Home Blog Page 109

ઈન્ડિગો સંકટ પર તાત્કાલિક સુનાવણી કોર્ટનો ‘સુપ્રીમ’ ઈનકાર

નવી દિલ્હીઃ ઈન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી હોવાને મામલે સુપ્રીમ કોર્ટે દખલ કરવાની માગ કરતી અરજી પર તરત સુનાવણી કરવા તૈયાર નથી. કોર્ટે કહ્યું હતું કે અમે એરલાઇન નથી ચલાવી શકતા. ભારત સરકાર આ મુદ્દાથી પહેલેથી જ માહિતગાર છે અને સમયસર કાર્યવાહી કરી છે. ત્યાર બાદ આ મામલો બુધવાર માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિગો ફ્લાઇટ્સમાં સતત સાતમા દિવસે પણ અવરોધ ચાલુ છે. એરલાઇન કંપનીએ સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250થી વધુ ઉડાનો રદ કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વીકાર્યું હતું કે ફ્લાઇટ રદ થવાથી અનેક મુસાફરોને ગંભીર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અરજદાર વકીલ નરેન્દ્ર મિશ્રાએ અરજી કરીને ટોચની કોર્ટને કેસની વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે 2500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને દેશભરનાં મોટા ભાગનાં એરપોર્ટ્સ અસરગ્રસ્ત છે, તેથી સુપ્રીમ કોર્ટે જરૂરી હસ્તક્ષેપ કરવો જોઈએ.

બીજી ડિસેમ્બરથી ચાલુ ઈન્ડિગો સંકટ

ઈન્ડિગોએ બીજી ડિસેમ્બરથી અત્યાર સુધી સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે, જેને કારણે એરલાઇનને હજારોથી વધુ મુસાફરોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ આ રદ થવા માટે પાઈલોટ્સની નવી ફ્લાઇટ ડ્યૂટી અને નિયમોમાં બદલાવને જવાબદાર ઠેરવ્યા છે, જેને કારણે દેશભરમાં લાખો મુસાફરો એરપોર્ટ્સ પર અડવાયા હતા.

શરૂઆતના ત્રણ દિવસ સુધી રાહુલ ભાટિયાની આંશિક હિસ્સેદારી ધરાવતી આ એરલાઇન  ભારે પ્રમાણમાં થઈ રહેલી રદ ફ્સાઇટ્સને સ્વીકારવામાં નિષ્ફળ રહી હતી. માત્ર એક જ દિવસે (શુક્રવારે) એરલાઇને 1600 ફ્લાઇટ્સ રદ કરી હતી — જે ભારતીય ઉડ્ડયનના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. ત્યાર બાદ CEO પીટર એલ્બર્સે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ માફી માગતો એક વિડિયો જાહેર કર્યો હતો.

હૈદરાબાદમાં ટ્રમ્પના નામ પરથી રસ્તાનું નામ રાખવાની જાહેરાત, ભાજપ ભડકી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં એક શેરીનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આ જાહેરાતથી ભાજપ ગુસ્સે ભરાયું છે, તેમણે મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો છે, જેમણે માંગ કરી છે કે તેઓ પહેલા હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરે.

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ હૈદરાબાદમાં એક રસ્તાનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. જોકે, આનાથી તેમના વિરોધીઓ ટીકા કરી રહ્યા છે. તેલંગાણા ભાજપે મુખ્યમંત્રીના પ્રસ્તાવની ટીકા કરી છે.

હૈદરાબાદ રોડનું નામ ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’ રાખવામાં આવશે

મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પ્રસ્તાવ મૂક્યો છે કે હૈદરાબાદમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ તરફ જતા રસ્તાનું નામ ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’ રાખવામાં આવે. જો આવું થાય, તો દુનિયામાં પહેલી વાર કોઈ પણ દેશમાં આ રીતે કોઈ વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિનું સન્માન કરવામાં આવશે. એ નોંધનીય છે કે હૈદરાબાદમાં ગુગલ સ્ટ્રીટ જેવી શહેરના વિકાસમાં યોગદાન આપનારા રાજકારણીઓ અને વૈશ્વિક કંપનીઓના નામ પર રસ્તાઓનું નામ આપવાની પરંપરા છે, જે હૈદરાબાદમાં ગુગલની મજબૂત હાજરી દર્શાવે છે. તેવી જ રીતે, ‘માઈક્રોસોફ્ટ રોડ’ અને ‘વિપ્રો જંકશન’ પણ છે.

