Home Blog Page 1065

શેરબજારમાં જોરદાર ઉછાળો… સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધુનો ઉછળો

મુંબઈ: શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 4.21 લાખ કરોડનો વધારો થયો છે. 

નિફ્ટી50માં 23500નું લેવલ ક્રોસ

નિફ્ટી50 પણ આકર્ષક સુધારા સાથે આગેકૂચ કરી રહ્યો છે. આજે નિફ્ટી 23,500ના મજબૂત તેજીના સપોર્ટ લેવલે ખૂલ્યા બાદ 23583.25ની સપાટીએ પહોંચ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં નીચા મથાળે ખરીદી વધતાં બેન્ક નિફ્ટી 996 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થઈ રહ્યા છે. આર્થિક ગતિવિધીઓ મજબૂત બની છે. પરિણામે વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે છેલ્લાં લગભગ એક માસથી ચાલી રહેલી મંદીનો અંત આવ્યો છે. માર્કેટે તેજીનો યુટર્ન લીધો છે.

વિદેશી રોકાણકારોનું કમબેક

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફ.આઈ.આઈ.એ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફ.આઈ.આઈ.ના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન (ગુરૂવાર-શુક્રવાર)માં એફ.આઈ.આઈ.એ કુલ રૂ. 10709.5 કરોડની ખરીદી નોંધાવી છે.

નાગપુર હિંસાના માસ્ટર માઈન્ડ ફહીમ ખાનના ઘર પર સરકારે બુલડોઝર ચલાવ્યું

મહારાષ્ટ્ર: નાગપુરમાં ગયા સોમવારે થયેલી હિંસાના મુખ્ય સૂત્રધાર ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યો છે.એવો આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેર્યા હતા અને ભીડ એકઠી કરી હતી. કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી, 38 વર્ષીય ફહીમ શમીમ ખાન, આ રમખાણ ભડકાવવા માટે જવાબદાર છે. શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના નાગપુર શહેર પ્રમુખ છે.

ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા. જેના કારણે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. તેનું નામ એફ.આઈ.આર.માં પણ નોંધાયેલું છે. મળતી માહિતી મુજબ, ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોનીના યશોધરા નગરનો રહેવાસી છે.ઔરંગઝેબની કબરના વિવાદે ગત સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં ગત સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહલ પછી, મોડી રાત્રે હંસપુરીમાં હિંસા થઈ. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.

દક્ષિણ કોરિયાના વડાપ્રધાન હાન ડક-સૂ સામે સંસદના મહાભિયોગને કોર્ટે ફગાવ્યો

દક્ષિણ કોરિયા: બંધારણીય અદાલતે વડાપ્રધાન હાન ડુક સૂના મહાભિયોગને ફગાવી દીધો છે અને તેમની સત્તાઓ પુનઃસ્થાપિત કરી છે. કોર્ટે હજુ સુધી રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ સામે અલગથી મહાભિયોગ ચલાવવા અંગે કોઈ નિર્ણય આપ્યો નથી.કોર્ટ તરફથી આ ક્લિનચીટ પછી, દક્ષિણ કોરિયાના બીજા ક્રમના ઉચ્ચ અધિકારી હાન કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. દેશમાં લશ્કરી કાયદો લાગુ થવાને કારણે, રાષ્ટ્રપતિ યૂન સુક યોલ સામે મહાભિયોગ લાવવામાં આવ્યો. આ રાજકીય સંકટ વચ્ચે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, વિપક્ષી સાંસદોએ સંસદમાં હાન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. પરંતુ હવે બંધારણીય અદાલતે હાન સામેના મહાભિયોગને ફગાવી દીધો છે.કોર્ટે કહ્યું કે તેણે હાનના મહાભિયોગને ઉથલાવી દેવાનો નિર્ણય લીધો છે, પરંતુ હજુ સુધી યૂનના મહાભિયોગ પર ચુકાદો આપ્યો નથી. હવે આવી સ્થિતિમાં, જો કોર્ટ યૂનના મહાભિયોગને માન્ય રાખે છે, તો દક્ષિણ કોરિયાએ નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણીઓ યોજવી પડશે. જો કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો આપે છે, તો યુનને ફરીથી પદ પર લેવામાં આવશે અને તેમની રાષ્ટ્રપતિની સત્તાઓ ફરીથી પ્રાપ્ત થશે.

બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે દુર્ઘટના: વટવામાં મહાકાય ક્રેન પડી, ઘણી ટ્રેનો રદ

અમદાવાદ: બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે પરંતુ આ સિવાય કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ટ્રેનોની અવર-જવરને અસર 

મળતી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી.  જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી.

અનેક ટ્રેનના રુટ બદલાયા 

દુર્ઘટનાના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઇ હતી. તેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.

