
BIG NEWS : CM યોગીના વિમાનનું આગ્રામાં ઈમરજન્સી લેન્ડિંગ
ઉત્તરપ્રદેશના આગ્રામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં આગ્રામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં ટેકનિકલ ખામી હોવાના પગલે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. સીએમ યોગી માટે દિલ્હીથી બીજું વિમાન મંગાવવામાં આવ્યું અને પછી તેઓ બીજા વિમાનથી રવાના થયા.

મળતી માહિતી અનુસાર, સીએમ યોગીના ચાર્ટર્ડ વિમાનમાં આગ્રામાં ટેકઓફ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે તેમનું વિમાન આકાશમાં હતું. પાયલોટે સમજદારી બતાવી અને ખેરિયા એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આગ્રામાં સીએમ યોગીનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી, તેમનું રાજ્ય વિમાન બુધવારે બપોરે 3.40 વાગ્યે ઉડાન ભર્યું. વિમાન 20 મિનિટ પછી પાછું ફર્યું. આ પછી બીજું ચાર્ટર પ્લેન દિલ્હીથી સાંજે 5.42 વાગ્યે પહોંચ્યું.
સીએમ યોગી બીજા વિમાનથી રવાના થયા
મુખ્યમંત્રીની યાત્રા માટે દિલ્હીથી બીજું વિમાન મોકલવામાં આવ્યું. સંપૂર્ણ સુરક્ષા તપાસ બાદ, સીએમ યોગી બીજા વિમાન દ્વારા લખનૌ જવા રવાના થયા. વિલંબને કારણે, લખનૌમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આઠ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમ રદ કરવો પડ્યો. સીએમ યોગી પહેલા કાર્યક્રમમાં હાજરી આપવા માટે આગ્રાથી લખનૌ જઈ રહ્યા હતા.
શ્રેયસ અય્યરે શતકના બદલે જીતને પસંદ કરી!
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ અય્યરે એક અનોખી નિઃસ્વાર્થતા દેખાડી. ગુજરાત ટાઈટન્સ (GT) સામેની આ મેચ દરમિયાન શ્રેયસ અય્યર 97 રન પર અણનમ હતો, પરંતુ તેમ છતાં તેણે પોતાની સદીની ચિંતા કર્યા વિના શશાંક સિંહને સંપૂર્ણ સ્વતંત્રતા આપી કે તે હંમલા ચાલુ રાખે.

શ્રેયસ અને શશાંકે 17મી ઓવરથી લઈને અંત સુધી ગુજરાતના બોલર્સ પર આક્રમક રમત દેખાડી રહ્યા હતા. ખાસ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં શશાંકે આગવી તાકાત બતાવી અને માત્ર 16 બોલમાં 44 રન ફટકારી નાખ્યા. 20મી ઓવરમાં મોહમ્મદ સિરાજ સામે શશાંકે પાંચ ચોગ્ગા ફટકારીને 23 રન બટકાવ્યા, જેના કારણે પંજાબનો સ્કોર 243 સુધી પહોંચી ગયો. શશાંકે મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે, “શ્રેયસ ભલે 97 રન પર હતો, પણ તેણે મારી તરફ આવીને એક જ વાત કહી – ‘મારી સદીની ચિંતા ના કર, તું ફક્ત સ્ટ્રાઈક લેવા કરતાં વધુમાં વધુ શોટ મારવાનો પ્રયાસ કર.’
આ નિવેદન એ દર્શાવે છે કે શ્રેયસ માટે વ્યક્તિગત રેકોર્ડ કરતા ટીમનું લાભ વધુ મહત્વપૂર્ણ હતું. સામાન્ય રીતે, કોઈ પણ બેટ્સમેન શતક પૂરુ કરવાનું પસંદ કરે, પણ શ્રેયસે તત્કાલીન પરિસ્થિતિને સમજી, શશાંકને ખૂલ્લી હોડ ચલાવવાનો મોકો આપ્યો. આ અંતિમ ઓવરોમાં બેટિંગ સ્ટ્રેટેજી જ પંજાબ કિંગ્સની જીતનું મુખ્ય કારણ બની. PBKS એ આ હાઈ-સ્કોરિંગ મુકાબલો 11 રનથી જીતી લીધો. જો શ્રેયસ પોતાની સદી માટે સ્ટ્રાઈક પર રહેવાનું પસંદ કરે, તો કદાચ સ્કોર થોડો ઓછો રહ્યો હોત. શશાંક સિંહે પત્રકારોને જણાવ્યું કે, “મને શ્રેયસ પર ગર્વ છે. IPLમાં સદી કરવી સરળ નથી, છતાં પણ તેણે મારો ઉત્સાહ વધાર્યો અને મને સ્વતંત્ર બેટિંગ કરવાની તક આપી. શ્રેયસનું આ કૃત્ય મને મારા સમગ્ર કરિયરમાં યાદ રહેશે.”
