અમદાવાદ: ચાંદખેડામાં AMTS બસ સ્ટેન્ડ આગળ XUV કાર અને AMTS બસનો અકસ્માત થયો. જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનું ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે AMTSની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
જે દેશમાં કામસૂત્ર લખાયું છે એ દેશમાં પ્રેમ અને કામને લગતી નકારાત્મક માન્યતાઓ જોઇને સમજાય છે કે જે કોઈ વિદેશી આક્રમણો થયા એની અસર આઝાદ થયા પછી પણ ગઈ નથી. પ્રેમ એ જીવનની જરૂરીયાત છે. શું કોઈ વ્યક્તિ પ્રેમ વગર જીવી શકે? મારા માટે તો હવા પાણી અને ખોરાકની માફક જ માણસને જીવવા માટે પ્રેમ પણ જોઈએ છે. જે ક્ષણે વ્યક્તિને ખબર પડે છે કે એને કોઈ પ્રેમ નથી કરતુ અને એ કોઈને પ્રેમ કરી નથી શકતો ત્યારે એના મૃત્યુ તરફનું પ્રયાણ શરુ થઇ જાય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપણા દેશમાં એક જ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. પણ આપણે પ્રેમ અને કામ બંનેને સમજી શક્યા જ નથી. સભાનતા શબ્દ જીવવા માટે જરૂરી છે. જે આપણા જીવનમાં ખૂટે છે. મીટીંગ પૂરી થયા પછી પ્લાસ્ટીકના કપ અને ડીશો જ્યાં ત્યાં વેરીને ઘરે જવાની માનસિકતા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: આ દુનિયા કેટલી બીભત્સ બની રહી છે. અમે ફ્લેટમાં રહીએ છીએ. અમારી સામે જે લોકો રહે છે એમનું ઘર વાસ્તુ આધારિત છે એવું બધા કહે છે. અમારા દરવાજા અને રસોડાની બારીઓ સામસામે આવે છે. જો કે રસોઈ કરતી વખતે કોઈ દેખાય નહિ. એટલું સારું છે. અમારા ઘરમાં બધું બરાબર છે પણ એ લોકો થોડા ભગવાનમાં વધારે માને છે.
થોડા સમય પહેલા એવી પણ વાત આવી હતી કે એ પતિપત્નીને ફાવતું નથી. પણ બે દિવસ પહેલા એમના રસોડામાં કોઈ અલગ ઘટના થતી હોય એવું લાગ્યું. એટલે મેં પ્લેટફોર્મ પર ચડીને બારીમાંથી જોયું તો મને તો આઘાત જ લાગી ગયો. એ ભાઈએ એમની પત્નીને જાહેરમાં ચુંબન આપતા હતા. આ તો ઠીક છે કે મેં જોયું, મારા પતિએ જોયું હોત તો? વાસ્તુ આધારિત મકાનમાં પણ આવી વિકૃત માનસિકતા આવે એ ખોટું ન કહેવાય? આવી રીતે પોતાની પત્નીને ચુંબન આપીને એ સાબિત શું કરવા માંગે છે? મને ખરેખર આઘાત લાગ્યો છે. મને તો વાસ્તુશાસ્ત્રમાંથી વિશ્વાસ પણ ઉઠી ગયો છે. જો એ સકારાત્મક વિચાર આપતું હોય તો આવું શા માટે? તમે તો વાસ્તુ- પ્રેમ અને કામ નામનું પુસ્તક લખ્યું છે. તો તમે તો આનો જવાબ આપી જ શકશો.
જવાબ: બહેન શ્રી. આપના કહેવા પ્રમાણે આપની સોસાયટીમાં અન્યના જીવન વિશેની પંચાત વધારે હોય એવું લાગે છે. સામાન્ય રીતે આવા લોકો અન્યના જીવનના સારા પાસાથી રાજી નથી થતા. પણ એમને અન્યના જીવનની સમસ્યાઓની ચર્ચાઓ વધારે ગમે છે. વળી કોઈ સુખી હોય તો એની ચર્ચા કરવામાં મસાલો નથી ભળતો એટલે મજા નથી આવતી. સહુથી પહેલા તો આ સ્વભાવ બદલો.
