નવી દિલ્હીઃ ઈન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી હોવાને મામલે સુપ્રીમ કોર્ટે દખલ કરવાની માગ કરતી અરજી પર તરત સુનાવણી કરવા તૈયાર નથી. કોર્ટે કહ્યું હતું કે અમે એરલાઇન નથી ચલાવી શકતા. ભારત સરકાર આ મુદ્દાથી પહેલેથી જ માહિતગાર છે અને સમયસર કાર્યવાહી કરી છે. ત્યાર બાદ આ મામલો બુધવાર માટે લિસ્ટ કરવામાં આવ્યો હતો.
ઈન્ડિગો ફ્લાઇટ્સમાં સતત સાતમા દિવસે પણ અવરોધ ચાલુ છે. એરલાઇન કંપનીએ સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250થી વધુ ઉડાનો રદ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વીકાર્યું હતું કે ફ્લાઇટ રદ થવાથી અનેક મુસાફરોને ગંભીર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અરજદાર વકીલ નરેન્દ્ર મિશ્રાએ અરજી કરીને ટોચની કોર્ટને કેસની વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે 2500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે અને દેશભરનાં મોટા ભાગનાં એરપોર્ટ્સ અસરગ્રસ્ત છે, તેથી સુપ્રીમ કોર્ટે જરૂરી હસ્તક્ષેપ કરવો જોઈએ.
બીજી ડિસેમ્બરથી ચાલુ ઈન્ડિગો સંકટ
ઈન્ડિગોએ બીજી ડિસેમ્બરથી અત્યાર સુધી સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે, જેને કારણે એરલાઇનને હજારોથી વધુ મુસાફરોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ આ રદ થવા માટે પાઈલોટ્સની નવી ફ્લાઇટ ડ્યૂટી અને નિયમોમાં બદલાવને જવાબદાર ઠેરવ્યા છે, જેને કારણે દેશભરમાં લાખો મુસાફરો એરપોર્ટ્સ પર અડવાયા હતા.
શરૂઆતના ત્રણ દિવસ સુધી રાહુલ ભાટિયાની આંશિક હિસ્સેદારી ધરાવતી આ એરલાઇન ભારે પ્રમાણમાં થઈ રહેલી રદ ફ્સાઇટ્સને સ્વીકારવામાં નિષ્ફળ રહી હતી. માત્ર એક જ દિવસે (શુક્રવારે) એરલાઇને 1600 ફ્લાઇટ્સ રદ કરી હતી — જે ભારતીય ઉડ્ડયનના ઇતિહાસમાં એક રેકોર્ડ છે. ત્યાર બાદ CEO પીટર એલ્બર્સે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ માફી માગતો એક વિડિયો જાહેર કર્યો હતો.



દિલ્હી એરપોર્ટની સ્થિતિ
DGCAએ IndiGoને કારણદર્શક નોટિસ ફટકારી

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ભારત ઘણા અઠવાડિયાથી યુક્રેનિયન રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ પુતિનની નવી દિલ્હી મુલાકાત પહેલાથી આ પ્રયાસ ચાલી રહ્યો છે. ભારતીય અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે ઘણા અઠવાડિયાથી ચર્ચાઓ ચાલી રહી છે, અને પુતિનની મુલાકાત પહેલા પણ નવી દિલ્હી ઝેલેન્સકીના કાર્યાલય સાથે સંપર્કમાં હતું.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત પુતિન અને ઝેલેન્સ્કી બંનેના સંપર્કમાં છે. મોદીએ ઝેલેન્સ્કી સાથે ઓછામાં ઓછી આઠ વખત ફોન પર વાત કરી છે, અને બંને નેતાઓ ઓછામાં ઓછા ચાર વખત વિવિધ પ્લેટફોર્મ પર મળ્યા છે.
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને ડીજીપી આલોક કુમાર સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરશે. તેમણે સિલિન્ડર વિસ્ફોટની શરૂઆતની અટકળોને ફગાવી દીધી હતી, નોંધ્યું હતું કે પોલીસ અને ફાયર સર્વિસની તપાસમાં ઇલેક્ટ્રિક ફટાકડાને કારણભૂત ગણાવવામાં આવ્યું હતું. “લાકડાની છતને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી,” તેમણે કહ્યું.
શનિવાર સાંજ સુધીમાં 17 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું, અને પાંચને પરિવારોને સોંપવામાં આવ્યા હતા. તપાસ બાદ, રાજ્ય સરકારે અપૂરતા અગ્નિ સલામતી પગલાંનો ઉલ્લેખ કરીને, તે જ માલિકની માલિકીની બીજી ક્લબ, વાગેટર ખાતે રોમિયો લેનને સીલ કરી દીધી હતી.

