Home Blog Page 1160

શિલ્પા શિરોડકર પરનું મનહૂસનું લેબલ ‘ભ્રષ્ટાચાર’ થી દૂર થયું

શિલ્પા શિરોડકર સૌથી પહેલાં એક મોટી ફિલ્મ કરવાની હતી પણ આખરે હીરોઈનને બદલે અંધ યુવતીની ભૂમિકાથી ફિલ્મમાં પ્રવેશ થયો હતો. શિલ્પાના દાદી મીનાક્ષી શિરોડકર મરાઠી ફિલ્મોની અભિનેત્રી હતા. જેમણે ભારતીય ફિલ્મોમાં પહેલી વખત ‘બ્રહ્મચારી’ (1938) માં સ્વિમસૂટ પહેરીને ચર્ચા જગાવી હતી. શિલ્પાના મમ્મી ગંગુબાઈ પણ અભિનેત્રી હતા. શિલ્પાને પણ ફિલ્મમાં આવવું હતું એટલે રોશન તનેજાને ત્યાં અભિનયની તાલીમ લેવા જતી હતી.

એક વખત એમણે સાવનકુમારને શિલ્પાના નામની ભલામણ કરી અને એ સાવનકુમાર પાસે ગઈ. એમણે પહેલો પ્રશ્ન કર્યો કે તારે અભિનેત્રી બનવું છે? શિલ્પાએ ‘હાંજી અંકલ’ કહ્યું એટલે એમણે સલાહ આપી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ અંકલ કે આંટી હોતું નથી ‘જી’ કહીને જ વાત કરવાની. એ પછી એમણે શિલ્પાનો લુક ટેસ્ટ લીધો અને પસંદ કરી લીધી. ફિલ્મનું મોટા પાયે મુહૂર્ત કરવામાં આવ્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખબર ફેલાઈ ગઈ કે શિલ્પા શિરોડકર નામની નવી છોકરી લોન્ચ થઈ રહી છે. ત્યારે શિલ્પા સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતી હતી અને કામ કરવા માટે ઉત્સાહમાં હતી પણ મુહૂર્ત પછી ફિલ્મ અંગે કોઈ હિલચાલ જ ના થઈ. એ વાતને બે વર્ષ વીતી ગયા. કેટલાકે શિલ્પાને સલાહ આપી કે તારે બીજે કામ શોધવું જોઈએ નહીં તો લોકો તને ભૂલી જશે.

શિલ્પાની મમ્મીએ વચ્ચે તપાસ કરી ત્યારે સાવનકુમારે કહ્યું હતું કે સમય લાગી રહ્યો છે. છેલ્લે સાવનકુમારે કહ્યું કે કેટલીક સમસ્યાને કારણે ફિલ્મ બંધ થઈ ગઈ છે અને શિલ્પાએ બહાર કામ કરવું હોય તો કરી શકે છે. મમ્મીએ જાણીતા ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષને વાત કરી અને એના ફોટા તૈયાર કરાવવાનું નક્કી કર્યું. એ માટે મેકઅપમેન પંઢરીદાદા અને હેર સ્ટાઇલીસ્ટ વિકટરની મદદથી શિલ્પાનું ફોટોશૂટ થયું. એ રોશન તનેજાને બતાવવામાં આવ્યું અને સાવનકુમારની ફિલ્મ બંધ થઈ ગઈ હોવાનું કહ્યું ત્યારે એમણે બીજાને ભલામણ કરવાનું આશ્વાસન આપ્યું. ફોટોશૂટ તૈયાર થયાના બીજા જ દિવસે વિકટર દરિયા કિનારે ચાલી રહ્યા હતા ત્યારે માધુરી અને અનિલના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ મળ્યા.