લંડનની ગ્રીન એનર્જી ગેલેરીએ પહેલા વર્ષે જ 7 લાખ લોકોને આકર્ષયા
નવી દિલ્હી: લંડનમાં સાયન્સ મ્યુઝિયમ ખાતે ‘ધ એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ની સ્થાપનાના પ્રથમ વર્ષમાં 7 લાખ લોકોએ મુલાકાત કરી. મુલાકાતીઓએ ઓછા કાર્બન ભવિષ્યને વાસ્તવિકતા બનાવી શકે તેવી ક્રાંતિકારી તકનીકો વિશે જાણકારી મેળવી.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા પ્રાયોજિત અને સાયન્સ મ્યુઝિયમ દ્વારા ક્યુરેટ કરાયેલી નવી ગેલેરીનું ઉદ્ઘાટન 26 માર્ચ, 2024ના રોજ અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગેલેરી, જેમાં પ્રવેશ મફત છે, તે શોધે છે કે નવીનીકરણીય ઉર્જા કેવી રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરી શકે છે. આ ગેલેરી શોધે છે કે વિશ્વ કેવી રીતે આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે તાત્કાલિક ડીકાર્બોનાઇઝ કરવા માટે વધુ ટકાઉ રીતે ઊર્જા ઉત્પન્ન અને ઉપયોગ કરી શકે છે.
છેલ્લા એક વર્ષમાં, ગેલેરીએ વિવિધ સંસ્થાઓ, ક્લાઇમેટ ચેન્જ કમિટી, મેટ ઓફિસ, વર્લ્ડ એનર્જી કાઉન્સિલ, યુનિવર્સિટી અને યુ.કે. સરકારના અનેક વિભાગો માટે 40થી વધુ ક્યુરેટરના નેતૃત્વ હેઠળના પ્રવાસોનું આયોજન કર્યું છે. “આ પ્રવાસીઓને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશન પ્રયાસોમાં ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડી છે,” તેમણે ઉમેર્યું હતું કે ગેલેરીએ તેના લો-કાર્બન બ્રિક બેન્ચ પ્રદર્શન માટે નવીનતા શ્રેણીમાં પ્રતિષ્ઠિત 2024 બ્રિક એવોર્ડ જીત્યા છે. આ ગેલેરીમાં એક અનોખી વિશ્વની પ્રથમ 100 ટકા હાઇડ્રોજન-ફાયર્ડ બ્રિક છે.
આ પ્રદર્શન વિશ્વ આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે વધુ ટકાઉ રીતે ઊર્જા કેવી રીતે ઉત્પન્ન અને ઉપયોગ કરી શકે છે તેની તકો પ્રદર્શિત કરે છે, ઓછા કાર્બન ઇંટ ઉત્પાદન માટે સંભવિત ભવિષ્યને પ્રકાશિત કરે છે. કારણ કે તેઓ કુદરતી ગેસ વિરુદ્ધ ત્રણ ફાયરિંગથી 81-84 ટકા ઓછા કાર્બન ઉત્સર્જન વચ્ચે દર્શાવે છે.
ઉર્જા ક્રાંતિ: અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ તાજેતરમાં એક અનોખા ડીકાર્બોનાઇઝેશન ટ્રેકર પ્રદર્શનને અપડેટ કર્યું છે. જે દર્શાવેલ વર્ષોમાં પૂરા પાડવામાં આવતા દરેક યુનિટ વીજળી માટે વાતાવરણમાં કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ (CO2) છોડવામાં આવ્યા હતા તે ટ્રેક કરીને બ્રિટનના વીજળી પુરવઠાની કાર્બન તીવ્રતા દર્શાવે છે.
