નાણા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે GST ગુપ્તચર અધિકારીઓએ વિદેશથી કાર્યરત ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ કંપનીઓની 357 વેબસાઇટ્સને બ્લોક કરી છે. આ સાથે, લગભગ 2,400 બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. મંત્રાલયે લોકોને વિદેશી ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાવા સામે પણ ચેતવણી આપી હતી. મંત્રાલયે કહ્યું કે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ક્રિકેટ ખેલાડીઓ સિવાય, જો સોશિયલ મીડિયા પ્રભાવકો આ પ્લેટફોર્મને સમર્થન આપે છે, તો પણ તેમણે તેમની સાથે જોડાવું જોઈએ નહીં.
લગભગ 700 વિદેશી ઈ-ગેમિંગ કંપનીઓ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI) ની તપાસ હેઠળ છે કારણ કે તેઓએ નોંધણી કરાવી નથી અને GST ચોરી કરી રહી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ વિદેશી કંપનીઓ વ્યવહારો માટે નકલી બેંક ખાતાઓ દ્વારા કામ કરે છે. બે અલગ અલગ કેસોમાં, DGGI એ કુલ 2,400 બેંક ખાતા જપ્ત કર્યા અને લગભગ 126 કરોડ રૂપિયાના ઉપાડને અવરોધિત કર્યા.
ગેમિંગનો વ્યવસાય 7.5 અબજ ડોલરનો થશે
તેમાં કહેવામાં આવ્યું છે કે અન્ય મહત્વપૂર્ણ પગલાંઓમાં જાહેર જાગૃતિ અને શિક્ષણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે જેથી વપરાશકર્તાઓ જાણકાર નિર્ણયો લઈ શકે અને ભ્રામક વર્તનમાં સામેલ થતા પ્લેટફોર્મને ટાળી શકે. અહેવાલ મુજબ, ભારતીય રિયલ મની ગેમિંગ (RMG) ક્ષેત્ર નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષ 2022-23 સુધી વાર્ષિક ધોરણે 28 ટકાના વિકાસ સાથે વૈશ્વિક બજારમાં અગ્રણી બન્યું છે. આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રની આવક US$7.5 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
ગેમિંગ માટે કડક કાયદા જરૂરી છે
ડિજિટલ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઓપરેટરો પર કાર્યવાહી કરવાના નિયમનકારી પ્રયાસો છતાં, ઘણા પ્લેટફોર્મ મિરર સાઇટ્સ, ગેરકાયદેસર બ્રાન્ડિંગ અને અસંગત વચનો દ્વારા પ્રતિબંધોને ટાળે છે. આ પરિસ્થિતિ કડક દેખરેખ અને અમલીકરણની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત કરે છે. આ ઉપરાંત, અમલીકરણ તંત્રના અભાવે, કુખ્યાત ગુનેગારો સામે કાર્યવાહી છૂટાછવાયા પ્રમાણમાં થાય છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
CM ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા કક્ષાના સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ એવા વેજલપુર સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ 2.0નો શુભારંભ કરાવ્યો હતો. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને આ પ્રસંગે યોજાયેલા સ્ટાર્ટઅપ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ શબ્દ આજે આપણા યુવાઓની ઓળખ બન્યો છે. ક્રિએટિવ થિંકિંગ, આગવી સૂઝ અને અવનવા આઈડિયા સાથે આજના યુવાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ડેવલપ કરવા અને યુવા ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માઈન્ડ ટુ માર્કેટ સુધી પહોંચાડવાની આગવી વ્યવસ્થા વિકસાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સદાય યુવાઓની સાથે છે અને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.
