રાજકોટ: ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર તોફાની રાધા (રાધિકા ધામેચા) એ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા (ઉ.વ.26) ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ શહેરના રૈયા રોડ પર એકલી રહેતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26) જે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામથી પોતાના કોન્ટેન્ટથી ફેમસ બની હતી. યુવતીએ ગઈકાલે રાત્રિના ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા રાધિકાએ તેના પિતાને ફોન કરી હું જાઉં છું કહ્યું હતું જેથી પિતાને અજુક્તું લાગતા તેઓ તુરંત રાધિકા જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચતા રાધિકા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેને નીચે ઉતારી હોસ્પિટલ ખેસડવામાં આવી હતી, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગેની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોઅમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાધિકાના ઇન્સ્ટાગ્રામમાં 42,800થી વધુ ફોલોઅર્સ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 7 વાગ્યે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજમાં એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં ફિલ્મ અભિનેતા દ્વારા ડાયલોગ બોલવામાં આવે છે કે ‘હર એક કી ઝીંદગી મેં એક સમય આતા હૈ, જબ ઉસે ફેંસલા કરના પડતા હૈ કી પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હે’.


દ્રશ્ય ઉમેર્યું હતું જેની નાના પાટેકરને પણ ખબર ન હતી. અને નાના બીમાર હોવા છતાં એના ક્લાઇમેક્સનું શુટિંગ કર્યું હતું. ફિલ્મ તૈયાર થઈ ગઈ અને એની પહેલી નકલ બહાર આવી ત્યારે મેહુલકુમારે ટ્રાયલ જોઈ અને થયું કે હિન્દુ- મુસલમાનનું લોહી એક જ રંગનું છે એ સૌથી મહત્વનું દ્રશ્ય ઇન્ટરવલ પછી તરત જ આવી જાય છે. મેહુલકુમારને થયું કે ઇન્ટરવલમાં નાસ્તો કરવા કે ધૂમ્રપાન માટે જતાં લોકો મોડા આવે છે અને તેઓ એને જોઈ શકશે નહીં. એટલે ઇન્ટરવલ પછી એક નવું દ્રશ્ય ઉમેરવાનું વિચાર્યું. એમને એક લારીવાળા સાથેની મુલાકાતનો પ્રસંગ યાદ આવી ગયો અને એક લારી લઈ ધંધો કરતાં ગરીબ વૃધ્ધનું દ્રશ્ય ઉમેરવાનું નક્કી કર્યું.


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની ટેરિફ નીતિમાં આમૂલ ફેરફારો કરી રહ્યા છે. આક્રમક વેપાર નીતિ અપનાવતા, ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેઓ કોઈ પણ દેશ પર એ જ ટેરિફ લાદશે જેવો તે દેશ અમેરિકન માલ પર લાદે છે. ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લાદ્યા હતા. પરંતુ તેમણે મેક્સિકો અને કેનેડાને એક મહિનાનો સમય આપ્યો હતો. આ એક મહિનાનો સમયગાળો પૂરો થવાનો છે.
ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે, “પરંપરાગત રીતે, ભારત આ યાદીમાં ટોચ પર છે. કેટલાક નાના દેશો છે જે ખરેખર ઊંચા ટેરિફ લાદે છે, પરંતુ ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે. મને યાદ છે જ્યારે હાર્લી ડેવિડસન ભારતમાં તેની મોટરસાયકલ વેચી શક્યું ન હતું કારણ કે ટેક્સ ખૂબ ઊંચા હતા, ત્યારે ટેરિફ ખૂબ ઊંચા હતા અને હાર્લીને ત્યાં ઉત્પાદન કરવાની ફરજ પડી હતી.”

૪. તેમના પ્રયાસોને કારણે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના વર્ગીકરણ હેઠળ સ્ટોર્કને ભયંકર સ્થિતિમાંથી લગભગ જોખમમાં મૂકવામાં આવ્યું હતું. પૂર્ણિમા દેવી બર્મનનું કાર્ય ફક્ત સ્ટોર્કના સંરક્ષણ સુધી મર્યાદિત રહ્યું નથી. તેમના પ્રયાસોએ મહિલાઓને ઉદ્યોગ સાહસિક પણ બનાવી છે, તેમને લૂમ અને યાર્ન વણાટ કરવાની ઓફર કરી છે જેથી તેઓ હરગીલાના મોટિફ્સથી શણગારેલા કાપડ બનાવી અને વેચી શકે.
હૃદય રોગ ધરાવતા લોકોમાં Coenzyme Q10નું નીચું સ્તર જોવા મળ્યું છે. આ એન્ટીઑકિસડન્ટ હૃદય રોગો માટે પૂરક તરીકે લેવામાં આવે છે. કોએનઝાઇમ Q10 કુદરતી રીતે માછલી, માંસ અને બદામમાં જોવા મળે છે. ચોખા, બ્રેડ અને ઓટ્સમાં બીજા પ્રકારનો કોએનઝાઇમ હાજર હોય છે, જેને CoQ9 કહેવામાં આવે છે. જો કે, તે શરીર માટે Coenzyme Q10 જેટલું ફાયદાકારક નથી.
હૃદય રોગ અટકાવતા ચોખાનું ઉત્પાદન કરવા માટે, સંશોધકોએ સૌપ્રથમ 67 વિવિધ વનસ્પતિ પ્રજાતિઓમાંથી 134 છોડના નમૂનાઓનો અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન, તેઓએ જાણવાનો પ્રયાસ કર્યો કે જે છોડ વધુ CoQ9 ઉત્પન્ન કરે છે તેમના જનીનોમાં કયા પ્રકારના ફેરફારો થાય છે. આ અભ્યાસમાંથી મળેલી માહિતીનો ઉપયોગ કરીને, તેઓએ ચોખા અને ઘઉંના છોડના જનીનોમાં ફેરફાર કર્યો. જેથી તેઓ વધુ કોએનઝાઇમ Q10 ઉત્પન્ન કરે.
વિશ્વભરમાં વપરાતી કુલ કેલરીના પચાસ ટકા ચોખા, ઘઉં અને મકાઈમાંથી આવે છે. આમ છતાં, આ ત્રણ ખોરાક CoQ10ની આપણી દૈનિક જરૂરિયાત પૂરી કરી શકતા નથી. એક માનવી દરરોજ ૩-૬ મિલિગ્રામ CoQ10 લે છે, જો કે, 2022માં જર્નલ ઓફ ન્યુટ્રિશનલ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે માનવ શરીરને દરરોજ 500 મિલિગ્રામ CoQ10ની જરૂર હોય છે.

ડેમોક્રેટ્સે ચિંતા વ્યક્ત કરી

