બેંગલુરુઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન માટે રાજકીય ગરમાવો આવ્યો છે.સિદ્ધારમૈયા CM રહેશે કે ડીકે શિવકુમારને રાજ્યનું સુકાન સોંપવામાં આવશે, એને લઈને વિવિધ નેતાઓનાં નિવેદનો સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઇલીએ દોવો કરતાં કહ્યું છે કે ડીકે શિવકુમારને CM બનવાથી કોઈ નહીં રોકી શકે.તેમની પાસે સારું નેતૃત્વ છે.
રાજ્યમાં સિદ્ધારમૈયાને સ્થાને નાયબ CM ડી.કે. શિવકુમારના CM બનવાની અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ રવિવારે (બીજી માર્ચ) દાવો કર્યો હતો કે શિવકુમાર આગામી ડિસેમ્બરથી આગામી વર્ષો માટે CM તરીકે સેવા આપશે.’
ચન્નાગિરીના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ કહ્યું હતું કે લખી લો, ડિસેમ્બર સુધીમાં થઈ જશે. જો તમે ઇચ્છો તો, હું લોહીથી પણ લખી શકું છું કે તેઓ (શિવકુમાર) ડિસેમ્બર સુધીમાં CM બની જશે. જો તેઓ ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળશે, તો તેઓ વહીવટ ચલાવશે જેમાં આગામી પાંચ વર્ષનો કાર્યકાળ પણ સામેલ હશે, તેથી કુલ મળીને તેઓ 7.5 વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે. શિવકુમારે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.’
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોઈલીએ કહ્યું હતું કે હું એ વ્યક્તિ હતી જેણે ખાતરી આપી હતી કે શિવકુમારને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા માટે પહેલી ટિકિટ મળે. આજે તેઓ કર્ણાટકમાં એક સફળ નેતા તરીકે ઊભરી આવ્યા છે. ચાલો આપણે બધા ઈચ્છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે CM0 બને. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ હોવા છતાં શિવકુમારે પડકારજનક સમયમાં પણ રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે અથાક મહેનત કરી છે અને અન્ય રાજ્યોમાં પાર્ટીને સત્તામાં લાવવામાં પણ યોગદાન આપ્યું છે.








સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે. તેમાં વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિતે ગીર સફારીમાં વડાપ્રધાન મોદી સિંહ દર્શન કરશે. વડાપ્રધાન મોદી સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે ચર્ચા કરશે. તેમાં સવારે 6 થી 8 કલાક સુધી ગીર નેશનલ પાર્ક ખાતે સિંહ દર્શન કરશે તથા 9:30 થી 11:30 કલાક સિંહ સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ લાયન અતંર્ગત નવા પ્રોજેક્ટો અંગે PM મોદી ઘોષણા કરશે.