સ્ટાર્ટઅપ ક્ષેત્રની સફળતા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે મહિલાઓ પણ આજે વિવિધ સમસ્યાઓનાં અવનવાં સમાધાનો સ્વરૂપે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહી છે. આજે વૈશ્વિકસ્તરે આપણાં સ્ટાર્ટઅપ ઘણી સફળતા મેળવી રહ્યાં છે. સ્પેસ સહિતનાં અવનવાં ક્ષેત્રોમાં આપણા યુવાઓના સ્ટાર્ટઅપ કાઠું કાઢી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને દેશની યુવાશક્તિના સામર્થ્યને સાથે લઈને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ના વિચારબીજને સાકાર કરવામાં ગુજરાતના યુવાનો મહત્ત્વનું યોગદાન આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વેજલપુર મતવિસ્તાર ધારાસભ્ય અમિત ઠાકરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દેશની યુવાશક્તિમાં અતૂટ ભરોસો છે. વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ મહત્ત્વનો ભાગ ભજવશે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યુવાઓના વિચારબીજને નવી દિશા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વેજલપુર મતવિસ્તારમાં યોજાયેલાં વિધાનસભા કક્ષાના સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ અને તેની સાથે સંકળાયેલા ૪૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં પોતાના પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા ૪૨ સ્ટાર્ટઅપને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં, સીબીઆઈએ મુંબઈની એક કોર્ટમાં તેનો ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ આ કેસ બંધ કરવાની વિનંતી કરી છે. વર્ષ 2020 માં, અભિનેતાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. અભિનેતાનો મૃતદેહ મુંબઈ સ્થિત તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પરિવારના સભ્યોની માંગના આધારે સરકારે કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈને અભિનેતાના મૃત્યુ કેસમાં કોઈ મહત્વપૂર્ણ સુરાગ મળ્યો ન હતો, ત્યારબાદ તેણે કેસ બંધ કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો. જે સમયે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે પરિવારના સભ્યોએ મૃત્યુ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. પીડિત પરિવારનો આરોપ છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પણ તેની પાછળ કોઈ કાવતરું હોય તેવું લાગે છે.
રિયા ચક્રવર્તીને ક્લીનચીટ
અહેવાલો અને સૂત્રો અનુસાર, સીબીઆઈએ તેની તપાસમાં અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કોઈએ સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હોય. હવે સુશાંતના પરિવાર પાસે આ વિકલ્પ છે કે તેઓ મુંબઈ કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈએ મુંબઈની એક ખાસ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે, જે હવે નિર્ણય લેશે કે રિપોર્ટ સ્વીકારવો કે એજન્સી દ્વારા વધુ તપાસનો આદેશ આપવો. હવે જોવાનું એ રહે છે કે કોર્ટ સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ પર ક્યારે નિર્ણય લે છે.
સીબીઆઈએ પટણા પોલીસ પાસેથી તપાસ સંભાળી
કેન્દ્રીય એજન્સીએ બિહાર પોલીસ પાસેથી તપાસ હાથ ધરી હતી, જેણે પટનામાં તેના પિતા કે કે સિંહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં, સીબીઆઈએ એઈમ્સના ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લીધી હતી, જેમણે ‘ઝેર અને ગળું દબાવવા’ના દાવાઓને ફગાવી દીધા હતા.
સુરત: ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં એક સમયે માત્ર પ્રાકૃતિક ખેતી જ થતી. પછી ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ શરૂ થયો. એના થકી ઉત્પાદનમાં શરૂઆતી લાભ બાદ લાંબા ગાળે વિપરીત પરિણામ પણ સામે આવ્યાં. ખાસ તો આ ખેતપેદાશો ખોરાક તરીકે લેવાથી લોકો અનેક પ્રકારના રોગોનો શિકાર બનવા લાગ્યા. એ ઉપરાંત, ખાતર, દવા અને વધારાનાં પાણીની જરૂરતે રાસાયણિક ખેતીને મોંઘીદાટ બનાવી દીધી. વખત જતાં રસાયણથી ભૂમિ બંજર બનવાનું જોખમ તો ખરું જ.બીજી તરફ, પ્રાકૃતિક ખેતીમાં ગાયનાં છાણ તથા ગૌમૂત્રમાંથી જીવામૃત અને ઘન જીવામૃત ખેડૂત જાતે બનાવી ઉપયોગમાં લેતા હોવાથી ખેતીખર્ચ ઘટે છે. જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. એક અભ્યાસ મુજબ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો નોંધાયો છે. એવા અનેક ખેડૂતો છે જે ઓછી જમીનમાં આ પ્રકારે ખેતી કરીને મબલક પાક અને અઢળક કમાણી કરે છે. અલબત્ત, જે રીતે દહીં બનાવવા દૂધ જોઈએ જ, એ જ પ્રકારે પ્રાકૃતિક ગાય-આધારિત ખેતી કરવા માટે ગાય પણ જોઈએ જ. જો કે ગુજરાત રાજ્ય અને સુરત જિલ્લામાં કેટલાય ખેડૂતો ગાય વિના ગાય પર આધારિત ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે.