હવે આપના મૂળ સવાલ પર આવીએ. તમારી આ પરિસ્થિતિમાં અપેક્ષા શું હતી? કારણ કે એમના ઘરમાં ડોકિયું કરવા તમે રસોડાના પ્લેટફોર્મની એવી બારી સુધી ગયા જ્યાંથી સરળતાથી એમના રસોડામાં દેખાતું નથી. જો એમની વચ્ચે ઝગડો થતો હોત તો તમને મજા આવત? કે પછી કશું અજુગતું થતું હોત તો મજા આવત? એક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની પત્નીને ચુંબન આપે છે એમાં ખોટું શું છે? તમારા પતિ કોને ચુંબન આપે છે? કે પછી તમારા માટે એ પ્રક્રિયા નકારાત્મક છે, એટલે તમે એના વિરોધી છો? ચુંબન એ એક સહજ અભિવ્યક્તિ છે. અને પોતાની પત્નીને ચુંબન આપવું એ પણ સહજતા છે.
ભારતીય વાસ્તુ સકારાત્મક જીવન આપે છે. તેથી સહજતા હોઈ શકે. બે અલગ પરિવારમાંથી આવેલી વ્યક્તિઓ વચ્ચે ચર્ચા થાય એ પણ સહજ છે. ક્યારેક કશુક ન ગમે તે પણ સહજતા છે. બે વ્યક્તિઓ વચ્ચે અભિવ્યક્તિ જરૂરી છે. જો એ જ નહિ રહે તો સાથે રહેવાનો અર્થ શું રહેશે? રિસામણા, મનામણા, લાગણી, પ્રેમ આ બધું જ સહજીવનનો ભાગ છે. વળી ઈશ્વરમાં માનવું એ પણ સહજતા છે. તમારા મનમાં તો એના માટે પણ નકારાત્મકતા છે. આપને આપના ઘરમાં વાસ્તુની સ્થિતિ સમજવાની સલાહ છે. બની શકે ત્યાર બાદ તમને તમારા જીવનમાં રસ ઉભો થાય. “વાસ્તુ- પ્રેમ અને કામ” પુસ્તક વાંચી લેશો તો પણ ઘણા સવાલોના જવાબ મળી જશે.
સુચન: સકારાત્મક ઇશાન અને નૈરુત્ય સકારાત્મક અભિવ્યક્તિ આપે છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે, જેમાં ઉત્તરાખંડના ચાર પવિત્ર ધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવામાં આવે છે. દર વર્ષે ઉત્તરાખંડ સરકાર આ યાત્રાનું આયોજન કરે છે. જે થોડા મહિનાઓ સુધી ચાલે છે અને હિમવર્ષા શરૂ થતા બંધ થાય છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જેના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ વખતે યાત્રામાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે દરેક યાત્રીએ જાણવા જરૂરી છે.
આ વર્ષે ચારધામ યાત્રામાં યુટ્યુબર્સ અને વીડિયો રીલ બનાવનારાઓને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં મળે. કેદારનાથ-બદ્રીનાથ પાંડા સમાજે આ નિર્ણય લીધો છે કે રીલ નિર્માતાઓ અને વીડિયો કન્ટેન્ટ ક્રિએટર્સને મંદિરમાં દાખલ થવા દેવામાં નહીં આવે. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન વિના પરત ફરવું પડશે. આ નિર્ણય વિશે સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરાઈ છે. ગયા વર્ષે રીલ બનાવવાના કારણે મંદિર પરિસરમાં અવ્યવસ્થા ફેલાઈ હતી. ખાસ કરીને કેદારનાથ ધામમાં, જે સમુદ્ર સપાટીથી 12 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે, રીલ બનાવવા માટે ઢોલનો ઉપયોગ થયો હતો. આવા ધ્વનિ પ્રદૂષણથી પર્યાવરણને નુકસાન થયું હતું. ઘણા લોકો આધ્યાત્મિક અનુભવ મેળવવાને બદલે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા રીલ બનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. આથી આ વખતે કેમેરા ચાલુ કરવા પર પણ રોક લગાવવાની વાત ચાલી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસરા આ વર્ષે ચારેય ધામમાં VIP દર્શનની વ્યવસ્થા પણ બંધ રહેશે. કેમ કે તેમણું માનવું એવું છે કે, દર્શન માટે પૈસા લેવા એ ભગવાનની પવિત્રતા સામે અન્યાય છે. બધા યાત્રીઓ સમાન છે અને દર્શન માટે એક જ લાઇનમાં ઊભા રહેવું જોઈએ. યાત્રાની ધાર્મિક ભાવનાને જાળવવી રાખવા માટે આ નિર્ણય લીઘો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વર્ષે 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ચારધામ યાત્રા શરૂ થશે. સૌપ્રથમ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે, જ્યારે 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, અને યાત્રીઓને આ નવા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આ નવા નિયમો યાત્રાની પવિત્રતા અને પર્યાવરણની સુરક્ષા માટે લાગુ કરાયા છે, જેથી શ્રદ્ધાળુઓને શાંતિપૂર્ણ અનુભવ મળી શકે.
