ધોળકા: કેડિલા ફાર્માસ્યુટીકલ્સના સ્થાપક ઇન્દ્રવદન મોદી અને તેમના ધર્મપત્ની શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમાં ઇન્દ્રશીલ સનાતન ધર્મ મંદિર અને શાંતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત 13 માર્ચ, 2025ના રોજ મંદિરના દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિર પરિસરને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે તેના પાટોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, ભવ્ય શોભાયાત્રા, વૈદિક હોળી દહન અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું.બીજી તરફ શોભાયાત્રા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ ત્રાંસદ રોડ પર આવેલા સનાતન ધર્મ મંદિર પહોચી હતી. જેનું માર્ગમાં અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પરમાર સહિત સ્ટાફના સભ્યોએ આરતી ઉતારી આશિર્વાદ લીધા હતા. શોભાયાત્રામાં ધોળકા નગર અને આસપાસના ગામોના 30 જેટલા ભજન અને મહિલા મંડળો જોડાયા હતાં.લઘુરુદ્ર બાદ સાંજે દર્શન યોગ ધામ, લાકરોડા અને આર્ય સમાજના સહકાર અને માર્ગદર્શનમાં વેદના પવિત્ર મંત્રોના ગાન વચ્ચે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરતી આયુર્વેદિક અને ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ હોમવામાં આવી હતી. આ ઉપરાંત વેદિક પરંપરામાં હોળી પર્વના આયોજનના મૂળભૂત ઉદ્દેશ વિશે તથા વડ, પીપળો, ઉમરો, આંબો વગરે વૃક્ષોના લાકડાં તથા ઔષધિય વનસ્પતિઓના લાકડાના ઉપયોગથી થતા પર્યાવરણીય તથા આરોગ્ય વિષયક લાભોની સમજ આપવામાં આવી હતી.
આ પાટોત્સવને વધુ ભક્તિપૂર્ણ બનાવવાના હેતુથી રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ કલાકારો નરેન્દ્રદાન ગઢવી અને હાર્દિક રાજ્યગુરુએ સંતવાણી, લોકસાહિત્યવને ભક્તિના સૂર રેલાવ્યા હતા.આ ભક્તિપૂર્ણ પ્રસંગોમાં ધોળકા અને આસપાસની ભાવિક જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અમદાવાદ: આરોગ્ય સંભાળ અને ઉર્જા ક્ષેત્રમાં કાર્યરત જૂથ, ટોરેન્ટ ગ્રુપે ભારતીય ક્રિકેટ બોર્ડ (“BCCI”) સહિત તમામ જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા બાદ, ઇરેલિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ (“આઇરેલિયા”) પાસેથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ ગુજરાત ટાઇટન્સ (આઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં 67% બહુમતી હિસ્સો સફળતાપૂર્વક મેળવી લીધો છે.
12 ફેબ્રુઆરી 2025ના રોજ, ટોરેન્ટ અને ઇરેલિયાએ આ વ્યવહાર માટે ચોક્કસ કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. વ્યવહારના ભાગ રૂપે, CVC દ્વારા સલાહ આપવામાં આવેલા ભંડોળ દ્વારા સંચાલિત ઇરેલિયા, ફ્રેન્ચાઇઝી સાથે તેના જોડાણને જાળવી રાખીને, 33%નો નોંધપાત્ર લઘુમતી હિસ્સો ધરાવતો રહેશે. ગુજરાત ટાઇટન્સના વારસાને મજબૂત બનાવવાનું લક્ષ્ય ટોરેન્ટ ગ્રુપ પૂરું કરશે. IPLના ઇતિહાસમાં સૌથી યંગ અને સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંની એક, ગુજરાત ટાઇટન્સનું મોટા પાયે સંચાલન કરવામાં ટોરેન્ટની વ્યાપક કુશળતાનો લાભ મળશે.
