
264 રન પણ ઓછા પડ્યા! IPL ઈતિહાસમાં પંજાબનો સૌથી મોટો રન ચેઝ
આઈપીએલ 2026 ની 35 મી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. દિલ્હી તરફથી કેએલ રાહુલે 152 અને નીતીશ રાણાએ 91 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ તરફથી પ્રભસિમરન સિંઘના 76 રન અને શ્રેયસ અય્યરના અણનમ 71 રનની મદદથી ટીમે 19 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. આ જીત સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર અજેય રહી છે.

દિલ્હીના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત મિશ્ર રહી હતી. ઓપનર પથુમ નિસાંકા માત્ર 11 રન બનાવી આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ કેએલ રાહુલ અને નીતીશ રાણાએ પંજાબના બોલરોની જે રીતે ધુલાઈ કરી તે જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. આ બંને બેટ્સમેનો વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 95 બોલમાં 220 રનની તોફાની ભાગીદારી થઈ હતી. નીતીશ રાણાએ 44 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 91 રન ફટકાર્યા હતા. બીજી તરફ કેએલ રાહુલ એક છેડો સાચવીને રનનો વરસાદ કરી રહ્યો હતો. તેણે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 67 બોલમાં અણનમ 152 રન બનાવીને દિલ્હીનો સ્કોર 264/2 સુધી પહોંચાડ્યો હતો.
265 રનના અત્યંત મુશ્કેલ અને અશક્ય લાગતા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત કોઈ વાવાઝોડાથી ઓછી નહોતી. પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંઘે શરૂઆતથી જ દિલ્હીના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. આ જોડીએ માત્ર 7 ઓવરમાં ટીમનો સ્કોર 126 રન સુધી પહોંચાડી દીધો હતો. પ્રિયાંશ આર્યાએ માત્ર 17 બોલમાં 43 રન ફટકારી આક્રમક પાયો નાખ્યો હતો. જ્યારે પ્રભસિમરન સિંઘે માત્ર 26 બોલમાં 76 રનની ઇનિંગ રમી જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, મધ્ય ઓવરોમાં આ બંને ઓપનરો આઉટ થતા દિલ્હીએ મેચમાં વાપસી કરવાની આશા વ્યક્ત કરી હતી.
ઓપનરો ગયા બાદ નેહાલ વઢેરા અને શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી. આ બંને વચ્ચે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. નેહાલ 15 બોલમાં 25 રન બનાવી 15 મી ઓવરમાં આઉટ થયો હતો, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે એક છેડેથી આક્રમણ ચાલુ રાખ્યું હતું. અય્યરે માત્ર 36 બોલમાં અણનમ 71 રન બનાવ્યા, જેમાં તેણે 7 આકાશચુંબી છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરની આ જવાબદારીભરી બેટિંગને કારણે પંજાબે 19 ઓવરમાં જ 268/4 રન બનાવીને 7 બોલ બાકી રહેતા આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.
આ જીત સાથે પંજાબ કિંગ્સે સાબિત કરી દીધું છે કે કેમ તેઓ આ સિઝનમાં અજેય છે. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ છે, જેણે અગાઉના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. દિલ્હી માટે કેએલ રાહુલની 152 રનની ઐતિહાસિક ઇનિંગ પણ ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી, જે દિલ્હીના બોલિંગ વિભાગની નબળાઈ દર્શાવે છે. પંજાબ અત્યારે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે અને તેમનો આ આત્મવિશ્વાસ આગામી મેચોમાં અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી સમાન છે.
IPL 2026 માં મોટી દૂર્ઘટના: લુંગી એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આઈપીએલ 2026 માં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં દિલ્હીનો બોલર લુંગી એન્ગિડી કેચ પકડવાના પ્રયાસમાં માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. માથામાં જોરદાર ફટકો લાગવાને કારણે તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ મેચમાં દિલ્હીએ લુંગી એન્ગિડીના સ્થાને વિપ્રજ નિગમને કનકશન સબસ્ટિટ્યૂટ તરીકે સામેલ કર્યો છે. આ અકસ્માતને કારણે રમત લાંબા સમય સુધી રોકવી પડી હતી.