ઈજિપ્તના હર્ગહાડા શહેર નજીક રાતા સમુદ્રના કિનારે આજે સવારે એક ટુરિસ્ટ સબમરીન ડૂબી જતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે, જ્યારે નવ અન્ય ઘાયલ થયા હોવાની શંકા છે. સ્થાનિક મીડિયા અનુસાર, દુર્ઘટના બાદ બચાવ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી 29 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સબમરીનનું નામ ‘સિંદબાદ’ હતું, જેમાં 44 પ્રવાસીઓ સવાર હતા.
આ ઘટનાની ગંભીરતાને જોતાં બચાવ કામગીરી માટે 21 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સબમરીનમાં સવાર તમામ 44 પ્રવાસીઓ વિવિધ દેશોના હતા, જેઓ રાતા સમુદ્રની ઊંડાઈમાં કોરલ રીફ અને રંગબેરંગી ટ્રોપિકલ માછલીઓનું અવલોકન કરવા આવ્યા હતા. આ સબમરીન 72 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકવાની ક્ષમતા ધરાવતી હતી. જોકે, અચાનક પાણીમાં ગરકાવ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક તપાસમાં મિકેનિકલ ખામીને આ દુર્ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે, અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
આશ્ચર્યજનક રીતે, ચાર મહિના પહેલાં પણ રાતા સમુદ્રમાં એક ટુરિસ્ટ યાટ ડૂબી હતી. તે વખતે સ્થાનિક સત્તાવાળાઓએ દરિયામાં તોફાની સ્થિતિની ચેતવણી જારી કરી હતી. તે દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 33 લોકોને બચાવી લેવાયા હતા. આ બંને ઘટનાઓએ રાતા સમુદ્રમાં પ્રવાસન સંબંધિત સુરક્ષા માપદંડો પર સવાલો ઉભા કર્યા છે. ‘સિંદબાદ’ સબમરીન હર્ગહાડાના લોકપ્રિય પ્રવાસન સ્થળે નિયમિત રીતે સફર કરતી હતી. આ ઘટના બાદ સ્થાનિક અધિકારીઓએ તપાસ શરૂ કરી છે, જેમાં યાંત્રિક નિષ્ફળતા ઉપરાંત અન્ય સંભવિત કારણોની પણ ચકાસણી કરવામાં આવશે. હર્ગહાડા ઈજિપ્તનું એક મુખ્ય પ્રવાસન કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ સમુદ્રની સુંદરતા નિહાળવા આવે છે. આ દુર્ઘટનાએ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ પર પણ અસર કરવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં નશીલા પદાર્થોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક ગુપ્ત ડ્રગ્સ લેબ પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં NCBની ટીમે 46.8 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, જેની બજાર કિંમત લગભગ 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી. NCBના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહીની શરૂઆત મુંબઈના ભાંડુપ વિસ્તારમાંથી થઈ. ટીમે એક મકાનમાં દરોડો પાડ્યો, જ્યાં શોધખોળ દરમિયાન એક પ્લાસ્ટિકના કન્ટેનરમાં છુપાવેલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. તપાસમાં આ જથ્થો મેફેડ્રોન હોવાનું સ્પષ્ટ થયું. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે આ નશીલો પદાર્થ મહાડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક લેબમાં તૈયાર કરાયો હતો.