ટીમ ઓપરેશન્સ, ચાહકોની જોડાણ અને વ્યાપારી વૃદ્ધિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ સંપાદન ફ્રેન્ચાઇઝ માટે એક રોમાંચક ભવિષ્ય માટેનો પાયો નાખે છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોવાયેલી રમત-ગમતની ઇવેન્ટ્સમાંની એક, IPL સતત વૃદ્ધિ પામી રહી છે અને ગુજરાત ટાઇટન આ ઉત્ક્રાંતિમાં મોખરે છે.
ભારતમાં ક્રિકેટનો તહેવાર કહેવાતી ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો આરસીબી સામે થશે. IPL 2025 નો ઉદ્ઘાટન સમારોહ શાનદાર બનવાનો છે. દિશા પટની તેના ડાન્સ મૂવ્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેરશે, જ્યારે શ્રેયા ઘોષાલ તેના મધુર અવાજથી ઇડન ગાર્ડન્સના મેદાનને આગ લગાડતી જોવા મળશે. KKR એ ગયા સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં IPL 2025 માં પણ, ટીમ જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવા પર નજર રાખશે.
It's the talk of the town! 🤩
We are only 5⃣ days away from the start of #TATAIPL 2025 🥳
IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઇડન ગાર્ડન્સમાં હાજર તમામ ચાહકોને તેના ડાન્સ મૂવ્સથી નાચવા મજબૂર કરશે જ્યારે શ્રેયા ઘોષાલનો મધુર અવાજ ઇડન ગાર્ડન્સનું વાતાવરણ બનાવશે. આ સાથે, પંજાબી ગાયક કરણ ઔજલા પણ પોતાના અવાજથી શોનું ધ્યાન ખેંચતા જોવા મળશે. આ સ્ટાર્સના પ્રદર્શનની સાથે, ઘણા અન્ય રંગબેરંગી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં IPL 2025 ની શરૂઆતની મેચ રમાશે. પ્રથમ મેચમાં KKRનો મુકાબલો RCB સામે થશે.
IPL 2024 માં, કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. ગયા સિઝનમાં, બંને ટીમો બે વાર ટકરાઈ હતી અને બંને વખત KKR જીત્યું હતું. પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી હતી. જ્યારે, બીજી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે એક રનથી જીત મેળવી. આ વખતે KKR નવા કેપ્ટનના નેતૃત્વમાં રમતા જોવા મળશે. કોલકાતાની કમાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. તે જ સમયે, રજત પાટીદાર IPL 2025 માં RCB ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
આ વખતે મેગા ઓક્શનમાં, KKR એ ક્વિન્ટન ડી કોક, રહાણે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, મોઈન અલી જેવા મજબૂત ખેલાડીઓને પોતાની ટીમમાં ઉમેર્યા છે. તે જ સમયે, ટીમે વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. બોલિંગમાં, KKR પાસે એનરિચ નોર્ટજે, સ્પેન્સર જોહ્ન્સન, હર્ષિત રાણા જેવા ઝડપી બોલરો છે, જ્યારે સ્પિન વિભાગમાં, ટીમ પાસે વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને મયંક છે, જે તેમના સ્પિનથી કોઈપણ ટીમના બેટિંગ ક્રમને નષ્ટ કરી શકે છે.
IPL માં બેટ્સમેનનો દબદબો રહ્યો છે. આઈપીએલમાં ચોગ્ગા અને છગ્ગાનો જોરદાર વરસાદ થઈ રહ્યો છે. જોકે, શું તમે જાણો છો કે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન કોણ છે? જો તમારા મનમાં હિટમેન એટલે કે રોહિત શર્માનું નામ આવી રહ્યું છે, તો તમે બિલકુલ ખોટા છો. ચાલો આ પોસ્ટમાં તમને તે પાંચ બેટ્સમેનોના નામ જણાવીએ જેમણે આ લીગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ટોચના પાંચ બેટ્સમેનોની યાદીમાં ત્રણ ભારતીય નામોનો સમાવેશ થાય છે.