આ વળી કઈ રીતે શક્ય છે? ચાલો, જાણીએ..
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ગુજરાતના બજેટમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે 400 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બીજી બાજુ, ગાય-આધારિત ખેતી કરવા માગનારા ગાય વિનાના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક યોજના ઘડી છે. એ વિશે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ચિત્રલેખાને કહે છે:
‘સરકાર પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જવા કટિબદ્ધ છે. લોકો આરોગ્યપ્રદ ખોરાક ખાય, પ્રકૃતિનું સંતુલન બન્યું રહે, ખેડૂતોનું જીવનધોરણ વધુ સારું બને અને આપણી સંસ્કૃતિ જેને માતાનો દરજ્જો આપે છે એ ગાયમાતાનું પણ જતન થાય એવા શુભ આશયથી ગાય-આધારિત પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા અનેક આયોજન થઈ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં આવી છે. ગાય વિના પણ ગાય-આધારિત ખેતી કરી શકાય એ માટે રાજ્ય સરકારની જીવામૃત, ઘન જીવામૃત બનાવવા માટેની માળખાકીય સુવિધા માટે સહાયની યોજના અમલી છે. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને એવા પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે.’
સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં એક દાયકાથી અનેક ખેડૂત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. પાછલાં ત્રણ વર્ષમાં આ આંકે ગતિ પકડી છે. જિલ્લામાં અત્યારે અંદાજે દોઢ લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે, જેમાં ૧૨ હેક્ટરમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. બીજા સારા સમાચાર એ છે કે રાસાયણિક ખાતરના વપરાશમાં નોંધનીય (આશરે ૧૭,૫૦૦ મૅટ્રિક ટનનો) ઘટાડો નોંધાયો છે. આ મામલે સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
સુરતના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત નંદનવન ગૌશાળા અને ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં એક પ્રોજેક્ટ હેઠળ જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક કીટ નિયંત્રકો બનાવવામાં આવે છે. આ ગૌશાળાનું સંચાલન બે ખેડૂતભાઈઓ જિજ્ઞાશુ અને હર્ષ પટેલ કરે છે. એમના પિતા ભરત પટેલ ચિત્રલેખાને કહે છે: ‘અમે ઘણાં વર્ષોથી ગાય-આધારિત પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ. અમારી ગૌશાળામાં ૩૪ ગાયો છે. આ ખેતીના ફાયદા દરેક ખેડૂતને મળે એવી ભાવનાથી અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અહીં આધુનિક ઑટોમેટિક પ્લાન્ટમાં એક-એક હજાર લિટરના આઠ ટાંકા છે, જેથી સરળતાથી જીવામૃત બનાવી શકાય છે. અન્ય 500-500 લિટરના ચાર ટાંકામાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઊધઈ નિયંત્રણ, ગૌમૂત્ર અને ખાટી છાશ જેવાં કીટ નિયંત્રકો તૈયાર કરીએ છીએ. ગાયવિહોણા ખેડૂતોને જરૂરત મુજબ અમારી પાસેથી જીવામૃત અતિ વાજબી દરે મળી શકશે. દોઢ મહિનામાં આસપાસનાં ગામના અનેક ખેડૂતો જીવામૃત અને કીટ નિયંત્રક માટે ઑર્ડર પણ બુક કરાવી રહ્યા છે. આ સુવિધા મળતાં કેટલાક ખેડૂતો જે ગાય લેવાનું વિચારતા હતા એ વિચાર પણ એમણે માંડી વાળ્યો છે.’