વિકટરે એમણે કહ્યું કે શિલ્પા નામની એક સરસ છોકરી છે. બોની કપૂર સંજયને શેખર કપૂરના નિર્દેશનમાં લોન્ચ કરવા માટે એક ફિલ્મ ‘જંગલ’ બનાવવાના છે. તમને શિલ્પાના ફોટા ગમે તો એની ભલામણ કરજો. રિક્કુ શિલ્પાના ઘરે ગયા ત્યારે એ સ્કૂલ યુનિફોર્મમાં જ હતી. એમણે ફોટા જોઈને કહ્યું કે આપણે રજાના દિવસે બોની કપૂરને ઘરે મળવા જઈશું. શિલ્પા એમના ઘરે ગઈ અને એના ફોટોગ્રાફ જોઈ બોની અને સુરેન્દ્ર કપૂરે સંજય સાથેની ફિલ્મ માટે એને પસંદ કરી લીધી અને એના નામની ફરી ચર્ચા શરૂ થઈ ગઈ.

શિલ્પાની એ ફિલ્મ પણ બંધ પડી ગઈ એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા શરૂ થઈ કે શિલ્પા મનહૂસ છે. એ જે ફિલ્મથી લોન્ચ થવા જાય છે એ બંધ થઈ જાય છે. એને જે પણ લેશે એની ફિલ્મ બનશે જ નહીં. રીક્કુએ એના ફોટા મિથુન ચક્રવર્તીને બતાવ્યા અને કહ્યું કે એણે કામ કરવું છે પણ આ રીતે બે ફિલ્મ બંધ પડી ગઈ છે. ત્યારે મિથુને એની ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ (1989)ના નિર્દેશક રમેશ સિપ્પીને શિલ્પાની ભલામણ કરી અને એમણે એમાં અંધ યુવતી ‘ગોપી’ ની ભૂમિકા આપી. શિલ્પા પહેલી ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’ માં કરેલા રેપસીન અને ‘મેરે નૈના તેરે નૈનો સે’ ગીતથી ચર્ચામાં રહી. અને એના પરથી મનહૂસનું લેબલ હટી ગયું. એ પછી અનિલ કપૂર સાથેની ‘કિશન કન્હૈયા’ (1990) માં હીરોઈન તરીકે તક મળી અને પછી ફિલ્મો મળતી જ રહી.

પ્રતીક-યામીની ધૂમ ધામ કેવી છે?

વેલેન્ટાઈન’સ ડે વીકમાં શેખર કપૂરની દીકરી કાવેરી અને વરદાન પુરીની કુણાલ કોહલી દિગ્દર્શિત ‘બૉબી ઔર રિશી કી લવસ્ટોરી’ રિલીઝ થઈ, જે અસહ્ય છે. તો બીજી છે પ્રતીક ગાંધી-યામી ગૌતમ અભિનિત, રિષભ સેઠ દિગ્દર્શિત ‘ધૂમ ધામ.’ આપણે ‘ધૂમ ધામ’ની વાત કરીએઃ અમદાવાદના વેટરનિટી ડૉક્ટર વીર પોદ્દાર (પ્રતીક ગાંધી, ફુલ ફૉર્મમાં)ના અરેન્જ મેરેજ સુશીલ-સંસ્કારી કોયલ ચઢ્ઢા (યામી ગૌતમ) સાથે નક્કી થાય છે. મુંબઈમાં ધામધૂમથી લગ્ન થાય છે. ફાઈવ સ્ટાર હોટેલના આલીશાન સ્વીટમાં મધુરજનીનો આરંભ જ થવામાં હોય છે ત્યાં બારણે ટકોરા. બારણું ઉઘાડતાં બે શખ્સ અંદર ઘૂસી આવે છે- સાઠે અને ભીડે (એજાઝ ખાન-પવિત્ર સરકાર), જે નવદંપતી સામે રિવૉલ્વર તાકીને ‘ચાર્લી’ વિશે પૂછપરછ શરૂ કરે છે. કપલ આ વિશે સાવ અજાણ છે. ટેન્શન વધે એ પહેલાં તક મળતાં નવવરવધૂ ભાગી છૂટે છે. તે પછીની ફિલ્મ અથવા કહો કે ફર્સ્ટ નાઈટ પેલા લોકોથી પિછો છોડાવવા માટે ભાગતાં નવવિવાહિત વિશે છે.