ક્રિસ ગેલ
IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. યુનિવર્સ બોસે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાયેલી 142 મેચમાં કુલ 357 છગ્ગા ફટકાર્યા છે. ગેલ આઈપીએલમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે આ લીગમાં 300 કે 350 થી વધુ છગ્ગા ફટકાર્યા છે. કેરેબિયન બેટ્સમેન સિવાય, અન્ય કોઈ બેટ્સમેન IPLમાં 300 છગ્ગાનો આંકડો પાર કરી શક્યો નથી.
રોહિત શર્મા
IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા બીજા સ્થાને છે. આ લીગમાં અત્યાર સુધી રમાયેલી 257 મેચોમાં હિટમેને 280 વખત બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલ્યો છે. રોહિત પાસે ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં 300 છગ્ગા પૂરા કરવાની સુવર્ણ તક હશે.
વિરાટ કોહલી
આરસીબીના બેટિંગ ઓર્ડરનો મુખ્ય આધારસ્તંભ ગણાતા વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબરે છે. કિંગ કોહલીએ અત્યાર સુધીમાં 252 મેચમાં 272 છગ્ગા ફટકાર્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે કોહલી પાસે રોહિતને પાછળ છોડી દેવાની સારી તક હશે. કોહલી એવા થોડા ખેલાડીઓમાંનો એક છે જે ટુર્નામેન્ટની શરૂઆતથી જ એક જ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યા છે.
એમએસ ધોની
લાંબા છગ્ગા મારવા માટે પ્રખ્યાત એમએસ ધોની આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા નંબરે છે. માહીએ 264 મેચમાં 252 છગ્ગા ફટકાર્યા છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. જોકે, ગયા સીઝનથી, તે ખેલાડી તરીકે CSK ટીમનો ભાગ છે અને કેપ્ટનશીપ રુતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યા છે.
એબી ડી વિલિયર્સ
મિસ્ટર 360 તરીકે પ્રખ્યાત એબી ડી વિલિયર્સે પણ આઈપીએલમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. ડિવિલિયર્સે હવે IPL ને અલવિદા કહી દીધું હોવા છતાં, તે હજુ પણ સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં પાંચમા સ્થાને છે. RCBના આ ભૂતપૂર્વ ખેલાડીએ 186 મેચોમાં 251 છગ્ગા ફટકાર્યા હતા.
રાજકોટ: દેશમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં સાકર ઉદ્યોગ અર્થતંત્રને સારી એવી મજબૂતી આપી રહ્યો છે. આપણે ત્યાં કુલ 525 જેટલી સાકર ફૅક્ટરી ધમધમી રહી છે અને એમાં મોટા ભાગની સહકારી ધોરણે ચાલે છે. સાકરના ઉત્પાદનમાં બીજા નંબરે રહેલા ભારતમાં વર્ષે દહાડે આશરે સાડા ત્રણ કરોડ મૅટ્રિક ટનનું ઉત્પાદન થાય છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સાકરનાં સૌથી મોટાં ઉત્પાદક રાજ્ય છે. ગુજરાતનો હિસ્સો ઓછો છે, પરંતુ દક્ષિણ ગુજરાતની ઈકોનોમીમાં આ ઉદ્યોગનો મહત્ત્વનો ભાગ છે. હવે થોડા મહિનામાં સૌરાષ્ટ્રમાં પણ બે સુગર મિલ ફરી ચાલુ થવાની છે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલી તાલાલા અને કોડીનારની સાકર ફૅક્ટરી ફરી શરૂ કરવાનું મુહૂર્ત એક દસકા બાદ હવે નીકળી રહ્યું છે. ગુજરાતમાં મોટા ભાગની સાકર ફૅક્ટરી સહકારી માધ્યમથી ચાલે છે. આ ઉદ્યોગના મોનિટરિંગ માટે સરકારમાં ખાંડ નિયામકની કચેરી કાર્યરત છે, જ્યારે સહકારી ફૅક્ટરીના સંકલન માટે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ નામની સ્વાયત્ત સંસ્થા કાર્યરત છે. સાકર ફૅક્ટરીઓ અને સરકાર વચ્ચે સેતુની ભૂમિકા આ સંઘનું મુખ્ય કામ છે.