નોંધનીય છે કે આ ગૌશાળાને સરકારી યોજનાનો લાભ મળ્યો છે. સુરતમાં માંડવી, બારડોલી અને માંગરોળ તાલુકામાં આ પ્રકારનાં 10,000 લિટરનાં મોટાં ત્રણ યુનિટ ચાલે છે, જ્યારે ખેડૂત મંડળી, સખી મંડળી, વગેરે દ્વારા 5000 લિટરનાં નાનાં 18 યુનિટ ચાલી રહ્યાં છે. આ બધી જગ્યાએથી પ્રાકૃતિક ખેતી માટેની જરૂરી સામગ્રી મળે છે, જેને કારણે આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતી કરનારાની સંખ્યામાં મોટા પાયે વધારો થશે. પટેલબંધુ જિજ્ઞાશુ અને હર્ષ કહે છે કે પ્રાકૃતિક ખેતી દેશની અને દરેકની જરૂરત છે. આજે નહીં તો કાલે, આ ખેતી તરફ દરેકે વળવું જ પડશે.
કેવી રીતે બને છે એ અમૃત?
ખેડૂતોના કહેવા પ્રમાણે, 200 લિટર જીવામૃત બનાવવા માટે 10 લિટર ગૌમૂત્ર, 10 કિલો ગોબર, 500 ગ્રામ કોઈ પણ કઠોળનો લોટ અને એક કિલો ગોળ જોઈએ. સાથે થોડીક ફળદ્રુપ માટી તથા પાણીના મિશ્રણને અઠવાડિયા સુધી દરરોજ સવાર-સાંજ પાંચ-પાંચ મિનિટ સુધી હલાવવાનું હોય છે. એક અઠવાડિયા પછી જે તૈયાર થશે એ છે: જીવામૃત. આદર્શ પદ્ધતિમાં એને પછીના અઠવાડિયે વાપરી લેવું જોઈએ. હવે ઘન જીવામૃત બનાવવાની રીત જોઈ લઈએ તો, તૈયાર જીવામૃતને દેશી ગાયના ગોબર પર છાંટવામાં આવે છે. અઠવાડિયા પછી સુકાઈને ઘન રૂપે જે જીવામૃત તૈયાર થાય છે એ ઘન જીવામૃત છે. એક કિલો ગોબરમાં એક લિટર જીવામૃત નાખી શકાય. ઘણા ખેડૂતો વધુ ગુણવત્તાના ઘન જીવામૃત માટે એક કિલો ગોબરમાં દર અઠવાડિયે એકથી વધુ વાર જીવામૃત ઉમેરે છે. આ ઘન જીવામૃતની આવરદા એકથી પાંચ વર્ષની હોય છે.
આત્મા (ઍગ્રિકલ્ચર ટેક્ધોલૉજી મૅનેજમેન્ટ એજન્સી) પ્રોજેક્ટના ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર પી.બી. ખિસ્તરિયા ચિત્રલેખાને કહે છે: ‘પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી યોજના એક વર્ષથી ચાલે છે. ગૌશાળા, પાંજરાપોળ અને એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઑર્ગેનાઈઝેશન)ને જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની માળખાકીય સુવિધા માટે સબસિડી મળે છે, જેમાં 10,000 લિટરના પ્લાન્ટ માટે 1.20 લાખ રૂપિયા અને 5000 લિટરના પ્લાન્ટ માટે 60,000 રૂપિયાની સબસિડી મળે છે. બન્ને યોજનામાં મર્યાદિત ખર્ચ કરતાં ઓછી રકમમાં ખર્ચના 50 ટકા રકમ સબસિડી રૂપે મળવા પાત્ર છે.’