આ પ્રદર્શન પ્રતિબિંબિત કરે છે કે, 2024માં યુકેમાં દરેક કિલોવોટ કલાક (kWh) વીજળી માટે CO2 ઉત્સર્જનનું રેકોર્ડ નીચું સ્તર જોવા મળ્યું હતું. ગેલેરીમાં નવું પ્રદર્શન 2035 સુધી યુકેના CO2 ઉત્સર્જનનું ટ્રેકિંગ કરશે.
“ગેલેરી આબોહવા વિજ્ઞાનને સમર્પિત છે, જે તપાસ કરે છે કે વિશ્વ આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે કેવી રીતે ઝડપથી સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ સંક્રમણ કરી શકે છે,” તે જણાવે છે. “વિન્ડ, સોલાર અને હાઇબ્રિડ રિન્યુએબલ ઊર્જામાં 13 ગીગાવોટથી વધુના ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ ઊર્જા કંપનીઓમાંની એક તરીકે, AGEL સોયને નેટ શૂન્ય પર ખસેડવા માટે સમર્પિત છે.”
એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ્સ, અનનોન વર્ક્સ દ્વારા ડિઝાઇન કરાયેલ, ગેલેરીની ટકાઉ ડિઝાઇનનો મુખ્ય તત્વ સાયન્સ મ્યુઝિયમના ભૂતપૂર્વ ઑબ્જેક્ટ સ્ટોરમાંથી બિનજરૂરી છાજલીઓનો ફરીથી ઉપયોગ હતો. ગેલેરીના કાર્બન ફૂટપ્રિન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને શક્ય હોય ત્યાં રિસાયકલ કરી શકાય તેવા એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વિવાદ વચ્ચે કોમેડિયન કુણાલ કામરાનો નવો વીડિયો, હવે કોના પર કર્યો કટાક્ષ?
કોમેડિયન કુણાલ કામરા એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમના પર કરેલી ટિપ્પણીને કારણે વિવાદોમાં ઘેરાયેલા છે. આ દરમિયાન તે સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેરોડી ગીતના વીડિયો શેર કરી રહ્યા છે. બુધવારે, કોમેડિયને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો અને ફરી એકવાર કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું.

હવે તેમણે મોંઘવારી પર કટાક્ષ કર્યો
કુણાલ કામરા તેના તાજેતરના વિડિયો ક્લિપમાં વધુ એક પેરોડી ગીત ગાતા જોવા મળે છે. આ વીડિયોમાં તેઓ મોંઘવારી અંગે સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. વીડિયોમાં કોમેડિયન ટેક્સ પર પણ ટિપ્પણી કરી રહ્યા છે.
કુણાલના આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો કુણાલના આ વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકશાહી માટે ટીકા જરૂરી છે. તે જ સમયે, કેટલાક લોકો એમ પણ કહે છે કે કુણાલના આ વીડિયો સાથે ઔરંગઝેબ સાથે સંબંધિત પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ બહાર આવી રહી છે.
અહીંથી વિવાદ ગરમાયો
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેના રાજકીય કારકિર્દી પર તાજેતરના એક વીડિયોમાં કટાક્ષ કર્યા બાદ કુણાલ કામરાને લઈ વિવાદ ઉભો થયો હતો. પોતાના વીડિયોમાં કામરાએ એક હિન્દી ગીતની ધૂન પર પેરોડી ગાયું હતું, જેનાથી શિવસૈનિકો ગુસ્સે ભરાયા હતા. કુણાલ કામરાએ આ શોનું રેકોર્ડિંગ તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યું.
View this post on Instagram
શિવસૈનિકો ગુસ્સે થયા
કોમેડિયનનો વીડિયો સામે આવ્યા પછી શિવસૈનિકો ગુસ્સે ભરાયા અને તેમણે તે જગ્યા પર તોડફોડ પણ કરી જ્યાં કુણાલ કામરાએ આ વીડિયો શૂટ કર્યો હતો. શિવસેનાના લોકોએ કુણાલ કામરાને માફી માંગવા અથવા પરિણામ ભોગવવા ધમકી પણ આપી હતી.
