશ્વર પોતે પૃથ્વી પર અવતાર લે છે’ એમ કહી તેઓ કંસને સમજાવવા પ્રયત્ન કરે છે. પોતાના માર્ગમાં કોઈ નહીં આવી શકે એમ વિચારી કંસ અટ્ટહાસ્ય કરે છે.
આવું આપણી સાથે પણ બનતું હોય છે ને? આપણને કોઈ સલાહ આપે ત્યારે આપણે પણ આપણને બધુ ખબર છે, આપણને બધુ આવડે છે, એવા ઓવરકોન્ફિડન્સમાં રહીએ છીએ. ધંધા-વ્યવસાયમાં પણ આપણે ભલે જે-તે ક્ષેત્રના નિષ્ણાત હોઈએ, પરંતુ બધા યોગ્ય તે સૂચનો હંમેશા આવકારવા જોઈએ. કદાચ ધંધાને વધુ ઊંચે લઈ જવા તે ઉપયોગી સાબિત થઈ શકે. જ્યારે વ્યક્તિ નવું શીખવાનું અને બીજાના યોગ્ય કે સલાહ-સૂચન સાંભળવાનું બંધ કરે છે ત્યારથી જ તેની પ્રગતિ અટકી જાય છે.
આપણે સહુ જાણીએ છીએ તેમ અટકેલું પાણી ગંધાય, વહેતું પાણી શુદ્ધ રહે છે. જો કંસે નારદ મુનિ જેવા વિદ્વાનની સલાહ માની હોત તો તેનો આવો અંત ન આવત. એવું અભિમાન કદી ન રાખો કે જે તમને સાચું જોતાં કે સાંભળતા અટકાવે, નહીં તો તમે જ તમારો ધંધો ડૂબાડશો. વ્યક્તિ પોતાના નાક નીચે નથી જોઈ શકતી, એટલે જ એને બીજાની જરૂર પડે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ગુજરાત ટાઇટન્સ (GT) ને 6 વિકેટથી હરાવ્યું. 12 એપ્રિલના રોજ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, લખનૌને જીતવા માટે 181 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 19..3 ઓવરમાં પ્રાપ્ત કર્યો. ચાલુ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની છ મેચમાં આ ચોથી જીત હતી. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની છ મેચમાં આ બીજી હાર હતી.
ગુજરાત ટાઇટન્સને બીજી સફળતા પ્રસિદ્ધ કૃષ્ણાએ શુભમન ગિલના હાથે એડન માર્કરામને કેચ આઉટ કરાવ્યો. માર્કરામે 31 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા. માર્કરામ અને પૂરણ વચ્ચે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી થઈ. માર્કરામ આઉટ થયાના થોડા સમય પછી, નિકોસ પૂરને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
નિકોલસ પૂરન 61 રન બનાવીને રાશિદ ખાનના બોલ પર આઉટ થયો હતો. પુરણે ૩૪ બોલનો સામનો કર્યો અને સાત છગ્ગા ઉપરાંત એક ચોગ્ગો ફટકાર્યો. અહીંથી લખનૌ માટે વિજયનો માર્ગ સરળ બન્યો. લખનૌને જીતવા માટે છેલ્લી ઓવરમાં 6 રનની જરૂર હતી, જે તેણે ત્રીજા બોલ પર જ મેળવી લીધી. ‘ઇમ્પેક્ટ સબ’ આયુષ બદોની 28 રને અને અબ્દુલ સમદ 2 રને અણનમ રહ્યા.
ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને છ વિકેટે 180 રન બનાવ્યા. ગુજરાતની શરૂઆત શાનદાર રહી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને મળીને પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી દરમિયાન, શુભમને 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જ્યારે સુદર્શને 50 રનનો આંકડો સ્પર્શવા માટે 32 બોલ લીધા હતા. લખનૌને પહેલી સફળતા ૧૩મી ઓવરમાં મળી જ્યારે શુભમન ગિલ મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે અવેશ ખાનના બોલ પર એડન માર્કરામના હાથે કેચ આઉટ થયો. શુભમને 38 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા.
ત્યારબાદ સ્પિનર રવિ બિશ્નોઈએ એક જ ઓવરમાં સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યા. સુદર્શને 37 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે સુંદરના બેટમાંથી 2 રન આવ્યા. આ પછી વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર પણ 16 રન બનાવીને સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીનો શિકાર બન્યો.
સતત વિકેટો પડવાના કારણે, ગુજરાત ટાઇટન્સ 200 રનના આંકડાથી ઘણું દૂર રહ્યું. ગુજરાત ટાઇટન્સે ઇનિંગની છેલ્લી ઓવરમાં શેરફાન રૂધરફોર્ડ (22) અને રાહુલ તેવતિયા (0) ની વિકેટ પણ ગુમાવી દીધી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી. દિગ્વેશ સિંહ રાઠી અને અવેશ ખાનને એક-એક સફળતા મળી. જો આપણે જોઈએ તો, ગુજરાતે છેલ્લી 8 ઓવરમાં 60 રન બનાવ્યા અને 6 વિકેટ ગુમાવી દીધી.
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના CM મોહન યાદવ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વચ્ચે છાણ વિવાદને લઈને આમનેસામને આવી ગયા છે. તાજેતરમાં SP પ્રમુખ અખિલેશ યાદવે કન્નોજમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ગૌશાળામાં દુર્ગંધ આવે છે, જેના જવાબમાં મોહન યાદવે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું.
મોહન યાદવે કહ્યું હતું કે દેશમાં રહેતી જે કોઈ પણ વ્યક્તિ ગૌશાળામાં દુર્ગંધ કહીને ટિપ્પણી કરે છે, તેને દેશમાં રહેવાનો અધિકાર નથી. અખિલેશ યાદવએ કન્નૌજમાં કહ્યું હતું કે તેઓ (ભાજપ) દુર્ગંધ પસંદ કરે છે, તેથી ગૌશાળા બનાવી રહ્યા છે. અમે સુગંધ પસંદ કરીએ છીએ, એટલે અમે અતર પાર્ક બનાવી રહ્યા હતા.
મોહન યાદવે ઈંદોરમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં જ્યાં ગોપાલન સાથે સંકળાયેલા પરિવારની વ્યક્તિ એવી ટિપ્પણી કરે છે, તે શરમજનક છે. તેમણે એ પણ દાવો કર્યો કે ગાયના છાણથી આયુર્વેદિક ઔષધિઓ બની રહી છે અને તે કેન્સરને પણ હરાવી શકે છે. ઘણા લોકો હવે પોતાના બાળકોના જન્મદિવસ ગૌશાળામાં ઊજવે છે, કારણ કે ગૌશાળા એ શ્રેષ્ઠ સ્થાન છે.
તેમણે ગાયના છાણને “જીવનરૂપ અમૃત” ગણાવતાં કહ્યું હતું કે તેમાંથી બનેલી ખાતરથી ઊપજ સારી થાય છે. SP પ્રમુખે કનોજમાં ગાયના છાણને લઈને ટિપ્પણી કરી હતી.