નવી દિલ્હીઃ દેશમા ભરઉનાળામાં અનેક રાજ્યમાં હવામાનમાં ફેરફાર થયો છે. ગઈ કાલે સાંજે દિલ્હી- NCRમાં હળવો કમોસમી વરસાદ પડતાં લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે કમોસમી વરસાદ પડ્યો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટ વેવની આગાહી કરવામા આવી છે.
હવામાન વિભાગે આજે કુલ નવ રાજ્યો માટે કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રાજ્યોમાં કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કિમ, પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયાં સ્થળોએ ધૂળની આંધી આવવાની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કમોસમી વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે એટલે કે શુક્રવારે ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે 11 એપ્રિલે બિહારમાં ભારે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. 13 એપ્રિલે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે કમોસમી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ કરાં પણ પડી શકે છે. જ્યારે આજે પંજાબમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, કર્ણાટકમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં હીટવેવની આગાહી છે. 14થી 16 એપ્રિલ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં અને 16 એપ્રિલે પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં હીટ વેવ યથાવત રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, પૂર્વ ભારતના કેટલાક ભાગો અને ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. દેશના બાકીના ભાગોમાં તે સામાન્યની નજીક અથવા સામાન્યથી નીચે રહેશે.




છે. જયારે કોઈ અભણ દીકરા-દીકરીઓ, બાપ દાદાની પેઢી સાચવીને કરોડોમાં રમતાં હોય છે…એક સમયે,આપણે એક એવો યુગનો આરંભ કર્યો હતો કે જયારે દુનિયામાં સૌથી વધુ એમ્પ્લોયીસ ભારતીય હતાં. IT ક્ષેત્રે ભારતીયોની હરણફાળ દ્વારા મોટા ભાગની મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ ભારતીયો રહી ચુક્યા છે. પરંતુ ત્યારે હજુ પણ આપણા માટે કોઈ મલ્ટીનેશનલ કે યુનિકોર્ન કંપનીઓનું નિર્માણ કરવું એ આજ સુધી માત્ર એક સ્વપ્ન જ રહ્યું હતું. આજે પણ આપણે અંતરપ્રેન્યોર્સ ને બદલે એમ્પ્લોયી બનવાનું વધુ પસંદ કરીએ છીએ. અને એના માટે અત્યાર સુધી ઘણા કારણો જવાબદાર હતાં.







દાદા-દાદીઓએ અને માતા-પિતાઓએ આપણી ભાવિ પેઢીને આપેલો આ કાનમંત્ર મને પણ મળ્યો હતો અને આજ સુધી તેનો અનુભવ હું લઈ રહી છું. અમારા બેડરૂમમાં ઍલાર્મ ક્લૉક નથી. મોબાઈલે આપણી પર કબજો જમાવ્યા પછી સુધીરના મોબાઈલ પર તેણે સાડાપાંચનું ઍલાર્મ સૅટ કરી રાખ્યું છે. `ઈન કેસ.’ સુધીર એટલે અમારા ઘરની કાળજીવાહક સરકાર, તેથી `ઈન કેસ જાગી નહીં જવાયું તો’તે માટે તેનો આ એક સાવધાનીનો ઉપાય છે. અર્થાત ઍલાર્મ વાગવાના બહુ અગાઉથી અમારો દિવસ શરૂ થયેલો હોય છે. આપોઆપ જાગી જવાય છે. ભગવાન પર વિશ્વાસ મૂકેલો હોય છે ને. આથી કે કેમ ઍલાર્મ લગાવવાનો વિચાર આવતાં જ મારું એક મન બીજા મનને પૂછવા લાગે છે, `તારો પોતાની પર વિશ્વાસ નથી? તને ઍલાર્મની જરૂર શા માટે પડે છે? તને જો તારા સવારે જાગવાની, એટલે કે, નૈસર્ગિક રીતે જાગવાની ખાતરી નહીં હોય તો તું ટીમને શું ખાક ખાતરી આપશે? પોતાની પર નહીં પણ ભગવાન પર તો વિશ્વાસ રાખ.’ આ દ્વંદ્વયુદ્ધ ત્યારે જ અટકે છે જ્યારે હું નક્કી કરી નાખું છું કે, `ઍલાર્મ નથી લગાવવો, હું જાગી જઈશ.’ અને નક્કી થયા પ્રમાણે જાગી જાઉં છું. ક્યારેક ઍલાર્મ લગાવવો પડે છે અને હું પણ તે લગાવું છું.