ગુજરાત સરકારના સાકર નિયામક એચ.એન. પટેલ રાજ્યમાં ખાંડ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ચિત્રલેખાને કહે છે: ‘રાજ્યમાં અત્યારે 15 ખાંડ ફૅક્ટરી કાર્યરત છે. એમની શેરડીની પિલાણક્ષમતા રોજના 65,000 મૅટ્રિક ટન છે. વાર્ષિક સાકર ઉત્પાદન અત્યારે આશરે 88 લાખ ક્વિન્ટલ જેટલું છે. શેરડીનું વાવેતર આશરે 1.43 લાખ હેક્ટરમાં થાય છે. ખાંડનું ઉત્પાદન ખેડૂતો કેવી પાક પૅટર્ન અપનાવે છે એના પર આધારિત હોવાથી ઉત્પાદન અને વાવેતરના આંકડા બદલાતા રહે છે.’
ગુજરાતના ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો કહે છે કે એક તબક્કે રાજ્યમાં 31 ફૅક્ટરી ચાલુ હતી, પરંતુ સાત મંડળી યોગ્ય સંચાલનના અભાવે બંધ થઈ અને નવ મિલ ફડચામાં ગઈ. હવે 15 ફૅક્ટરી જ ચાલુ છે. ફૅક્ટરીઓને પિલાણ માટે જરૂરી શેરડીનો માલ ન મળવાને કારણે ઉપરાંત યોગ્ય સંચાલનના અભાવે ખાંડ મંડળીઓ પર દેવું વધી જવાથી અમુક ફૅક્ટરીને તાળાં મારવાં પડ્યાં હતાં. મહારાષ્ટ્રની મજબૂત સુગર લૉબી જેવી વ્યવસ્થા ગુજરાતમાં નથી એટલે બંધ મિલો ચાલુ કરવા સહિતના અનેક પ્રશ્ર્નોનો ઉકેલ સમયસર લાવી શકાયો નથી.સૌરાષ્ટ્રમાં તાલાલા ખેડૂત સભાસદ મંડળી અને બિલેશ્વર ખાંડ મંડળી મારફત ચાલતી બન્ને ખાંડ ફૅક્ટરી બાર વર્ષથી બંધ હાલતમાં છે. તાલાલા ખાંડ ફૅક્ટરીનું તો તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈએ ડિસેમ્બર, 1978માં લોકાર્પણ કર્યું હતું. આશરે 30 વર્ષ સુધી આ ફૅક્ટરીમાં શેરડીનું પિલાણ થયું અને 30 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું. વર્ષ 2012-13માં આ ફૅક્ટરી બંધ કરવામાં આવતાં સ્થાનિક ખેડૂતોએ એમની શેરડીનો પાક ગોળ બનાવવા આપવો પડતો હતો. પછી તો શેરડીના પાકનું વાવેતર પણ આ પંથકમાં ઘટ્યું.
તાલાલા ખાંડ ફૅક્ટરીના ચૅરમૅન ભીમશીભાઈ બામરોટિયા કહે છે: ‘તાલાલાની સુગર ફૅક્ટરી પર આશરે 41 કરોડ રૂપિયાનું બૅન્કોનું અને કર્મચારીના હક્ક હિસ્સાના રૂપિયા 12 કરોડનું દેવું ચડી ગયું હતું. ફૅક્ટરીની આર્થિક સ્થિતિ સતત નબળી પડતી જતી હોવાથી અંતે વર્ષ 2012માં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા મહિના બાદ કોડીનારની ફૅક્ટરી પણ બંધ થઈ. બાદમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને સાંસદ રાજેશ ચૂડાસમા અને અન્ય સ્થાનિક આગેવાનો ખેડૂતોના લાભ માટે તાલાલા ખાંડ ફૅક્ટરી ફરી ચાલુ કરવા ગાંધીનગર અને દિલ્હી સુધી સતત રજૂઆત કરતા હતા. કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહને આગેવાનો આ મામલે રૂબરૂ મળ્યા હતા.