પકડાયેલા બે આરોપીઓમાંથી એકની સામે પહેલાંથી જ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થ (NDPS) અધિનિયમ હેઠળ બે કેસ નોંધાયેલા છે. આ આરોપી સામે રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI)એ પણ કેસ દાખલ કર્યો હતો. તે જામીન પર બહાર હતો અને આ ડ્રગ્સ નેટવર્કમાં સક્રિય હતો. આરોપીઓની પૂછપરછ બાદ NCBએ મહાડની લેબોરેટરી પર દરોડો પાડ્યો અને તેને સીલ કરી દીધી. આ દરોડામાં રસાયણો પણ જપ્ત કરાયા. આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધાયો છે. અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી હોઈ શકે છે, જેની તપાસ હાથ ધરાઈ છે.
મહારાષ્ટ્રમાં ડ્રગ્સની સમસ્યા ગંભીર બની રહી છે. આ પહેલાં ડિસેમ્બર 2024માં થાણેમાં બે અલગ-અલગ ઓપરેશનમાં 11 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન અને કોડીન સીરપ જપ્ત થયું હતું. થાણે ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી નાર્કોટિક્સ સેલે ખોનીગાંવના એક શખ્સ પાસેથી 60.3 ગ્રામ મેફેડ્રોન (કિંમત 7.43 લાખ) અને મુંબ્રાના નવાઝ પવલે પાસેથી ડ્રગ્સ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી. ડિસેમ્બરમાં જ ઉલ્વે વિસ્તારમાં પોલીસે શંકાસ્પદ 39 વર્ષીય અને 45 વર્ષીય બે શખ્સોની તપાસ કરી, જેમની પાસેથી પ્લાસ્ટિકના બે પેકેટમાં 71.3 ગ્રામ મેફેડ્રોન મળ્યું. આમાં એક આરોપી ફૂડ ડિલિવરી બોય હતો, જ્યારે બીજો ફાર્મહાઉસની સંભાળ રાખતો હતો. આ ઘટનાઓ રાજ્યમાં ડ્રગ્સના વધતા પ્રભાવને ઉજાગર કરે છે.
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બહાર નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ તેમના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજ્યું. આ દરમિયાન NSUIના કાર્યકરોએ રસ્તો રોકવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમની અટકાયત કરી. આ કાર્યવાહી વખતે કાર્યકરો અને પોલીસ વચ્ચે હળવું ઘર્ષણ થયું, જેમાં પોલીસે બળપૂર્વક કાર્યકરોને ઉઠાવીને વાહનોમાં ખસેડ્યા. NSUIના પ્રમુખે આ મામલે જણાવ્યું કે, “સરકાર વર્ષોથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક કરવામાં નિષ્ફળ રહી છે. અમે આ શિક્ષકોના સમર્થનમાં ઉભા છીએ અને તેમની માગણીઓને ટેકો આપવા માટે આ પ્રદર્શન કર્યું. પરંતુ પોલીસે શાંતિપૂર્ણ વિરોધને દબાવવા અન્યાયી બળનો ઉપયોગ કર્યો.” તેમણે ચેતવણી આપી કે જો સરકારે શિક્ષકોની કાયમી ભરતી ન કરી, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા યોજાયેલી સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT)માં 5,000 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી. આમાંથી BPE, BPED, અને MPED-MPE જેવી લાયકાત ધરાવતા 1,700 ઉમેદવારો પાસ થયા, જ્યારે 1,465 ખેલ સહાયકોનું રિન્યુઅલ થયું. છતાં, હાલમાં 3,100થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. આંદોલનકારીઓની માગ છે કે કરાર આધારિત નોકરીઓ બંધ થાય અને કાયમી શિક્ષકોની ભરતી તાત્કાલિક શરૂ કરાય. વ્યાયામવીરોનું કહેવું છે કે રાજ્યમાં ધોરણ 1થી 8 સુધીની શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થતી જ નથી. તેમણે જણાવ્યું, “અમે એક વર્ષથી સરકારને રજૂઆતો કરીએ છીએ, અનેક અરજીઓ આપી, પરંતુ કોઈ પરિણામ નથી મળ્યું. આથી અમે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છીએ, જેથી પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકો નિયુક્ત થાય.”