પી.બી. ખિસ્તરિયા ઉમેરે છે કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે સ્થપાયેલા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાલીમ, પ્રેરણાપ્રવાસ, મેગા શિબિર, પરિસંવાદ, પ્રદર્શન, વગેરેનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ખેડૂતોને આ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત, રાજ્યમાં 3100થી વધુ મોડેલ ફાર્મનિર્માણ કરાયાં છે.’
આત્મા પ્રોજેક્ટના સુરત જિલ્લાના ડાયરેક્ટર એન. જી. ગામીત કહે છે: ‘ગૌશાળા, પાંજરાપોળ, વગેરે જગ્યાએ ગાય, છાણ, ગૌમૂત્ર બધું જ મળી રહે છે. એમાંથી જીવામૃત, ઘન જીવામૃત બનાવવામાં આવે તો એક તીર બે નિશાન જેવો ઘાટ થાય છે. આ કુદરતી ઉત્પાદનો ખેડૂતો વાજબી ભાવે ખરીદી શકે અને બીજું, ગૌશાળા, પાંજરાપોળને પણ આવક થાય. આ યોજના થકી પ્રાકૃતિક ખેતી દ્વારા રાજ્યનો ખેડૂત વધુ સધ્ધર થશે. સરકાર દ્વારા અપાતી સહાયમાં પાઈપલાઈન, સિમેન્ટ, ટાંકી, મોટર, વગેરેનો સમાવેશ થાય છે.
જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગવા અને રોકડ રકમની રિકવરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાના આદેશ પર, તેમના ઘરની અંદરની પહેલી તસવીર બહાર પાડવામાં આવી છે. આ વીડિયોમાં, જસ્ટિસ વર્માના ઘરની અંદર બળી ગયેલી નોટોના બંડલ દેખાય છે. આ મામલાને લગતો દિલ્હી હાઈકોર્ટના સીજેઆઈ સંજીવ ખન્નાનો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. ઉપરાંત, જસ્ટિસ વર્માનો જવાબ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સંબંધિત દસ્તાવેજો પણ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે.
બધા રેકોર્ડ સાર્વજનિક કરવાનો નિર્ણય
હકીકતમાં, કોર્ટનો પક્ષ જનતા સમક્ષ રજૂ કરવા માટે, CJI એ આ કેસ સંબંધિત તમામ રેકોર્ડ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કેસ સાથે જોડાયેલા તમામ રેકોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.
આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી
આ સાથે, CJI સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની પણ રચના કરી છે. આમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ જીએસ સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જજ અનુ શિવરામનનો સમાવેશ થાય છે.
શું છે આખો મામલો?
હકીકતમાં, સુપ્રીમ કોર્ટે શનિવારે મોડી રાત્રે એક મોટું પગલું ભર્યું અને દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનેથી મળી આવેલી કથિત મોટી રકમની રોકડ રકમની ઘટના સાથે સંબંધિત ચિત્રો અને વીડિયો સાથે સમગ્ર આંતરિક તપાસ અહેવાલ તેની વેબસાઇટ પર અપલોડ કર્યો. અહેવાલ મુજબ, જસ્ટિસ વર્માએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે કે તેમના પરિવારના કોઈપણ સભ્યએ ક્યારેય ઘરના સ્ટોર રૂમમાં કોઈ રોકડ રાખી નથી અને તેઓ નકારે છે કે કથિત રોકડ તેમની છે.