ડિસ્ટ્રિક્ટ સહકારી બૅન્ક અને ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કે સાથે બેઠકો કર્યા બાદ બૅન્કોએ સૅટલમેન્ટમાં વ્યાજ સાથે આશરે રૂપિયા 21 કરોડનું દેવું માફ કર્યું. આમ સંસ્થા પરથી દેવું હળવું થયું, પણ સંસ્થા પોતે ફૅક્ટરી ચલાવી શકે એમ ન હોઈ અન્ય કોઈ સંસ્થા બાકીનું કરોડોનું દેવું ભરે અને ફૅક્ટરીનું સંચાલન સંભાળે એવું આગેવાનોએ નક્કી કર્યું. આ વિશે ભારત સરકારના સહકાર મંત્રાલય સાથે મીટિંગ થયા બાદ અંતે કેન્દ્ર હસ્તકની ઈન્ડિયન પોટાશ લિમિટેડ (આઈપીએલ)ને 30 વર્ષના ભાડાપટ્ટે ફૅક્ટરી ચલાવવા માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’તાલાલા, કોડીનાર અને વલસાડની ત્રણ સુગર ફૅક્ટરી હવે કેન્દ્ર હસ્તકની આ સંસ્થા ઑપરેટ કરશે. સહકારી ધોરણે જ ચાલતી ઈન્ડિયન પોટાશને રાજ્યોમાં ખાંડ ફૅક્ટરી સફળ રીતે ચલાવવાનો અનુભવ છે. આ માટે આધુનિક મશીનરી ફિટ કરવામાં આવશે અને ટેક્ધોલૉજીનો મહત્તમ ઉપયોગ કરાશે. જો કે તાલાલા ખેડૂત મંડળી અને એનું બોર્ડ યથાવત્ રહેશે અને ફૅક્ટરીની જમીનમાલિકી મંડળીની જ રહેશે.’
તાલાલાની ખાંડ ફૅક્ટરી ચાલુ થવાથી તાલાલા, માળિયા, વિસાવદર, મેંદરડા, સૂત્રાપાડા, વેરાવળ અને ગીરગઢડા તાલુકાનાં 190 ગામોના ખેડૂતોને ફાયદો થશે. સ્થાનિક ધારાસભ્ય અને ફૅક્ટરીના ડિરેક્ટર ભગવાનભાઈ બારડચિત્રલેખાને કહે છે: ‘તાલાલાની ખાંડ ફૅક્ટરી ચાલુ કરવાના પ્રયાસો 2022થી ચાલુ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવેલા ત્યારે પણ આ મુદ્દો આગેવાનોએ ઉઠાવ્યો હતો. વડા પ્રધાન પણ આ ફૅક્ટરી વહેલી તકે ચાલુ થાય એવું ઈચ્છતા હતા. અંતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં ફૅક્ટરી ચાલુ કરવા અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી. તાલાલા ખેડૂત સભાસદોની બેઠક બોલાવીને ફૅક્ટરી સર્વાનુમતે આઈપીએલને ભાડાપટ્ટે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો. આગામી ઑક્ટોબર એટલે કે શેરડીના પાકનો નવો પાક આવે ત્યારથી પિલાણ શરૂ થઈ જાય એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.’