કુણાલ કામરાએ માફી માંગવાનો ઇનકાર કર્યો
આ સમગ્ર મામલા પર વિવાદ વધતો જોઈને કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર પોતાના એક્સ એકાઉન્ટ પર એક લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. કુણાલ કામરાએ કહ્યું હતું કે, “હું માફી માંગીશ નહીં. મને ભીડથી ડર નથી. મનોરંજન સ્થળ ફક્ત એક પ્લેટફોર્મ છે, જે દરેક પ્રકારના શો માટે એક સ્ટેજ છે. રહેઠાણ કે કોઈપણ સ્થળ મારી કોમેડી માટે જવાબદાર નથી. હું શું કહું છું કે કરું છું તેના પર તેનો કોઈ અધિકાર નથી. અન્ય કોઈ પક્ષનો પણ તેના પર કોઈ અધિકાર નથી. હાસ્ય કલાકાર દ્વારા બોલાયેલા શબ્દો માટે સ્થળને નુકસાન પહોંચાડવું એ એટલું મુર્ખતાભર્યુ છે કે જાણે ચિકન ન મળતા ટામેટાંનો ટ્રક ઉથલાવી દેવો.”
હરિયાણા-મુંબઈ વચ્ચે પિસાય ગયો ચહલ ધનશ્રીનો લગ્ન સંબંધ?
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માનું લગ્નજીવનનો અંત આવ્યો છે અને આ સાથે વધુ એક ક્રિકેટરે લગ્ન સંબંધને ટૂંકાવ્યા છે. હાલ તો બંન્ને પોત પોતાના કરીયરમાં આગળ વધવા તરફ ધ્યાન આપી રહ્યા છે. જ્યારે અત્યારે સુધી બંન્ને છૂટાછેડાનું કારણે બહાર આવ્યું નથી. જેના પર તમામ લોકોના કાન વળગી રહ્યા છે. કે આખરે આ જાણીતી જોડી કેમ અલગ થઈ? તેમના છૂટાછેડા લાંબા સમયથી સમાચારોમાં હતા, અને સોશિયલ મીડિયા પર ધનશ્રીને ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. હવે સૂત્રોના અહેવાલોમાં જાણવા મળ્યું છે કે બંને વચ્ચેનો મુખ્ય વિવાદ એ હતો કે તેઓ કયા શહેરમાં સ્થાયી થાય. ચહલ અને ધનશ્રીની રહેવાના સ્થળ અંગેની પસંદગી અલગ-અલગ હતી, જેના કારણે તેમની વચ્ચે મોટો મતભેદ થયો.

ડિસેમ્બર 2020માં લગ્ન થયા બાદ ચહલ અને ધનશ્રી હરિયાણામાં ચહલના માતા-પિતા સાથે રહેવા ગયા હતા. પરંતુ થોડા સમય પછી ધનશ્રીએ મુંબઈમાં સ્થાયી થવાની ઈચ્છા બતાવી. આ વાત ચહલને ગમી નહીં, કારણ કે તેણે શરૂઆતથી જ કહ્યું હતું કે તે પોતાના માતા-પિતા અને હરિયાણાને છોડવા તૈયાર નથી. બંને માત્ર કામ માટે જ મુંબઈ જતા હતા, પરંતુ સ્થાયી રહેવાના મુદ્દે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અહેવાલો કહે છે કે આ હરિયાણા અને મુંબઈનો વિવાદ જ તેમના સંબંધોમાં અંતર લાવવાનું મુખ્ય કારણ બન્યો. જોકે, ચહલ કે ધનશ્રીએ આ અંગે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.
20 માર્ચ, 2025ના રોજ મુંબઈની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી હતી. ચહલે ધનશ્રીને એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ રકમમાંથી અડધી રકમ એટલે કે 2.37 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે, અને બાકીની રકમ કોર્ટના આદેશ પછી ચૂકવવામાં આવશે. આ એલિમનીને લઈને ધનશ્રીને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓ સાંભળવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે છૂટાછેડા બાદ ચહલ પોતાના જીવનમાં આગળ વધી ગયો છે. તે હવે RJ મહવશ સાથે સમય વિતાવતો જોવા મળી રહ્યો છે. ચાહકોને આ નવી જોડી પસંદ પડી રહી છે.