અમારી ટુર્સ પર જો કે `પર્યટકોને મૉર્નિંગ ઍલાર્મ આપવું’ એ મહત્ત્વની બાબત છે અને તેનું કારણ ટાઈમ ડિફરન્સ છે. વિમાન પ્રવાસની ખટપટને લીધે બૉડી ક્લૉકની ઐસી-તૈસી થઈ જાય છે. `મને જૅટ લેગ થતું નથી’ એવો મારો અભિમાન મારી પહેલી USAની મુલાકાતમાં અને પહેલી ઓસ્ટ્રેલિયાની મુલાકાતમાં ચકનાચૂર થઈ ગયો હતો તે હજુ યાદ છે. આ બંને વખત હું અને નીલ અમે બંને માતા-પુત્ર ગયાં હતાં અને બંને ઠેકાણે પહેલાં જ દિવસે અમે અમારા ટુર પ્રોગ્રામની એવી વાટ લગાવી દીધી કે પૂછશો જ નહીં. તે સમયે શાણપણ આવ્યું કે અમસ્તા જ હોશિયારી મારવામાં કોઈ અર્થ નથી. જૅટ લૅગ લાગે છે, લાગી શકે છે. અર્થાત તે લાગવાનો નહીં હોય તો થોડી તૈયારી કરીને રાખવી પડે છે. પૂર્વ બાજુના દેશોમાં જ્યાં આપણાથી અગાઉ સવાર થાય છે એવા જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, હોંગકોંગ, સિંગાપોર દેશોમાં જતી વખતી કમ સે કમ એક મહિના પૂર્વે વહેલા જાગી જવાની આદત પાડવી જોઈએ. ભારતના અને આપણે જવાના હોઈએ તે દેશમાં ટાઈમ ડિફરન્સ કેટલો છે તે જોઈને, ત્યાં જવા પૂર્વે એક મહિનો રોજ પંદર-પંદર મિનિટ વહેલા જાગી જવાનું અને જવાના એક અઠવાડિયા પૂર્વે તે દેશનો ટાઈમ જો આપણા બૉડી ક્લૉક સાથે એડજસ્ટ કરી શકાય તો નિશ્ચિત જ આપણે જૅટ લૅગ પર કંટ્રોલ કરી શકીએ છીએ. સવારે વહેલા જાગનારને પૂર્વ બાજુના દેશોના સમય સાથે ઍડજસ્ટ કરવાનું મુશ્કેલ પડતું નથી. ઊલટું પશ્ચિમ બાજુના દેશોમાં, એટલે કે, દુબઈ મિડલ ઈસ્ટર્ન અથવા યુરોપિયન દેશો બાજુ જવાના એક મહિના પૂર્વે થોડું-થોડું આળસી બનવાની શરૂઆત કરવાની. રાત્રે મોડેથી સૂવાનું અને સવારે મોડેથી ઊઠવાનું. પર્યટકોનો વિચાર કરીએ તો વધુમાં વધુ પર્યટકો માર્ચથી ઓક્ટોબર દરમિયાન પ્રવાસ કરે છે. તે સમયે,એટલે કે, માર્ચના છેલ્લા અઠવાડિયાથી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી આપણા અને મોટા ભાગના બધા યુરોપિયન દેશોમાં સાડા ત્રણ કલાકનો અથવા થોડું આપણી બાજુના, એટલે કે, ગ્રીસ ટર્કી દેશોમાં અઢી કલાકનો ફરક હોય છે. શિયાળાના મહિનાઓમાં આ ફરક સાડા ચાર અને સાડા ત્રણ કલાકનો થઈ જાય છે. યુ.કે., લંડનની બાબતમાં તો સાડા પાંચ અને સાડા ચાર કલાક થઈ જાય છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેનો વિચાર કરીને એક મહિના અગાઉથી જો આપણી બૉડીને આદત પાડીએ તો ત્યાં ગયા પછી તે વાતાવરણ સાથે સુમેળ સાધવાનું થોડું આસાન બને છે. ટૂંકમાં સવારે વહેલા જાગનારા પૂર્વાભિમુખ લોકોને પૂર્વ બાજુના દેશોમાં જવાનું સગવડદાયી લાગે છે, જ્યારે સવારે મોડેથી જાગનારા પશ્ચિમાભિમુખ લોકોને પશ્ચિમ બાજુના દેશોમાં જવાનું સારું લાગે છે. વધુ એક બાબત વિમાન પ્રવાસમાં પોતાને ઍડજસ્ટ કરવાની હોય છે. આપણે જે દેશમાં ઊતરીશું તે દેશમાં દિવસ હોય તો વિમાનમાં મસ્તઊંઘ કાઢવાની. ઍરહોસ્ટેસને કહેવાનું`ડુ નૉટ ડિસ્ટર્બ પ્લીઝ.’ ઊલટું આપણે જે દેશમાં જવાના હોઈએ તે દેશમાં જો આપણે રાત્રે પહોંચવાનાં હોઈએ તો વિમાનમાં ઊંઘવાનું નહીં. એકાદ પુસ્તક વાંચવાનું, ફિલ્મ જોવાની.