ભાજપનો કટાક્ષ – હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર

તેલંગાણાના ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાંડી સંજય કુમારે તેલંગાણાના મુખ્યમંત્રીના પ્રસ્તાવની ટીકા કરી અને હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની માંગ કરી. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં બાંડી સંજય કુમારે લખ્યું, “હૈદરાબાદનું નામ પાછું ભાગ્યનગર કરો. જો કોંગ્રેસ સરકાર નામ બદલવા માટે આટલી જ ઉત્સુક છે, તો તેમણે એવું કંઈક કરવું જોઈએ જેનો વાસ્તવિક ઇતિહાસ અને અર્થ હોય.” “આપણે કેટલી ભયંકર પરિસ્થિતિમાં જીવીએ છીએ – એક તરફ, કેટી રામા રાવ કેસીઆરના જીવંત હોવા છતાં તેમની મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત છે. બીજી તરફ, રેવંત રેડ્ડી ટ્રેન્ડિંગ વ્યક્તિઓના નામ પરથી સ્થળોના નામ બદલી રહ્યા છે. દરમિયાન, ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે ખરેખર સરકાર પર સવાલ ઉઠાવે છે અને વિરોધ પ્રદર્શનો દ્વારા લોકોના વાસ્તવિક મુદ્દાઓ ઉઠાવે છે.”

ત્રણ ‘બાબરી મસ્જિદ’ સાથે હોસ્પિટલ અને સ્મારક બનાવવાની પણ તૈયારી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદને લઈને રાજકીય તોફાન ઊભું થયું છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા વિધાનસભ્ય હુમાયૂ કબીરએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ત્રણ મોટી મસ્જિદો બનાવવામાં આવશે, જેમાંથી પ્રથમ મસ્જિદની પાયો મુર્શિદાબાદમાં મુકાઈ ચૂક્યો છે.

કેટલો ખર્ચ થશે?

મુર્શિદાબાદની મસ્જિદ પર અંદાજિત ખર્ચ- રૂ. 300 કરોડ

ત્રણ મસ્જિદો પર કુલ ખર્ચ- રૂ. 1000 કરોડ

ફંડિંગ પર સવાલો

  • શિલાન્યાસ દરમિયાન 60 હજાર બિરયાનીનાં પેકેટ વહેંચાયા
  • પહેલા જ દિવસે 100 ટ્રેક્ટર ઈંટ અને સામાન પહોંચ્યો
  • દાવો: એક વ્યક્તિએ રૂ. 80 કરોડનું દાન આપ્યું
  • આરબ દેશોમાંથી આવેલા મૌલાનાઓ પણ કાર્યક્રમમાં જોડાયા
  • શું ખાડી દેશોમાંથી ફંડિંગ થઈ રહી છે?

આ પરિસ્થિતિમાં સવાલ ઊઠે છે કે હુમાયૂં મુસલમાનોના મત બેંકને લક્ષ્ય બનાવી રહ્યા છે? અને તેમના ફંડિંગને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે.

કયા જિલ્લાઓમાં મસ્જિદ?પ્રાપ્ત માહિતી પ્રમાણે મુર્શિદાબાદમાં જ્યાં હુમાયુ ‘બાબરી મસ્જિદ’ બનાવવા કહે છે ત્યાં 70 ટકા મુસ્લિમ વસ્તી છે. આ ઉપરાંત બીજા જિલ્લામાં માલદામાં મુસ્લિમ વસ્તી 51 ટકા છે, જ્યારે બીરભૂમ જિલ્લામાં 35 ટકા મુસ્લિમ વસ્તી છે.

રાજકીય ટકરાવ તેજ

બાબરી મસ્જિદને લઈને દેશભરમાં રાજકીય તાપમાન વધ્યું છે. ભાજપે આ મુદ્દે મમતા બેનર્જી અને હુમાયુ પર હુમલા તેજ કર્યા છે. ભાજપ સાંસદ સમ્બિત પાત્રાએ કહ્યું છે કે મમતા અને હુમાયુ તુષ્ટીકરણનું રાજકારણ કરી રહ્યાં છે. જ્યારે TMC નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે ભાજપ ધર્મના નામે હંગામો મચાવી રહ્યો છે. એ ઉપરાંત, UPના ઉપ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કહ્યું છે કે અમારો મસ્જિદથી કોઈ વિરોધ નથી, પરંતુ જો બાબરને નામે મસ્જિદ બનશે તો અમે વિરોધ કરીશું.

