અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તુલસી ગબાર્ડની ભારત મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ (SFJ) ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદેસર સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. અહેવાલ છે કે સંરક્ષણ પ્રધાને અમેરિકી વહીવટીતંત્રને નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.
Happy to have met the US Director of National Intelligence Ms @TulsiGabbard in New Delhi. We discussed a wide range of issues which include defence and information sharing, aiming to further deepen the India-US partnership. pic.twitter.com/DTUgJIgeCN
— Rajnath Singh (@rajnathsingh) March 17, 2025
ગબાર્ડ રવિવારે વહેલી સવારે ભારતની અઢી દિવસની મુલાકાતે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના કોઈ ઉચ્ચ અધિકારીની આ પહેલી ઉચ્ચ સ્તરીય ભારત મુલાકાત છે. સોમવારે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન, સંરક્ષણ અને માહિતી શેરિંગના ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા રાજનાથે કહ્યું કે તેઓ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફને મળીને ખુશ થયા અને તેમણે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ કહ્યું, “અમે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી સંરક્ષણ અને માહિતી શેરિંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
એક દિવસ પહેલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ગબાર્ડે રવિવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી અને વિશ્વભરના ટોચના ગુપ્તચર અધિકારીઓના પરિષદની અધ્યક્ષતા કરી હતી. એવું માનવામાં આવે છે કે રૂબરૂ મુલાકાતમાં, ડોભાલ અને ગબાર્ડે મુખ્યત્વે ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અનુસાર ગુપ્ત માહિતી શેરિંગ મિકેનિઝમને મજબૂત બનાવવા અને સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.



ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ લાહોર, કરાચી અને રાવલપિંડીમાં હતી જ્યારે ભારતીય ટીમે પોતાની તમામ મેચ દુબઈમાં રમી. ફાઈનલ પણ દુબઈમાં જ થઈ હતી. પાકિસ્તાની બોર્ડે ત્રણેય ઘરેલુ સ્ટેડિયમોને ઠીક કરવામાં 58 મિલિયન ડોલર (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યા હતાં.
પાકિસ્તાન ક્રિકેટ ટીમે પોતાના ઘરમાં થયેલી આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શરમજનક પ્રદર્શન કર્યું હતું. આ ટીમ કોઈ મેચ જીત્યા વિના 5 દિવસમાં જ બહાર થઈ ગઈ હતી. ટીમ ગ્રૂપ સ્ટેજમાં આગળ વધી શકી નહીં. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને ભારતે હરાવ્યુ જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ વરસાદથી ધોવાઈ ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ચિંતન વાઘેલા નામનો યુવક નસરીનબાનુ સાથે રૂમમાં ગયો હતો. ત્યારબાદ યુવક એકલો ત્યાંથી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ રૂમમાં કોઈ પ્રવેશ્યુ હોય તેવું જણાતું નથી. બાદમાં નસરીન મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસનું માનવું છે કે, ચિંતને નસરીનને ગળે ટૂંપો આપી હત્યા કરી હશે. બાદમાં તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.