તાલાલા અને કોડીનારની ખાંડ ફૅક્ટરી ચાલુ થશે ત્યારે ૨૦ હજાર લોકોને રોજગારીમાં લાભ થશે એવો અંદાજ છે. આ પંથકના ખેડૂતો શેરડીનાં વાવેતર તરફ વળે એ માટે સરકારે ઠરાવેલા રૂપિયા 3400 લેખે નોંધણી પણ ચાલુ કરી દેવામાં આવી છે.
ગુજરાત સરકારમાં સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માચિત્રલેખાને કહે છે: ‘તાલાલા સભાસદ મંડળીના કાર્યક્ષેત્રમાં સાત તાલુકા છે. આ ફૅક્ટરી સાથે આશરે ૫૦૦૦ કરતાં વધુ સભાસદ ખેડૂતો જોડાયેલા છે, જ્યારે બિલેશ્ર્વર ખાંડ મંડળીમાં લગભગ ૧૨૦૦ સભાસદ ખેડૂતો છે. આ મંડળી મારફત કોડીનારની ખાંડ ફૅક્ટરી ચાલે છે. સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી બંધ પડેલી આ બન્ને સુગર ફૅક્ટરી ફરી ચાલુ થવા જઈ રહી છે. અનેક ખેડૂતોને એનો ફાયદો થશે. એટલું જ નહીં, શેરડી લાવવા લઈ-જવા વાહનોની જરૂર પડશે એટલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ લાભ થશે. હોટેલ-રેસ્ટોરાંના ધંધાર્થીઓને ફાયદો થશે. આમ હજારો સ્થાનિક લોકોને રોજગારી મળશે. ભવિષ્યમાં આ બન્ને ખાંડ ફૅક્ટરીમાં ઈથોનોલના ઉત્પાદનને મંજૂરી મળે તો વધુ ફાયદો મળશે.
આ માટે બજેટમાં 5 હજાર કરોડ રૂપિયાની અલગ જોગવાઈ કરવામાં આવી છે. હરિયાણા SYL કેનાલ દ્વારા પંજાબમાંથી પોતાના હિસ્સાનું પાણી લેશે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે હિસાર એરપોર્ટથી જયપુર, અયોધ્યા, અમદાવાદ, ચંદીગઢ અને જમ્મુ માટે ટૂંક સમયમાં હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવશે. હરિયાણા સરકાર ટૂંક સમયમાં 500 નોન-એસી, 150 HVAC અને 375 ઇલેક્ટ્રિક બસો ખરીદશે.
મેટ્રો લાઇનને મિલેનિયમ સિટી સેન્ટરથી ગુરુગ્રામના સાયબર સિટી સુધી લંબાવવામાં આવશે. આ માર્ગ 28.5 કિલોમીટર લાંબો છે. રોહતક અને ગુરુગ્રામની જેમ, રાજ્યના અન્ય શહેરોમાં પણ મલ્ટી-લેવલ પાર્કિંગ વિકસાવવામાં આવશે. સીએમ સૈનીએ ખેલાડીઓને ભેટની પણ જાહેરાત કરી. 1 એપ્રિલથી ખેડૂતોના ડાયેટ મની 400 રૂપિયાને બદલે 500 રૂપિયા કરવામાં આવ્યા છે. જો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ ક્યાંક એકેડેમી ખોલવા માંગતા હોય, તો સરકાર તેમને 5 કરોડ રૂપિયાની લોન અને 2 ટકા સબસિડી આપશે.
રાજ્યમાં દર 10 કિમીના ત્રિજ્યામાં એક નવી સંસ્કૃતિ મોડેલ સ્કૂલ ખોલવામાં આવશે. 750 ગ્રીન સ્ટોર્સ અને ૩૫૦ નવા વીટા બૂથ ખોલવામાં આવશે. મહિલા માળીઓને વ્યાજ વગર 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે. મિશન 2047 દ્વારા સરકાર 50 લાખ યુવાનોને રોજગાર આપશે. ગધેડાના મૂળ અંગે કડક કાયદો બનાવવામાં આવશે. બધા જિલ્લાઓમાં બાગાયતી મિશન શરૂ થશે. જે ખેડૂતો ડાંગરનો પાક નહીં વાવે તેમને 8000 રૂપિયા આપવામાં આવશે, જે 7000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવશે.