પણ બાબરી સ્મારકનું એલાન

બંગાળ બાદ હવે હૈદરાબાદમાં પણ બાબરી સ્મારકની જાહેરાત થઈ છે. તહરિક મુસ્લિમ શબ્બાન સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી સ્મારક બનશે, એ સાથે જ હોસ્પિટલ અને સ્કૂલ પણ બનાવવામાં આવશે.

 

ઇન્ડિગો કટોકટી: સાતમા દિવસે પણ મોટાપાયે ફ્લાઇટ રદ

નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સેવાઓમાં ચાલી રહેલા વિક્ષેપને કારણે દેશભરના હજારો મુસાફરોની મુસાફરી યોજનાઓ પર અસર પડી છે. સોમવારે (8 ડિસેમ્બર) દિલ્હી એરપોર્ટ અને મુંબઈ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી, જેના કારણે હવાઈ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.દિલ્હી એરપોર્ટની સ્થિતિ

દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે મોટાભાગની ફ્લાઇટ્સ હવે સમયપત્રક મુજબ કાર્યરત છે, પરંતુ કેટલીક ફ્લાઇટ્સ હજુ પણ રદ અથવા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે. એરપોર્ટે જણાવ્યું હતું કે તેની ગ્રાઉન્ડ ટીમ મુસાફરોને સુવિધા આપવા માટે અથાક મહેનત કરી રહી છે અને લોકોને એરલાઇન્સ સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી છે. સોમવારે દિલ્હીથી કુલ 234 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આમાં વારાણસી, ઇન્દોર, હૈદરાબાદ, વિજયવાડા અને જમ્મુની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

મુંબઈ એરપોર્ટની સ્થિતિ

સોમવારે મુંબઈથી નવ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આમાં ચંદીગઢ, નાગપુર, બેંગલુરુ, હૈદરાબાદ, ગોવા, દરભંગા, કોલકાતા અને ભુવનેશ્વરની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.DGCAએ IndiGoને કારણદર્શક નોટિસ ફટકારી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ છેલ્લા છ દિવસથી સતત ફ્લાઇટ વિક્ષેપ માટે IndiGoના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબિલિટી મેનેજર ઇસ્ડ્રો પોર્કેરાસને ‘કારદર્શક નોટિસ’ ફટકારી હતી. અધિકારીઓએ હવે તેમને જવાબ રજૂ કરવા માટે વધારાના 24 કલાક અથવા સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

DGCAએ એરલાઇનની જવાબદારી સુનિશ્ચિત કરવા અને મુસાફરોને થતી સમસ્યાઓના નિરાકરણ માટે આ પગલું ભર્યું છે. IndiGoની વારંવાર ફ્લાઇટ સમસ્યાઓએ હવાઈ મુસાફરીના નિયમો અને એરલાઇનની સેવા ક્ષમતાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

થાઈલેન્ડે કમ્બોડિયા સરહદ પર કરી એર સ્ટ્રાઈક

બેન્ગકોક: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના દરેક મોટા મંચ પર અનેક યુદ્ધો રોક્યાનો દાવો કરતા રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમની પહેલ અને મધ્યસ્થતાને કારણે અનેક દેશો વચ્ચેના યુદ્ધ અટક્યા છે. આવાં જ યુદ્ધોમાં થાઈલેન્ડ અને કમ્બોડિયાનો વિવાદ પણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર જ બંને દેશો વચ્ચે નવેમ્બરમાં સીઝફાયર અંગે સહમતી  થઈ હતી, પરંતુ આ સમજૂતી પછી ફરી એક વાર થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે જંગનો માહોલ સર્જાયો છે. થાઈલેન્ડે કમ્બોડિયા સાથેની સરહદ વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરી છે. તણાવ વધતાં બંને દેશોએ એકબીજા પર પહેલા હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

જુલાઈમાં પણ થયેલી હતી લડાઈ

ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુલાઈ મહિનામાં ક્ષેત્રીય વિવાદોને કારણે બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી અથડામણ થઈ હતી, જેમાં અનેક સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં હતાં. થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈ સુઆરીએ જણાવ્યું હતું કે કમ્બોડિયાના સૈનિકોએ અમારા અનેક વિસ્તારોમાં પહેલા ગોળાબાર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર આ ગોળીબારમાં થાઈલેન્ડનો એક સૈનિક માર્યો ગયો અને અન્ય ચાર સિપાહીઓને ઈજા થઈ. ગોળીબાર થતાં પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને ખસેડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કમ્બોડિયાના હુમલાઓને રોકવા માટે થાઈલેન્ડે કડક પગલાં લીધાં છે અને કમ્બોડિયાના અનેક વિસ્તારોમાં સૈન્ય પ્રદેશોને નિશાન બનાવવા માટે વિમાનોનો ઉપયોગ કર્યો છે.