આશરે એક કલાક ને પંચાવન મિનિટની ‘ધૂમ ધામ’ની વાર્તા, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, પ્રીડીક્ટેબલ છે. અમુક લોકો કોઈ કારણસર હીરો-હીરોઈનની પાછળ  આદું ખાઈને પડ્યા હોય, જાન બચાવવા બન્ને ભાગતાં રહે,   ઠેકાણાં બદલાતાં રહે… આવી અનેક ફિલ્મ તમે જોઈ હશે, પણ અહીં મામલો જરા જુદો એ રીતે છે કે દોડધામમાં તથા એક પછી એક બનતી ઘટનામાં ન્યુલી વેડ કપલને ખબર પડે છે કે એમનું જોવાનું ગોઠવાયું ત્યારે બન્નેના વડીલોએ એમને સાવ જુદી રીતે રજૂ કર્યાં છે, એમની પર્સનાલિટી વિશે જૂઠાણાં ચલાવવામાં આવ્યાં છે. બન્નેએ પણ થોડી ફેકંફેક કરી છે. હીકકતમાં બન્નેનાં વ્યક્તિત્વ ચોક અને ચીઝ જેટલાં જુદાં છે… ન તો વીર નામ પ્રમાણે બહાદુર છે, ન કોયલ મધુર સ્વર ધરાવતી, નાજુકનમણી નાર છે. રાતભરની દોડધામમાં બન્ને એકબીજા વિશે વધુ ને વધુ જાણતાં જાય છે અને પ્રવાસમાં સામે બે રસ્તા આવે છેઃ કાયમ માટે છૂટા પડી જવું કે સાથે કાયમ માટે જીવવું, સાથે મરવું?

ઓક્કે, આદિત્ય ધર-રિષભ સેઠ અને આર્ષ વોરાએ લખેલી કથા-પટકથામાં અનેક બાકોરાં છે. એક ઉદાહરણ છેઃ યામી ગૌતમનો મોનોલોગ. પુરુષના આધિપત્યવાળી  આ દુનિયામાં બિચારી છોકરીઓએ શા માટે જૂઠું બોલવું પડે છે એ વિશેની આ એકોક્તિ સરસ લખાઈ છે, વિચારવા મજબૂર અવશ્ય કરે છે, પરંતુ ઓ હેલ્લો, વાર્તામાં અનફિટ છે. કલ્પના કરો- એક કપલ અમુક લોકોથી જાન બચાવવા ભાગી રહ્યું છે ને અચાનક છોકરી ઊભી રહીને છોકરાને આવું જ્ઞાન આપવા માંડે? બીજા સીનમાં વીર-કોયલને થાળી પીરસવામાં આવે છે. અહીં પણ, ભોજન પીરસનાર વયોવૃદ્ધ દંપતી એમને શાદી-બ્યાહ-પ્રેમ વિશે ઉપદેશ આપે છે. તો વીર માણસ-જનાવરનાં સારાં-નરસાં પાસાં વિશે ઉપદેશ આપે છે. કમોન, યાર.

સારા સમાચાર એ છે કે, ફિલ્મની ગતિ ક્યાંય મંદ પડતી નથી, એને કારણવિના લંબાવવામાં-ખેંચવામાં આવી નથી, વચ્ચે વચ્ચે રમૂજના ચમકારા જોવા મળે છે. વીર કહે છે કે ‘આઈ એમ અ વેજિટેરિયન. આઈ કાન્ટ ઈટ માય પેશન્ટઃ હું શુદ્ધ શાકાહારી છું. મારા દર્દીને હું કેવી રીતે ખાઈ શકું?’

ગયા વર્ષે ‘દો ઔર દો પ્યાર’ અને ‘મડગાંવ એક્સપ્રેસ’ જેવી ફિલ્મમાં રીતસરનો છવાઈ જનાર પ્રતીક ગાંધીએ અહીં વિચિત્ર પરિસ્થિતિમાં અને એટલી જ વિચિત્ર પરણેતર સાથે અટવાઈ પડેલા અમદાવાદી યુવાનની ભૂમિકામાં સ-રસ કામ કર્યું છે, પણ એને હજી સારી સ્ક્રિપ્ટ, પાત્રાલેખન મળવાં જોઈતાં હતાં. યામી પણ સરસ છે. ધર્મેશ નિમિષા વખારિયા, નીલુ કોહલી, કેવિન દવે, વગેરેએ પોતાના ફાળે આવેલી ભૂમિકા યથોચિત ભજવી.