જાણો USCIRFના ભારત વિરોધી અહેવાલ પર વિદેશ મંત્રાલયે શું આપી પ્રતિક્રિયા
ભારતે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)ના તાજેતરના અહેવાલને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. ભારતનું કહેવું છે કે આ આયોગ પોતે જ ચિંતાનો વિષય બની ગયો છે. USCIRFના અહેવાલમાં ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર હત્યાના કાવતરામાં સંડોવણીનો આરોપ લગાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે આ અંગે કડક પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતની લોકશાહી અને સહિષ્ણુતાની છબીને ડામાડોળ કરવાના આવા પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અહેવાલને ‘એકપક્ષી અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યો. તેમણે કહ્યું કે USCIRF દ્વારા વારંવાર ખોટી રીતે ઘટનાઓને રજૂ કરીને ભારતની વૈવિધ્યસભર અને બહુસાંસ્કૃતિક સમાજ પર શંકા ઉભી કરવામાં આવે છે, જે ધાર્મિક સ્વતંત્રતા માટેની સાચી ચિંતા નહીં, પરંતુ એક ઇરાદાપૂર્વકનું ષડયંત્ર દર્શાવે છે. મંત્રાલયે ઉમેર્યું કે આવા અહેવાલોને બદલે USCIRFની પોતાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થવા જોઈએ.
USCIRFના અહેવાલમાં શું હતું?
USCIRFના 2025ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2024 દરમિયાન ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલા અને ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે. અહેવાલમાં ભાજપ પર લોકસભા ચૂંટણી દરમિયાન મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ‘નફરત ફેલાવતી ટિપ્પણીઓ’નો પ્રચાર કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રિપોર્ટમાં ભારતની ગુપ્તચર એજન્સી RAW પર સિખ અલગાવવાદીઓની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો ઉલ્લેખ કરીને તેના પર પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે. આ અમેરિકી પેનલે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને ભારતને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે ‘ખાસ ચિંતાજનક દેશ’ જાહેર કરવાની સલાહ આપી છે.
ભારતનો જવાબ
વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને નકારતાં કહ્યું કે ભારતની વિવિધતા અને સહિષ્ણુતાની પરંપરા વિશ્વભરમાં જાણીતી છે. USCIRFના આવા પ્રયાસો ભારતની છબીને ખરડવાનો નિષ્ફળ પ્રયત્ન છે. પ્રવક્તાએ ઉમેર્યું કે આ આયોગે પોતાની જવાબદારીને બદલે રાજકીય એજન્ડાને આગળ ધપાવવાનું કામ કર્યું છે, જેનાથી તેની પોતાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા થાય છે.
મહિલાઓ અને બાળકો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય
મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોએ સ્તનપાન કરવવવા અને કપડાં બદલવાના રૂમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળોને વધુ સુલભ બનાવવા માટે લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોએ સ્તનપાન અને કપડાં બદલવાના રૂમની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે, જેથી માતાઓને તેમના બાળકોની સંભાળ રાખવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, રેલ્વે બોર્ડ અને રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે કે જાહેર સ્થળોએ મહિલાઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આ વ્યવસ્થા ખુબ જરૂરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશના 312 એરપોર્ટ પર ફીડિંગ અને ચેન્જિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. આમાંથી 164 એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હેઠળ છે અને આ સુવિધાઓ 148 નોન-AAI એરપોર્ટ પર પૂરી પાડવામાં આવી રહી છે
તો બીજી તરફ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માહિતી આપી હતી કે આ સુવિધાઓ 26 બસ સ્ટેશન (તેલંગાણા), 2 (કોઇમ્બતુર, તમિલનાડુ) અને 50 બસ સ્ટેન્ડ (ઉત્તર પ્રદેશ) પર કાર્યરત છે. દિલ્હી, ગોવા, ચંદીગઢ અને મેઘાલય સહિત અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ દિશામાં કામ ચાલી રહ્યું છે.