અગાઉ મારી સાથે અનેક વાર પદ્માતાઈ વાઘ પર્યટક તરીકે અનેક દેશોમાં આવતાં. તેઓ ન્યૂઝ પેપરમાં વાંચવાનું રહી ગયું હોય તેની કાપલીઓ લઈને આવતાં અને આવા પ્રવાસમાં તે વાંચી કાઢતાં. એકંદરે વિમાન પ્રવાસમાં જાગતા રહેવાનું હોય તો પોતાની વ્યવસ્થા પોતે જ કરી રાખવી જોઈએ. કહેવાનો મુદ્દો એ છે કે પર્યટકો માટે મૉર્નિંગ ઍલાર્મ મહત્ત્વનો હોય છે અને અમારા ટુર મેનેજર્સ તેની કાળજી રાખે છે. ઍલાર્મ અસ્તિત્વમાં નહોતું ત્યારે લોકો આ જ રીતે ભગવાન પર વિશ્વાસ રાખતા, સૂર્યોદય પૂર્વે જાગી જતા અથવા રાત્રે ભરપૂર પાણી પીને સૂઈ જતા, જેથી સવારે લઘુશંકા કરવા જવા માટે જાગી જવાતું. આમ છતાં જનરલી `સવારે અમુક સમયે તે સમયે લોકો કઈ રીતે જાગી જતા વારુ’ આ ગૂગલને પૂછતાં જાણવા મળ્યું કે ઍલાર્મ ક્લૉક પહેલી વાર અસ્તિત્વમાં 1787માં આવ્યો. લેવી હચિન્સ નામે અમેરિકન નાગરિકે સવારે કામે જવાનું હોવાથી પોતાના માટે ઍલાર્મ બનાવ્યું. જો કે તે ફક્ત સવારે ચાર વાગ્યે જ વાગતું. તે પછી અનેક વર્ષ બાદ, એટલે કે, 1847માં ફ્રેન્ચ ઈન્વેન્ટર એન્ટોન ડિયરે પ્રથમ મેકેનિકલ ઍલાર્મ ક્લૉક બનાવ્યું અને તેનું પેટન્ટ લીધું. તે પૂર્વે સેંકડો વર્ષ એસ્ટ્રોનોમિકલ ક્લોક, વોટર ક્લોક, ટાઉન સ્ક્વેરમાંની બેલ, ફેક્ટરી વ્હિસલ્સ અથવા જેને આપણે ભૂંગળા કહેતા તે બધાનો ઉપયોગ લોકો કરતા હતા. અમારા નાનપણમાં આ ભૂંગળા વાગતાં અમે સાંભળ્યાં છે. ભૂંગળું વાગે એટલે કેટલા વાગ્યા છે તે અમે એકબીજાને કહેતાં હતાં. ફ્રેન્ચમેને પેટન્ટ લીધું, પણ ઍલાર્મ ક્લૉકનું માસ પ્રોડકશન 1876માં અમેરિકન ઈન્વેન્ટર સેથ થોમસની કંપની દ્વારા શરૂ કરાયું. ઈન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન પછી `કામે સમયસર જવાનું’ ફરજિયાત બન્યું તેમજ બીજા મહાયુદ્ધમાં સૈનિકોએ પણ સમયસર જાગવાનું કમ્પલ્સરી બની ગયું અને ઍલાર્મ ક્લૉક ઈન્ડસ્ટ્રી ફૂલવા-ફાલવા લાગી. હવે તો અલગ અલગ અવાજોના ઍલાર્મ આવ્યાં છે. જો કે મને લાગે છે કે ઍલાર્મ સિવાય જાગી શકાવું જોઈએ.