કમ્બોડિયાએ શું આરોપ લગાવ્યો?

કમ્બોડિયાના રક્ષા મંત્રાલયની પ્રવક્તા મેલી સોચિયાતાએ જણાવ્યું હતું કે પહેલા થાઈ સેનાએ કમ્બોડિયન સૈનિકો પર હુમલો કર્યો. તેમના જણાવ્યા અનુસાર કમ્બોડિયાએ સોમવારે થયેલા શરૂઆતના હુમલાઓમાં કોઈ પ્રતિકાર કર્યો નહોતો. તેમણે માગ કરી હતી કે કમ્બોડિયા થાઈલેન્ડને અપીલ કરે છે કે તે શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકે એવી તમામ શત્રુતાપૂર્વકની પ્રવૃત્તિઓને તરત જ બંધ કરે.

પુતિન ગયા, હવે ઝેલેન્સકીની દિલ્હી મુલાકાતની તૈયારીઓ શરૂ

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દિલ્હીની સફળ મુલાકાત બાદ, ભારતે વધુ એક ગણતરીપૂર્વકનું રાજદ્વારી પગલું ભર્યું છે. ભારત હવે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને દિલ્હીમાં યજમાન બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. રાજદ્વારી વર્તુળો આને ભારતની વિદેશ નીતિમાં સંતુલનકારી કાર્ય માને છે. એવું માનવામાં આવે છે કે ઝેલેન્સકીની દિલ્હી મુલાકાત જાન્યુઆરી 2026માં થઈ શકે છે, જો કે આ મુલાકાતની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ભારત ઘણા અઠવાડિયાથી યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ પુતિનની નવી દિલ્હી મુલાકાત પહેલાથી આ પ્રયાસ ચાલી રહ્યો છે. ભારતીય અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે ઘણા અઠવાડિયાથી ચર્ચાઓ ચાલી રહી છે, અને પુતિનની મુલાકાત પહેલા પણ નવી દિલ્હી ઝેલેન્સકીના કાર્યાલય સાથે સંપર્કમાં હતું.

ઝેલેન્સકીની મુલાકાત રશિયા-યુક્રેન સંઘર્ષના બંને પક્ષો સાથે જોડાવાના ભારતના પ્રયાસોને મજબૂત બનાવશે. ભારત ઘણા મહિનાઓથી આ નીતિને અનુસરી રહ્યું છે. આ જ કારણ છે કે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ 2024માં મોસ્કોની મુલાકાત લીધી હતી અને પુતિન સાથે મુલાકાત કરી હતી, ત્યારે પીએમ મોદીએ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લીધી હતી. યુક્રેનિયન સ્થાનિક રાજકારણ, જ્યાં ઝેલેન્સકીની સરકાર હાલમાં એક મોટા ભ્રષ્ટાચાર કૌભાંડને કારણે દબાણ હેઠળ છે, તે પણ આ પ્રસ્તાવિત મુલાકાતને અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ અત્યાર સુધીમાં ફક્ત ત્રણ વાર ભારતની મુલાકાતે આવ્યા છે. આ પ્રસંગો 1992, 2002 અને 2012માં હતા.

યુરોપ પુતિનની મુલાકાત પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઘણા યુરોપિયન રાજદૂતોએ ભારતને યુદ્ધનો અંત લાવવા માટે મોસ્કો પર દબાણ કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. ભારતે સતત કહ્યું છે કે વાતચીત અને રાજદ્વારી જ એકમાત્ર રસ્તો છે. આ વખતે પણ, રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત તટસ્થ નથી; ભારત શાંતિના પક્ષમાં છે. યુક્રેન યુદ્ધ પર ભારતની નીતિ લાંબા સમયથી સુસંગત રહી છે.ફેબ્રુઆરી 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત પુતિન અને ઝેલેન્સ્કી બંનેના સંપર્કમાં છે. મોદીએ ઝેલેન્સ્કી સાથે ઓછામાં ઓછી આઠ વખત ફોન પર વાત કરી છે, અને બંને નેતાઓ ઓછામાં ઓછા ચાર વખત વિવિધ પ્લેટફોર્મ પર મળ્યા છે.