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી. પરંતુ હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયા પછી અભિનેત્રીના અભિનયના વખાણ થઈ રહ્યા છે. આ સંદર્ભમાં શાસક અને વિપક્ષી પક્ષોમાંથી કોઈએ તેમની પ્રશંસા કરી છે, જેનાથી તેમને ખુશીઓથી ભરી દેવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે તે વ્યક્તિએ શું લખ્યું?
સંસદ સત્રમાં પ્રશંસા થઈ
અભિનેત્રી કંગના રનૌત સંસદ સત્રમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેમને એક નોંધ મળી હતી. અભિનેત્રીએ આ નોટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. નોટમાં લખ્યું છે કે ગઈકાલે મેં ઇમર્જન્સી જોઈ અને કંગનાના વખાણ કર્યા અને તેને પ્રેમ આપ્યો. આ લખવાની સાથે નોટ પર એક સહી પણ કરવામાં આવી છે, જે ઓળખી શકાતી નથી. આ નોંધ શેર કરવા ઉપરાંત અભિનેત્રીએ લખ્યું કે બીજી બાજુથી એક મૌન પ્રશંસા પત્ર આવ્યો, જેનાથી તેણી સ્મિત કરી ગઈ.
પહેલા પણ પ્રશંસા થઈ છે
જ્યારથી આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે, ત્યારથી તેને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. થોડા દિવસો પહેલા એક યુઝરે એમ પણ કહ્યું હતું કે ફિલ્મ ‘ઇમર્જન્સી’ ઓસ્કાર જીતશે. આ ફિલ્મ માટે અભિનેત્રીને ઘણી પ્રશંસા મળી રહી છે.
કંગના રનૌત OTT પર છવાઈ
‘ઇમર્જન્સી’ શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને રવિવાર સાંજ સુધી તે ફિલ્મોની યાદીમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી હતી. તે પછી અજય દેવગણની ‘આઝાદ’ અને નાગા ચૈતન્ય-સાઈ પલ્લવીની ‘ટંડેલ’ આવે છે. “ઇમર્જન્સી” માં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાક નાયર, મિલિંદ સોમન અને સ્વર્ગસ્થ અભિનેતા સતીશ કૌશિક પણ છે. તે ઝી સ્ટુડિયો અને મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.
મુંબઈ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ હવે ભાવનગરના ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. જ્યારે ચેતન સાકરિયાએ એક ODI અને બે T20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 IPL મેચ રમી છે. જેમાં 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો હતો.
તમને જણાવી દઈએ કે, સાકરિયા ગયા વર્ષે પણ KKRની ટીમમાં હતો, પરંતુ તે એક પણ મેચ રમ્યો ન હતો અને હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલા પણ સાકરિયા IPLમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ચેતન આ તકનો કેવી રીતે લાભ ઉઠાવશે.IPL 2025 માટે KKR ટીમ
મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નિતેશ રાણેના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે. પુણેમાં પોતાના ભાષણ દરમિયાન નીતેશે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતો. ઇતિહાસમાં લખાયેલી તારીખ મુજબ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ આજે (સોમવાર) તેમના જન્મસ્થળ જુન્નરના શિવનેરી કિલ્લા ખાતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નિતેશ રાણે પણ અહીં હાજર હતા. જ્યાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન અને અભિષેક ખુદ નિતેશ દ્વારા કરવામાં આવ્યો હતો.