વ્યાયામ શિક્ષકોએ આક્ષેપ કર્યો કે, “ગુજરાતમાં ખેલ સહાયકોને છૂટા કરી દેવાયા છે. રિન્યુઅલ માટે ફરીથી ફોર્મ ભરવા પડે છે અને મેરિટ આવે ત્યાં સુધી બે મહિના રાહ જોવી પડે છે. ઉપરાંત, શિયાળા અને ઉનાળાના વેકેશન દરમિયાન બે મહિનાનો પગાર મળતો નથી. આમ, વર્ષમાં માત્ર 7-8 મહિનાનો જ પગાર મળે છે, અને તેમાં પણ ચૂકવણીમાં વિલંબ થાય છે.” આ સમસ્યાઓએ આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું છે. આ ઘટનાઓ દર્શાવે છે કે વ્યાયામ શિક્ષકોની માગણીઓ માત્ર નોકરીની સ્થાયીતા પૂરતી સીમિત નથી, પરંતુ તેમાં આર્થિક સુરક્ષા અને શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા પણ સામેલ છે. NSUIના સમર્થનથી આ મુદ્દો હવે રાજકીય રંગ પણ લઈ રહ્યો છે.
ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગણી સાથે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ગત 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થઈ નથી, અને સરકારે હાલની કરાર આધારિત નીતિ બંધ કરીને કાયમી ધોરણે ભરતી હાથ ધરવી જોઈએ. આ માગણીઓને લઈને 27 માર્ચ ગુરુવારે વ્યાયામ વીરોએ ગાંધીનગરમાં PTના દાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો.
ગાંધીનગરમાં 500થી વધુ વ્યાયામ શિક્ષકો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયકની ભરતી રદ કરીને કાયમી નિમણૂકની માગણી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે. બુધવારે (26 માર્ચ, 2025) તેઓએ વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાયતમાં લીધા. આજે ગુરુવારે તેઓએ PTના દાવ કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો. આ દરમિયાન “કરાર પ્રથા બંધ કરો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, હમારી માગે પૂરી કરો” જેવા નારા લગાવતા તેઓ કસરત કરતા જોવા મળ્યા.
વ્યાયામ શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) યોજી હતી, જેમાં 5,000 જગ્યાઓ માટે BPE, BPED, MPED-MPE જેવી લાયકાત ધરાવતા 1,700 ઉમેદવારો પાસ થયા હતા. હાલ 1,465 ખેલ સહાયકોનું રિન્યુઅલ થયું છે, પરંતુ 3,100થી વધુ જગ્યાઓ હજુ ખાલી પડી છે. આંદોલનકારીઓની માગ છે કે કરાર આધારિત ભરતીને બદલે તાત્કાલિક કાયમી નિમણૂક કરવામાં આવે. વિરોધ કરતા શિક્ષકોનો આક્ષેપ છે કે રાજ્યમાં ધોરણ 1થી 8માં વ્યાયામ શિક્ષકોની ભરતી જ થતી નથી. તેઓએ ગયા એક વર્ષથી સરકારને રજૂઆતો કરી છે અને અનેક અરજીઓ આપી છે, પરંતુ કોઈ પરિણામ ન મળતાં તેઓ ગાંધીનગરમાં રેલી અને આંદોલનનો રસ્તો અપનાવી રહ્યા છે. તેઓની માગ છે કે પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરવામાં આવે. આંદોલન દરમિયાન વ્યાયામ વીરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી છે. વિધાનસભા તરફની કૂચ દરમિયાન પોલીસે તેમને ઢસડીને વાહનોમાં નાખી અટકાયત કર્યા હતા, જેનાથી આંદોલન વધુ તીવ્ર બન્યું છે.