IPL 2025 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે જીત સાથે શરૂઆત કરી છે. આરસીબીએ પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને તેમના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું. ૨૨ માર્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી શરૂઆતની મેચમાં, KKR એ પ્રથમ બેટિંગ કરી અને ૨૦ ઓવરમાં ૧૭૫ રનનો લક્ષ્યાંક આપ્યો. આરસીબીએ આ લક્ષ્યનો પીછો ફક્ત ૧૬.૨ ઓવરમાં કર્યો. બેંગલુરુએ 3 વર્ષ પછી કોલકાતા સામે જીત મેળવી છે. આ પહેલા, RCB એ 2022 સીઝનમાં KKR ને હરાવ્યું હતું. આ જોરદાર જીત સાથે, RCB એ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલી નાખ્યું છે.
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2025
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ મજબૂત જીતમાં ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને નવા કેપ્ટન રજતા પાટીદારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રણેય ખેલાડીઓએ પોતાની આક્રમક બેટિંગથી મેચને એકતરફી બનાવી દીધી. ૧૭૫ રનનો પીછો કરતા, સોલ્ટ અને કોહલીએ પ્રથમ ૬ ઓવરમાં ૮૦ રન બનાવ્યા. બંનેએ માત્ર ૮.૩ ઓવરમાં ૯૫ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. જોકે, આ પછી બેંગલુરુએ આગામી 23 રન બનાવવામાં બે વિકેટ ગુમાવી દીધી. સોલ્ટ ૧૮૦ ના સ્ટ્રાઇક રેટથી ૩૧ બોલમાં ૫૬ રન બનાવ્યા બાદ વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. આ દરમિયાન તેણે ૯ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા.
First T20 match after 9️⃣ months, and he goes like this. 🫡
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2025
તે જ સમયે, દેવદત્ત પડિકલ પણ 10 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. પરંતુ બંનેના આઉટ થવાથી બેંગલુરુ પર ખાસ અસર પડી નહીં. બાકીનું કામ કેપ્ટન પાટીદાર અને વિરાટ કોહલીએ પૂર્ણ કર્યું. કોહલીએ માત્ર ૩૬ બોલમાં ૧૬૩ ના સ્ટ્રાઇક રેટથી ૫૯ રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા. જ્યારે રજત પાટીદારે માત્ર ૧૬ બોલમાં ૨૧૨ ના સ્ટ્રાઇક રેટથી ૩૪ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતો. અંતે, લિયામ લિવિંગસ્ટને 5 બોલમાં 15 રનનું યોગદાન આપ્યું. આ રીતે, RCB એ માત્ર 22 બોલ બાકી રહેતા 175 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
આરસીબીના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી. પરંતુ પ્રથમ ઇનિંગ દરમિયાન, કૃણાલ પંડ્યાએ ટીમને પાછી લાવી. કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ પોતે સ્વીકાર્યું હતું કે પિચ બેટિંગ માટે ખૂબ જ સારી હતી અને 220 રનના સ્કોર સુધી પહોંચવું મહત્વપૂર્ણ હતું. પરંતુ પંડ્યાની ઘાતક બોલિંગને કારણે કોલકાતા ફક્ત 174 રન જ બનાવી શક્યું. હકીકતમાં, KKR એ પ્રથમ 10 ઓવરમાં 107 રન બનાવ્યા હતા.
પરંતુ આ પછી રસિક સલામ દારે નરીનને આઉટ કર્યો. ત્યારબાદ કૃણાલ પંડ્યાએ કેપ્ટન રહાણેને આઉટ કર્યો અને વિકેટોનો ધસારો શરૂ થયો. પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને રહાણે, રિંકુ સિંહ અને વેંકટેશ ઐયરની 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. તેમના સિવાય જોશ હેઝલવુડે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે યશ દયાલ, રસિક સલામ અને સુયશ શર્માએ પણ 1-1 વિકેટ મેળવી.
ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાજી બીજા અધ્યાયમાં જીવનનું રહસ્ય સમજાવતા કહે છે…
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨૨॥
અર્થાત જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.