‘ધૂમ ધામ’ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.

વટાણા બટેટાની કચોરી

સહુથી સહેલી રીતથી બની જતી વટાણા બટેટાની કચોરી નાવીન્યસભર છે! કેમ કે, તે ક્રિસ્પી તેમજ સ્વાદિષ્ટ બને છે. આ કચોરીને ચાટરૂપે પણ પીરસી શકાય છે!

સામગ્રીઃ

  • બટેટા 5-6
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • તીખી લીલી ચટણી
  • મીઠી ચટણી
  • દાડમના દાણા 3 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટે.સ્પૂન
  • તેલ

પૂરણ માટેઃ

  • બાફેલા લીલા વટાણા 1 કપ
  • ખમણેલું આદુ 2 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • લીલા મરચાં 2-3
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ  બટેટાને છોલીને ધોઈ લો. તેને જાડી ખમણીમાં ખમણીને પાણીમાં રાખો. બટેટા ખમણી લીધા બાદ તેને 2 પાણીએથી ધોઈ લો. એક કઢાઈમાં 3-4 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 ટી.સ્પૂન જેટલું મીઠું નાખી દો. પાણી ઉકળવા લાગે એટલે ખમણેલા બટેટામાંથી પાણી નિતારી તેને ગરમ પાણીમાં ઉમેરો. આ ખમણ 2-3 મિનિટ જેટલું ઉકળવા દો. તેને કાચું પાકું રાખવું, લગભગ 30-40% જેટલું ચઢવા દેવું. ત્યારબાદ ગેસ બંધ કરીને ખમણેલા બટેટાને ચાળણીમાં નાખીને પાણી નિતારી લેવું.

વટાણાના પૂરણ માટે બાફેલા વટાણા એક બાઉલમાં લઈ તેમાં ખમણેલું આદુ, સમારેલી કોથમીર, આમચૂર પાઉડર, લાલ મરચાં પાઉડર, સમારેલાં મરચાં, મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો. આ મિશ્રણને પાઉંભાજી મેશર વડે અધકચરું વાટી લો.

ખમણેલા બટેટામાં કોર્નફ્લોર, લાલ મરચાં પાઉડર, કાળા મરી પાઉડર મેળવી લો. મીઠું નહીં નાખવું. કારણ કે, ઉકળતા પાણીમાં મીઠું નાખ્યું હોય છે. અથવા તપાસીને ઉમેરવું. આ મિશ્રણને મિક્સ કરી લીધા બાદ તે ગોળો વળે તેવું બંધાવું જોઈએ. એવું ન થાય તો તેમાં કોર્નફ્લોર થોડો ઉમેરો. કોર્નફ્લોરને બદલે મેંદો પણ લઈ શકાય છે.

બંને હાથ તેલવાળા કરી, બટેટાના મિશ્રણનો ગોળો લઈ હાથમાં તેને પુરી જેટલો થાપો. તેમાં 1 ચમચી જેટલું  વટાણાનું પૂરણ ઉમેરી દો. તેની ઉપર બટેટાની બીજી પુરી મૂકીને બંને પુરીની કિનારી દાબીને પેક કરી લો. આ રીતે બધી કચોરી તૈયાર કરીને એક પ્લેટમાં મૂકી દો.

કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ તેજ-મધ્યમ રાખીને હળવેથી બટેટાની કચોરી ઉમેરીને સોનેરી રંગની તળી લો.

આ કચોરી તીખી-મીઠી ચટણી સાથે પીરસો. જો ચાટ તૈયાર કરવી હોય તો એક પ્લેટમાં 2-3 કચોરીને તોડીને તેની ઉપર દહીં, તીખી-મીઠી ચટણી રેડીને ચાટ મસાલો ભભરાવીને દાડમના દાણા નાખીને પીરસી આપો.

૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫

પંચાંગ 15/02/2025

ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ક્રાઈસિસના અસરથી સોના-ચાંદીમાં તેજી

વિશ્વવ્યાપી ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ખાસ કરીને ચાંદીમાં આજે તેજી જોવા મળી છે, જેમાં સ્થાનિક બજારમાં રૂપિયા 1500નો વધારો નોંધાયો હતો, જ્યારે વાયદા બજારમાં રૂપિયા 2394નો ઉછાળો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સોનામાં તેજીનો ટ્રેન્ડ

અમદવાદની વાત કરવામાં આવે તે પાછલા બે સપ્તાહથી સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાય રહ્યો છે. આજે 10 ગ્રામ સોનાની કિંમતો રૂપિયા 500 વધીને 89,000 પર પહોંચી ગઈ છે. જ્યારે 1 કિગ્રા ચાંદીના ભાવ રૂપિયા 1500 વધીને માટે 96,500 પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આક્રમક ખરીદીને પગલે ચાંદીની કિંમતો 1 લાખને પાર પહોંચવાની શક્યતા છે.

mcx પર ચાંદીની કિમતો

એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયજો રૂપિયા 95449ના ભાવે ખૂલ્યો હતો. જ્યારે 98130ના સ્તરાને પાર પહોંચ્યો હતો. જે બાદ રૂપિયા 97627 પર આવી બજાર બંધ થતા જોવા મળ્યા હતા. એ જ રીતે, ફેબ્રુઆરીનો  ચાંદીનો મિની વાયદો રૂ. 97,379 સુધી પહોંચ્યો હતો, જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 97,334 પર પહોંચ્યો હતો.

સોનામાં તેજી જળવાઈ રહી છે

જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિસના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ વડા, પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓને લીધે, ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં વધારે ખરીદી કરી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક માગમાં વધારો હોવાને કારણે, ચાંદીમાં સોનાની તુલનામાં વધારે તેજી જોવા મળી રહી છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 9 લોકોના મોત

આતંકવાદને આશ્રય આપતો દેશ પાકિસ્તાન પોતે સતત આતંકવાદી ઘટનાઓનો ભોગ બની રહ્યો છે. હવે પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાંથી વધુ એક આતંકવાદી ઘટનાની માહિતી સામે આવી છે. અહીં કોલસા ખાણકામ કરનારાઓને લઈ જતું વાહન બોમ્બનો શિકાર થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા અને લગભગ 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

શું છે આખો મામલો?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં આ બોમ્બ વિસ્ફોટની ઘટના બલુચિસ્તાન પ્રાંતના અશાંત પ્રદેશના હરનાઈ જિલ્લાના શહરાગ વિસ્તારમાં બની હતી. શુક્રવારે, કોલસા ખાણકામ કરનારાઓને લઈ જતા એક વાહન પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આતંકવાદી ઘટનાનો ભોગ બનેલા લોકો એક મીની ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું છે કે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું
બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 9 લોકોના મોત બાદ, પાકિસ્તાનના કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે આ આતંકવાદી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એવી પણ માહિતી આપી છે કે તેમણે આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રાંદે બોમ્બ વિસ્ફોટમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. શાહિદ રાંદે કહ્યું કે અત્યાર સુધી કોઈ પણ જૂથે આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી નથી. જોકે, ભૂતકાળમાં આવા આતંકવાદી હુમલાઓ પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી પર દોષિત ઠેરવવામાં આવ્યા છે.

મહાકુંભમાં અફવા ફેલાવનાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસની કાર્યવાહી

પ્રયાગરાજ: મહાકુંભ 2025માં અત્યાસ સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ અમૃત સ્નાનનો લ્હાવો લીધો છે. મહાકુંભનો લ્હાવો લેવા માટે માનવ મહેરામણ ઉભરાયું છે. શ્રદ્ધાળુઓ 144 વર્ષે યોજાનારા મહાકુંભમાં અનેરા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. જોકે કેટલાક લોકો મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરતા રહે છે, જેની સામે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરી અફવા ફેલાવનારા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે, મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતા તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચુકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે.