ધર્મનિરપેક્ષ રાજા બનાવવાની યોજના છે
આ પ્રસંગે ઉપસ્થિત શિવભક્તોને સંબોધતા નિતેશ રાણેએ કહ્યું,’આ આપણા રાજા શિવાજી મહારાજ, હિન્દુ ધર્મના સ્થાપકની ઓળખ છે. આ વાત વારંવાર બધાને જણાવવી જોઈએ કે કેટલાક લોકો આપણા રાજાને ધર્મનિરપેક્ષ રાજા બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આપણે તેને સફળ થવા ન દેવા જોઈએ.’
આપણે શિવાજીનો ઇતિહાસ ખૂબ સારી રીતે જાણીએ છીએ – રાણે
આ સાથે રાણેએ કહ્યું, ‘મેં થોડા દિવસો પહેલા આ અંગે એક નિવેદન પણ આપ્યું હતું, જે ગોળી જેવું છે. એક વાર ગોળી વાગી જાય પછી તે પાછી ફરી શકતી નથી. ઇતિહાસ ફક્ત તે ચાર-પાંચ લોકોને જ સમજે છે. એવું નથી કે આપણે તે જાણતા નથી. આપણે પણ ઘણું સમજી શકીએ છીએ. તેઓ આપણને જે ઐતિહાસિક માહિતી આપી રહ્યા છે. તે જ્ઞાની પણ છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને પણ સારી રીતે સમજી શકે છે.’
નિતેશ રાણાએ કહ્યું,’સ્વરાજની સ્થાપના દરમિયાન અંગ્રેજોએ પણ આપણા રાજાને હિન્દુ સેનાપતિ કહીને સન્માનિત કર્યા હતા. આદિલશાહે જારી કરેલા ફરમાનમાં તેમણે અફઝલ ખાનને લખ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના કાર્યકાળ દરમિયાન મુસ્લિમો અને ઇસ્લામની પ્રગતિ અટકી ગઈ હતી. તેથી, તેના પર હુમલો થવો જોઈએ, અમારી પાસે આના ઘણા પુરાવા પણ છે.’
શિવાજીની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતો – રાણે
આ સાથે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતેશે એમ પણ કહ્યું કે ઘણા પુરાવા હોવા છતાં, કેટલાક લોકો બિનજરૂરી રીતે ચાર-પાંચ મુસ્લિમોના નામનો ઉલ્લેખ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મુસ્લિમ સૈનિકો છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરતા હતા, પરંતુ વાસ્તવમાં આપણા રાજાની સેનામાં એક પણ મુસ્લિમ સૈનિક નહોતો. હું તમને આ વાત વિશ્વાસ સાથે કહી રહ્યો છું. જો મને તક મળશે, તો હું આ વાત પુરાવા સાથે વિધાનસભામાં પણ રજૂ કરીશ.’
મુંબઈ: કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં થોડાં દિવસો પહેલાં એક આંતરરાષ્ટ્રીય બિઝનેસ કોન્ફરન્સ ‘વિકસિત ભારત 2047’માં, આ વિષય પર આયોજિત કરવામાં આવી હતી.
મુખ્ય અતિથિ તરીકે ડો. રિચા શર્મા ડેપ્યુટી (ડાયરેક્ટર, ICSSR Ministry of Eduction Government of India) હાજર રહ્યા હતા. તથા અતિથિ વિશેષ તરીકે કે. નંદાકુમાર (પ્રમુખ, Centrols Industries) આવ્યા હતા.
વિદ્યાર્થીઓ, શાખાના સભ્યો અને 268 પ્રતિસ્પર્ધકોએ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને વિકસિત ભારતના ભવિષ્ય વિષે ચર્ચા કરી હતી.કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્યા ડો. લીલી ભૂષણના પ્રાસંગિક ઉદ્બબોધનથી થઇ હતી. સંસ્થાના ઉપઆચાર્ય ડો. વી. એસ. કન્નને ઉમળકાથી સહુનું સ્વાગત કર્યું હતું.બે દિવસીય આ સેમિનારની સફળતા એ સંસ્થાની પ્રગતિનો માપદંડ છે.