દરેક પ્રોડક્ટ સાઇકલને પણ આ લાગુ પડે છે. તમે જુઓ છો, લક્સ સાબુ બીજું કશું નહીં તો ઘણી વાર તેની સાઇઝ બદલ્યા કરે છે, ક્યારેક એની સુગંધ બદલે છે. હયાત પ્રોડક્ટને જાણીબૂઝીને એ મારી નાખે છે અને એના બદલે થોડી સુધારીને નવી પ્રોડક્ટ એ બજારમાં મૂકે છે.
ગીતાજીના આ શ્લોકનું મહત્ત્વ માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોડક્ટ ડિઝાઇનના વિદ્યાર્થીએ સમજવા જેવું છે. માણસને બદલાવ જોઈએ. એ નવું મેળવવા જતાં જૂનાનું મોત થવું જ જોઈએ.
Schofield barracks (job 998)
માણસ જીવનને પણ પીપળાના પાનનો આ સિદ્ધાંત લાગુ પડે છે. માણસ જન્મે છે, યુવાન બને છે, વૃદ્ધત્વને પામે છે અને એક દિવસ એ વિદાય લે છે. આ કુદરતનો ક્રમ છે, એનો હરખશોક ના હોય.
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને કહ્યું છે કે દંગલ તેમની શ્રેષ્ઠ ફિલ્મ છે. આ ફિલ્મ 2016 માં રિલીઝ થઈ હતી અને તે એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી. જોકે, ફિલ્મમાં એક શોટ એવો હતો જ્યાં તે પાત્રની બહાર ગયો. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આમિર ખાને પહેલવાન મહાવીર ફોગટની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે અમિતાભ બચ્ચન સિવાય બીજું કોઈ નહીં પણ તેમણે જ તેમને કહ્યું હતું કે આમિર ખાનના અભિનયમાં ભૂલ છે.
અમિતાભ બચ્ચને ભૂલ પકડી લીધી
આમિર ખાને કહ્યું, ‘મારી કઈ ફિલ્મ શ્રેષ્ઠ છે તે કહેવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. દંગલ મારી અભિનયની શ્રેષ્ઠ ફિલ્મ છે. આખી ફિલ્મમાં ફક્ત એક જ શોટ એવો છે જ્યાં મેં ભૂલ કરી છે. અમિતાભ બચ્ચન ખૂબ જ સ્માર્ટ છે. તેમણે તે શૉટ પકડી લીધો. મેં તેમને પૂછ્યું કે તમે તે ભૂલને ફિલ્મમાં કેવી રીતે પકડી? આના પર તેણે કહ્યું , ખૂબ સારું પણ તું એક જ શોટમાં પાત્રની બહાર હતો.
આમિરે કહ્યું, ‘ફિલ્મમાં કુસ્તીના એક દ્રશ્ય દરમિયાન, હું ઊભો થઈને ‘હા’ કહું છું. તો તે શોટ મારા માટે ખોટો પડ્યો કારણ કે મહાવીર ફોગટનું પાત્ર ક્યારેય હા કહી શકતું નથી. તે ‘વાહ’ અથવા ‘શાબાશ’ કહી શક્યો હોત કારણ કે ‘હા’ એ મુંબઈયા શબ્દ છે. આ વાત એડિટિંગમાં સામે આવી નથી. તો, મેં દરેક ફિલ્મમાં કંઈક ખોટું કર્યું છે, તેથી કોઈ પણ ફિલ્મ સંપૂર્ણ નથી હોતી.
આ ફિલ્મે 2000 કરોડની કમાણી કરી હતી
આમિર ખાન રેડ લોરી ફિલ્મ ફેસ્ટિવલમાં આ વાત કહી હતી. આમિર ખાનની 1988ની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ અહીં પ્રદર્શિત થઈ હતી. ‘દંગલ’ એ પહેલવાન ફોગટની વાર્તા પર આધારિત ફિલ્મ છે. તેમણે તેમની પુત્રીઓ ગીતા અને બબીતાને કુસ્તી શીખવી. ગીતાએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ફિલ્મમાં આમિર ખાન, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને ઝાયરા વસીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે 2000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.