મહાકુંભમાં 50 કરોડ શ્રદ્ધાળુઓની આસ્થાની ડુબકી, 300 સફાઈકર્મીઓ બનાવ્યો રેકોર્ડ

ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે મહાકુંભમાં 50 થી 55 કરોડ આવ્યા છે, જેનાથી યુપીના અર્થતંત્રને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કુંભ પર આંગળી ચીંધે છે, અમે આવા લોકોને કહેવા માંગીએ છીએ કે કુંભના આયોજનમાં 1500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને જો બદલામાં ૩ લાખ કરોડ રૂપિયાનો નફો થઈ રહ્યો હોય, તો તે સારું છે ને?

હાલમાં, સરકારી આંકડા અનુસાર, મહાકુંભ-2025માં પવિત્ર સ્નાન કરનારા ભક્તોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. ભારત અને ચીન પછી આ વિશ્વની ત્રીજી સૌથી મોટી વસ્તી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોવાના કોઈ પુરાવા નથી. બ્રાઝિલના રિયો કાર્નિવલ કે જર્મનીના ઓક્ટોબરફેસ્ટમાં ઉમટી પડતી ભીડ પણ મહાકુંભની સરખામણીમાં કંઈ નથી.

મહાકુંભ મેળો પૂર્ણ થવામાં હજુ ઘણો સમય છે, તેથી આ આંકડો વધુ વધી શકે છે. છેલ્લું અમૃત સ્નાન પણ બાકી છે, જે મહાશિવરાત્રીના દિવસે યોજાશે. આ બધા વચ્ચે આજે પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક નવો રેકોર્ડ નોંધાયો છે. મહાકુંભ દરમિયાન, 300 સફાઈ કર્મચારીઓએ ગંગા અને સંગમ પર બનેલા ત્રણ ઘાટ, રામ ઘાટ, ગંગેશ્વર ઘાટ અને ભારદ્વાજ ઘાટને અડધો કલાક સતત સાફ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો.

આ નવો રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ટીમના જ્યુરી સભ્ય પ્રવીણ પટેલની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે, જેમાં 300થી વધુ સફાઈ કર્મચારીઓએ અડધો કલાક સુધી સતત એક શહેર અને એક નદીની સફાઈ કરી હતી. આ પહેલા, પ્રયાગરાજ મહાકુંભમાં બનેલો આ અનોખો રેકોર્ડ દુનિયામાં કોઈએ બનાવ્યો નથી.

વિકલાંગ લોકોના સ્વ-રોજગાર માટે BPAનો અનોખો પ્રયોગ

બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) એ વિકલાંગ વ્યક્તિઓના સ્વ-રોજગાર માટે અનોખી પહેલ શરૂ કરી છે. BPAની વિનંતી પર, વાઘ બકરી ટી કંપનીએ આ પ્રયાસને સપોર્ટ કર્યો છે અને 44 મિની સ્ટોલને સ્પોન્સર કર્યા છે. આ પહેલના અંતર્ગત, BPA એ વિકલાંગ લોકો માટે વ્યવસાય અને રોજગારના નવા દરવાજા ખોલવાના હેતુથી આ સ્ટોલ વિતરણ શરૂ કર્યું છે.

 આ ક્રાર્યક્રમ અંતર્ગત, BPAના 44 મિની સ્ટોલની મદદથી વિકલાંગ લોકો સરળતાથી આજીવિકા કમાવવામાં મદદરૂપ બનશે. આ પહેલ દ્વારા, BPA માત્ર રોજગારની તક આપતી નથી, પરંતુ આ જીજિવિષા અને આત્મનિર્ભરતા તરફના નવા પડાવની તરફી પ્રવૃત્તિનું નિર્માણ કરી રહી છે.

BPA આ કાર્યક્રમ દ્વારા તમામ વિસ્તારોમાં તેમના સભ્યોએ સ્વ-રોજગાર અને વ્યવસાયની દિશામાં એક નવી શરૂઆત કરવાની તક મળશે. BPA આ કામગીરીને વિપુલ રીતે પ્રચારિત કરવાનો પ્રયાસ કરે છે, જેથી વધુ લોકો આ અનોખી અને દયાળુ પ્રવૃત્તિ સાથે જોડી શકે.