ઍલાર્મ લગાવ્યા પછી તો કોઈ પણ જાગી શકે છે પણ જે સમયે એકાદ કામથી, એકાદ પ્રોજેક્ટથી, એકાદ ધ્યેયથી આપણે બંધાયેલા હોઈએ ત્યારે આપો-આપ જાગી જવાય છે. રાતભરની ઊંઘથી-આરામથી શરીર ચાર્જ થાય છે અને મન `ચલો, આજ ઔર અચ્છા, કલ સે બઢકર બેહતર કુછ કરતે હૈ,આગે જાતે હૈ’ કહીને આપણે ઉત્સાહમાં જાગી જઈએ છીએ. સવારે જાગ્યા પછી ગાદલામાંથી તુરંત ઊઠવા જેવું લાગતું હોય તો `વી આર ઑન ધ રાઈટ ટ્રેક. વી રિયલી લૂક ફોર્વર્ડ ટુ સમથિંગ મોર મિનિંગફુલ’ એવું કહેવામાં કોઈ વાંધો નથી. આપણે પોતાને તપાસવાના. એટલે કે, ઍલાર્મ નહીં લગાવતાં જાગી શકાવું જોઈએ. દવા નહીં લેતાં તબિયત સારી રહેવી જોઈએ (અમુક બીમારીઓ અપવાદ છે), લાફિંગ ક્લબના મેમ્બર બન્યા વિના મન મૂકીને હસતાં આવડવું જોઈએ. `ટુ બી ઑર નૉટ ટુ બી’ નું યુદ્ધ નહીં થતાં મોર્નિંગ વૉક પર જઈ શકાવું જોઈએ. ગરમ પાણી, ચા એવી કોઈ પણ બ્રાઈબ નહીં આપતાં સવારે પેટ સાફ થવું જોઈએ, ટેન્શન વિના, તાણ-તણાવ વિના પ્રગતિ કરી શકાવી જોઈએ, સહજ રીતે નીતિ-નિયમોનું પાલન કરી શકાવું જોઈએ. બહુ મહેનત નહીં લેતાં માનસિક અને શારીરિક સંતુલન રાખી શકાવું જોઈએ, ભગવાને એક સુંદર જીવન આપણને બહાલ કર્યું છે તેનું સૌંદર્ય વધુ વધારવા અને ખીલવતા આપણને આવડવું જોઈએ.
નિષ્ણાંતોના મતે અવ્યવસ્થિત ખોરક જ આ પ્રકારના રોગ થવાનું મૂળભૂત કારણ બની શકે છે. પેકેજ્ડ ફૂડના વધતા વપરાશ વચ્ચે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી રહી છે. આવા ખાદ્ય પદાર્થોમાં સુગર અને ફેટનું પ્રમાણ કેટલું હોય છે, તેની જાણકારી ગ્રાહકો સુધી પહોંચે તે આજના સમયની મોટી જરૂરિયાત છે. આ સાથે જાણકારી મેળવવાની જાગૃતતા ગ્રાહકોમાં આવવી તે પણ મોટો પડકાર છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા દાખવી છે અને ત્રણ મહિનામાં પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવા માટે નિયમો ઘડવાનો આદેશ આપ્યો છે.
કોઈ પણ ફૂડ પેકેજ્ડમાં “શૂગર ફ્રી” લખ્યું હોવા છતાં તેમાં અલગ અલગ નામની ખાંડ છૂપાયેલ હોય છે, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, કોર્ન સિરપ. આ ઉપરાંત “0% ટ્રાન્સ ફેટ” હોય તો પણ પાર્શિયલી હાઈડ્રોજેનેટેડ ઓઈલના રૂપે ફેટ હોય છે, જે હૃદય માટે ખૂબ ખરાબ હોય છે. કેટલાક પેકેજ્ડમાં રંગ અને ફ્લેવર તો લાજવાબ લાગે છે, પણ તે કેમિકલથી બનેલા હોય છે, જે ત્વચા, લિવર અને દિમાગ પર અસર કરે છે. આ ઉપરાંત પામ ઓઈલ, સસ્તું હોય છે, તેથી બજારના પેકેજ્ડમાં વધારે તે જ ઓઈલ વપરાઈ છે, પણ તેનાથી શરીરમાં સોજો અને કોલેસ્ટ્રોલ વધી જવાની બીમારી થવાની સંભાવના રહે છે. ઘણી વખત વેપાર વધારવા માટે પેકેજ્ડમાં પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં લાંબા ગાળે ઝેરનું કામ કરે છે.