આ કરુણ ઘટના પંજાબ કિંગ્સની ઇનિંગ્સની ત્રીજી ઓવર દરમિયાન બની હતી. પંજાબનો બેટ્સમેન પ્રિયાંશ આર્યા આક્રમક બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે અક્ષર પટેલની ઓવરના ત્રીજા બોલ પર હવામાં ઉંચો શોટ રમ્યો હતો. બોલ મિડ-ઓફની દિશામાં હવામાં ઉંચો ગયો અને ત્યાં ઉભેલા લુંગી એન્ગિડીએ પાછળની તરફ દોડીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલની ઊંચાઈ અને ઝડપને જજ કરવામાં એન્ગિડીથી ભૂલ થઈ ગઈ અને તે કેચ પકડતી વખતે સંતુલન ગુમાવી બેઠો હતો. નીચે પડતી વખતે એન્ગિડીનું માથું જમીન સાથે અત્યંત જોરથી પટકાયું હતું.
જમીન સાથે માથું અથડાતા જ એન્ગિડી પછડાયો અને પાછળની તરફ ગબડી ગયો હતો. તેણે તરત જ પોતાના બંને હાથ માથા પર રાખી દીધા અને એક મિનિટથી વધુ સમય સુધી તે કોઈ હલચલ કર્યા વિના મેદાન પર પડ્યો રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને દિલ્હીના ખેલાડીઓ ગભરાઈ ગયા અને તરત જ મેડિકલ ટીમને બોલાવી હતી. ફિઝિયોએ લાંબા સમય સુધી તેની તપાસ કરી અને તેની ગરદનને ટેકો આપ્યો હતો. રાહતની વાત એ હતી કે તે બોલી શકતો હતો, પરંતુ ઈજાની ગંભીરતાને જોતા ડોક્ટરોએ કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું હતું.
મેદાન પર જ એન્ગિડીની ગરદનમાં ‘નેક બ્રેસ’ લગાવવામાં આવ્યો અને તેને સ્ટેબિલાઇઝ કરવા માટે શરીર પર સ્ટ્રેપ્સ બાંધવામાં આવ્યા હતા. દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગ પણ પોતાના ખેલાડીની હાલત જોવા મેદાનમાં દોડી આવ્યા હતા. મેડિકલ સ્ટાફે પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે મેદાન પર જ એમ્બ્યુલન્સ મંગાવી હતી. લગભગ 10 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી અને જ્યારે એમ્બ્યુલન્સ મેદાનમાં આવી ત્યારે આખું સ્ટેડિયમ સન્નાટામાં ડૂબી ગયું હતું. એન્ગિડીને હોસ્પિટલ ખસેડ્યા બાદ જ મેચ ફરી શરૂ કરવામાં આવી હતી.
લુંગી એન્ગિડીની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને દિલ્હી કેપિટલ્સે આઈસીસીના નિયમ મુજબ ‘કનકશન સબસ્ટિટ્યૂટ’ (Concussion Substitute) ની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. એન્ગિડીના સ્થાને દિલ્હીએ યુવા લેગ-સ્પિન ઓલરાઉન્ડર વિપ્રજ નિગમને મેદાનમાં ઉતાર્યો છે. વિપ્રજ હવે આ મેચમાં એન્ગિડીની જગ્યાએ બોલિંગ અને બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં એન્ગિડીના સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
રાહુલના વાવાઝોડામાં ઉડ્યું પંજાબ! 150 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો KL રાહુલ
આઈપીએલ 2026 ની 25 April ના રોજ રમાયેલી મેચમાં કેએલ રાહુલે ઐતિહાસિક પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સ સામે 152 રન બનાવ્યા છે. રાહુલ હવે આઈપીએલમાં 150 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શન સાથે રાહુલે આ સિઝનમાં ઓરેન્જ કેપ પર પણ કબજો જમાવી લીધો છે.

મેચની શરૂઆત કેએલ રાહુલ માટે થોડી નસીબદાર રહી હતી, કારણ કે જ્યારે તે માત્ર 10 રનના વ્યક્તિગત સ્કોર પર હતો ત્યારે પંજાબ કિંગ્સના ફિલ્ડરોએ તેને જીવનદાન આપ્યું હતું. આ ભૂલ પંજાબને એટલી ભારે પડી કે રાહુલે ત્યારબાદ મેદાનના ખૂણે ખૂણે રનનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી લીધી હતી અને ત્યારબાદ વધુ આક્રમક બનીને માત્ર 67 બોલમાં 152 રન બનાવી દીધા હતા. રાહુલની બેટિંગ જોઈને પંજાબના બોલરો પાસે કોઈ જવાબ નહોતો અને આખી ઇનિંગ દરમિયાન દિલ્હીનો આ બેટ્સમેન પંજાબ પર કહેર બનીને તૂટી પડ્યો હતો.