સુવિચાર – ૨૪ માર્ચ ૨૦૨૫

૨૪ માર્ચ, ૨૦૨૫

પંચાંગ 24/03/2025

ભારતીય મૂળના વ્યક્તિ અને તેની પુત્રીની અમેરિકામાં હત્યા

અમેરિકામાં ભારતીય મૂળના એક પુરુષ અને તેની પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને એક જનરલ સ્ટોરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે બંને આ જનરલ સ્ટોરમાં કામ કરતા હતા. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે જ સમયે, એક ભારતીય પુરુષ અને તેની પુત્રીની હત્યાના સમાચારથી અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જનરલ સ્ટોર પર ગોળીબાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રદીપ કુમાર પટેલ અને તેમની પુત્રી વર્જિનિયાના લેન્કફોર્ડ હાઇવે પર સ્થિત એકોમેક કાઉન્ટીના એક સ્ટોરમાં કામ કરતા હતા. ફાયરિંગની ઘટના સ્ટોરની અંદર જ બની હતી. પોલીસને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ગોળીબારનો ફોન આવ્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પ્રદીપ કુમાર પટેલ (56) મૃત હાલતમાં મળી આવ્યો હતો અને તેની 24 વર્ષની પુત્રી ઘાયલ હાલતમાં મળી આવી હતી. બંનેને ગોળી વાગી હતી. સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત નીપજ્યું.

આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે પિતા અને પુત્રી બંને તેમના સંબંધીની દુકાનમાં કામ કરતા હતા. ભારતીય મૂળના પિતા-પુત્રની હત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાતા જ ભારતીય મૂળના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું.

IPL 2025 ની શરૂઆતમાં ધોનીએ નિવૃત્તિ અંગે મોટી જાહેરાત કરી

ક્રિકેટ ચાહકો દર વર્ષે IPL ની આતુરતાથી રાહ જોતા હોય છે. આનું સૌથી મોટું કારણ એમએસ ધોની પણ છે. એમએસ ધોનીએ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે ફક્ત IPL માં જ રમતો જોવા મળે છે. આ તેની IPLમાં 18મી સીઝન છે. ધોની આજે એટલે કે 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીઝન શરૂ કરતા પહેલા, ધોનીએ નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે અને તેની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી છે.

એમએમ ધોનીએ નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું

છેલ્લા 2-3 વર્ષથી, દરેક સીઝનમાં, એવું વાતાવરણ રહ્યું છે કે ધોની કદાચ છેલ્લી વખત આ લીગમાં રમતા જોવા મળશે. ગઈ સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. પરંતુ તેણે સિઝનના અંત સુધીમાં તે અહેવાલોને ફગાવી દીધા હતા. તે હાલમાં 43 વર્ષનો છે અને આ સિઝનનો સૌથી વૃદ્ધ ખેલાડી પણ છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ ધોનીની આઈપીએલમાં છેલ્લી સીઝન છે. જોકે, આ વખતે ધોનીએ સીઝનની શરૂઆતમાં જ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

જિયોહોટસ્ટાર સાથેના એક ઇન્ટરવ્યુમાં એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું. તેમના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે તે ભવિષ્યમાં પણ IPLમાં રમવાનું ચાલુ રાખશે. વાસ્તવમાં, ધોનીએ કહ્યું છે કે તે ઇચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે. તેણે તેમને કહ્યું કે તે તેની પોતાની ટીમ છે. એમએસ ધોનીએ કહ્યું, ‘હું ઇચ્છું ત્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી શકું છું.’ આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ, CSK મને ખેંચીને લઈ જશે.

ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે એમએસ ધોનીને લીગમાં રમવા માટે હજુ ઘણા વર્ષો બાકી છે. તેમણે સચિન તેંડુલકરનો ઉલ્લેખ કરતા આ વાત કહી. ગાયકવાડે કહ્યું, ‘જો તમે જુઓ તો, સચિન તેંડુલકર 50 વર્ષની ઉંમરે પણ ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છે.’ તેથી, મને લાગે છે કે ધોની માટે હજુ ઘણા વર્ષો બાકી છે. તમને જણાવી દઈએ કે, સચિન તાજેતરમાં જ ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં રમ્યો હતો. જ્યાં તેણે અદ્ભુત રમત બતાવી.

ગોપાલ ઈટાલીયા વિસાવદરની પેટા ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટી દ્વારા આજે સત્તાવાર રીતે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાને જૂનાગઢની વિસાવદર બેઠક ઉપરના પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક ઉપરથી અગાઉ ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું.મહત્વનું છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, ગોપાલ ઇટાલિયાએ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ બેઠક પર ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયા સામે ચૂંટણી લડી હતી. ઇટાલિયાને તેમની પહેલી ચૂંટણીમાં 55,878 મત મળ્યા. ભૂપત ભાયાણીએ AAP તરફથી ચૂંટણી લડીને વિસાવદર બેઠક જીતી હતી.

ભાયાણીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબાડિયાને 7,063 મતોથી હરાવ્યા હતા. ૨૦૧૭માં કોંગ્રેસમાંથી જીતેલા હર્ષદ રિબાડિયા ૨૦૨૨ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ગુજરાતની વિસાવદર બેઠક સાથે ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું નામ જોડાયેલું છે. તેઓ આ બેઠક પરથી ચાર વખત વિધાનસભા પહોંચ્યા. બ્લેપીએ છેલ્લે 2007માં આ બેઠક જીતી હતી.