સુપ્રીમ કોર્ટનો પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો આદેશ એક સકારાત્મક પગલું છે. ગુજરાત સહિત ભારતમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદયરોગના કેસ વધી રહ્યા છે અને આનું મુખ્ય કારણ અવ્યવસ્થિત ખોરાક છે. આ નિયમથી ગ્રાહકોને જાણકારી મળશે, પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; જાગૃતિ ફેલાવવી અનિવાર્ય છે. આ માટે આપણે શાળાઓ, કોલેજો અને ગામડાઓમાં અભિયાન ચલાવીને લોકોને લેબલ વાંચવાનું અને સ્વસ્થ આહારનું મહત્ત્વ સમજાવવું જોઈએ. સોશિયલ મિડીયા પર વિડીયો અને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા યુવાનો સુધી પહોંચી શકાય. સરકારે પણ ખાદ્ય ઉદ્યોગો પર કડક નિયંત્રણ લાવવું જોઈએ અને અતિશય ખાંડ-ચરબીવાળા ઉત્પાદનો પર ટેક્સ વધારવો જોઈએ. સ્થાનિક સ્તરે સ્વસ્થ ખોરાકના વિકલ્પોને પ્રોત્સાહન આપવા બજારોમાં જાગૃતિ મેળાઓ યોજાય. નાના વેપારીઓને પણ સામેલ કરીને પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું ઉત્પાદન વધારવું જોઈએ. આ નિયમનો અમલ થાય તેની ખાતરી માટે સમાજે સરકાર પર દબાણ રાખવું પડશે. જાગૃતિ અને પગલાંથી જ આપણે આરોગ્યની આ કટોકટીને રોકી શકીશું.
પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ ફરજિયાત થવાથી ઘણો ફાયદો થશે. આજે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ ઘરમાં લાવીએ છીએ, પણ તેમાં શું છે તેની પૂરી જાણકારી નથી હોતી. સુપ્રીમ કોર્ટનો આદેશ લોકોને સભાન કરશે અને અમને પરિવાર માટે સ્વસ્થ ખોરાક પસંદ કરવામાં મદદ કરશે. પણ માત્ર લેબલથી કામ નહીં ચાલે; ગ્રાહકોમાં જાગૃતિ પણ જરૂરી છે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પરંતુ ગૃહિણીઓએ પણ લેબલ વાંચીને સમજવાની આદત રાખવી પડશે. આ નિયમથી બાળકો અને મોટેરાંને અખાદ્ય ખોરાકથી બચાવી શકાશે, જે આરોગ્ય માટે શ્રેષ્ઠ પગલું છે.
પેકેજ્ડ ફૂડ પર સુગર અને ફેટની માત્રા દર્શાવતા લેબલ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ ખૂબ જરૂરી છે. આજના યુવાનો, જેમાં હું પણ સામેલ છું, નાનપણથી જ ચિપ્સ, ચોકલેટ, ફાસ્ટ ફૂડ જેવી પેકેટની વસ્તુઓ ખાઈને મોટા થયા છે. પણ આની અસર ભવિષ્યમાં સ્થૂળતા, ડાયાબિટીસ કે હૃદયરોગ તરીકે સામે આવી શકે છે, જે ચિંતાજનક છે. આ નિયમથી અમને ખબર પડશે કે અમે શું ખાઈએ છીએ, અને ખોટી આદતો સુધારવાની તક મળશે. ખાદ્ય ઉદ્યોગો પારદર્શી બને તો સારું, પણ યુવાનોએ પણ જવાબદારી લઈને સ્વસ્થ વિકલ્પો તરફ વળવું પડશે. માત્ર લેબલ નહીં, જાગૃતિ અને સંયમથી જ આપણે ભવિષ્યમાં બીમારીઓથી બચી શકીશું.