ઓગસ્ટ 2024માં યુક્રેનની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, “અમે યુદ્ધથી દૂર રહ્યા છીએ, પરંતુ અમે તટસ્થ નથી; અમે શાંતિના પક્ષમાં છીએ. અમે બુદ્ધ અને ગાંધીની ભૂમિથી શાંતિનો સંદેશ લાવ્યા છીએ.”

ભારતથી હજારો કિલોમીટર દૂર ફેલાયેલા યુક્રેન-રશિયા સંઘર્ષની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પણ પડી છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સે ભારત પર 25% દંડ ટેરિફ લાદ્યો છે.

ગોવા નાઈટક્લબ દુર્ઘટના: વાયરલ વીડિયોમાં ડાન્સની મસ્તી વચ્ચે આગની જ્વાળાઓ

અર્પોરા: ઉત્તર ગોવામાં શનિવારે મોડી રાત્રે લોકપ્રિય અર્પોરા નાઇટક્લબ બિર્ચમાં લાગેલી ભીષણ આગમાં પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. રાત્રે 11.45 વાગ્યે બેલી-ડાન્સ પરફોર્મન્સ દરમિયાન આગ ફાટી નીકળી અને થોડી જ સેકન્ડોમાં પહેલા માળના ડાન્સ ફ્લોરને ઘેરી લીધું. જ્યારે આગ લાગી ત્યારે લગભગ 150 લોકો ડીજે વિસ્તારમાં હતા, જ્યારે આગની જાણ પહેલી વાર થઈ ત્યારે ડાન્સર મહેબૂબા ઓ મહેબૂબાના ગીત પર પરફોર્મ કરી રહી હતી.

માનવામાં આવે છે કે ઇલેક્ટ્રિક ફટાકડા લાકડાના છત પર અથડાયા હતા, જેનાથી આગ લાગી હતી. ધુમાડો ઝડપથી ઇમારતમાં ભરાઈ ગયો, જેના કારણે ગભરાટનો માહોલ ફેલાયો. કેટલાક મહેમાનો નીચે બેઝમેન્ટ કિચનમાં ભાગી ગયા, જ્યાં 23 લોકો ગૂંગળામણમાં મૃત્યુ પામ્યા. પાછળથી સીડી પર બે સળગી ગયેલા મૃતદેહ મળી આવ્યા છે.

મૃતકોમાં આસામ, બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના 20 સ્ટાફ અને પાંચ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પાણીથી ઘેરાયેલા આ ક્લબમાં ફક્ત એક પ્રવેશ માટે એક સાંકડો રસ્તો જ હતો, જેના કારણે લોકો ફસાઈ ગયા હતા અને બચાવ કાર્યમાં વિલંબ થયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે નાઈટક્લબ યોગ્ય લાઇસન્સ વિના કાર્યરત હતું અને ફાયર સેફ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરતું હતું. આ દુર્ઘટના બાદ રાજ્ય સરકારના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને ડીજીપી આલોક કુમાર સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરશે. તેમણે સિલિન્ડર વિસ્ફોટની શરૂઆતની અટકળોને ફગાવી દીધી હતી, નોંધ્યું હતું કે પોલીસ અને ફાયર સર્વિસની તપાસમાં ઇલેક્ટ્રિક ફટાકડાને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું. “લાકડાની છતને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી,” તેમણે કહ્યું.શનિવાર સાંજ સુધીમાં 17 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું, અને પાંચને પરિવારોને સોંપવામાં આવ્યા હતા. તપાસ બાદ, રાજ્ય સરકારે અપૂરતા અગ્નિ સલામતી પગલાંનો ઉલ્લેખ કરીને, તે જ માલિકની માલિકીની બીજી ક્લબ, વાગેટર ખાતે રોમિયો લેનને સીલ કરી દીધી હતી.

પોલીસે ચાર ક્લબ સ્ટાફ – ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક, ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુર, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને જનરલ મેનેજર વિવેક સિંહની ધરપકડ કરી હતી. દિલ્હી સ્થિત માલિકો સૌરભ અને ગૌરવ લુથરા સામે અકસ્માતે હત્યાનો ગુનો દાખલ કરી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. ધરપકડ વોરંટ બજાવવા માટે પોલીસ ટીમ દિલ્હીમાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રી સાવંતે દરેક મૃત્યુ પામેલા માટે 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.