આ ઈનિંગ સાથે કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તે હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી 150 રનના આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. આ ઉપરાંત, રાહુલે આઈપીએલમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી છે, જે આ સિઝનની તેની પ્રથમ સદી છે. ખાસ વાત એ છે કે કેએલ રાહુલે અત્યાર સુધી ત્રણ અલગ-અલગ ટીમો (પંજાબ કિંગ્સ, LSG અને દિલ્હી કેપિટલ્સ) માટે સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.
રેકોર્ડ્સનો સિલસિલો અહીં જ નથી અટકતો, કેએલ રાહુલે વિકેટકીપર બેટ્સમેન તરીકે આઈપીએલમાં પોતાની ત્રીજી સદી નોંધાવી છે. આ સાથે તે હવે ક્વિન્ટન ડી કોક અને સંજુ સેમસન જેવા દિગ્ગજ વિકેટકીપરોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે વિકેટકીપર તરીકે 3 સદી ફટકારી છે. રાહુલની આ બેટિંગને કારણે દિલ્હી કેપિટલ્સ પંજાબ સામે વિશાળ સ્કોર ખડો કરવામાં સફળ રહી હતી. સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો રાહુલના દરેક શૉટ પર ઝૂમી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ ‘રાહુલ નામ તો સુના હોગા’ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
આ શાનદાર 152 રનની ઈનિંગના દમ પર કેએલ રાહુલે આઈપીએલ 2026 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનીને ‘ઓરેન્જ કેપ’ (Orange Cap) પણ પોતાના નામે કરી લીધી છે. હાલમાં તે 351 રન સાથે રન બનાવવાની યાદીમાં ટોચ પર છે. પંજાબ કિંગ્સના બોલરો માટે આ એક એવો દિવસ હતો જેને તેઓ કદાચ જલ્દી ભૂલી જવા માંગશે, કારણ કે રાહુલના બેટમાંથી નીકળેલા 16 ચોગ્ગા અને 9 છગ્ગાએ તેમની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે બગાડી નાખી હતી. ક્રિકેટના નિષ્ણાતો રાહુલની આ ઈનિંગને આઈપીએલના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક ગણાવી રહ્યા છે.
બંગાળ ચૂંટણી: પ્રથમ તબક્કામાં બેદરકારી પર ચૂંટણી પંચના કડક તેવર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પ્રથમ તબક્કામાં ચૂંટણી નિષ્પક્ષતા જાળવવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદ્ધ ચૂંટણી પંચે લાલ આંખ કરી છે. ડાયમંડ હાર્બર અને હિંગલગંજ વિસ્તારમાં ગંભીર બેદરકારી બદલ એડિશનલ એસપી, એસડીપીઓ અને અનેક ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પંચે રાજ્યના મુખ્ય સચિવને 25 April ના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં આદેશોના અમલીકરણનો રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશો મુજબ, ડાયમંડ હાર્બર પોલીસ જિલ્લાના એડિશનલ એસપી સંદીપ ગરાઈ, એસડીપીઓ સાજલ મંડલ, ડાયમંડ હાર્બર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઇનચાર્જ મૌસમ ચક્રવર્તી, ફલતા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ઇનચાર્જ અજય બાગ અને ઉસ્તી પોલીસ સ્ટેશનના અધિકારી પ્રભારી શુભેચ્છા બાગ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ અધિકારીઓ પર આરોપ છે કે તેમણે મતદાન પ્રક્રિયા દરમિયાન નિષ્પક્ષતા જાળવવામાં અને ગેરરીતિઓ રોકવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. આ ઉપરાંત, ડાયમંડ હાર્બરના પોલીસ અધિક્ષક (SP) ડો. ઈશાની પાલને પણ ચેતવણી જારી કરવામાં આવી છે, કારણ કે તેઓ તેમના તાબાના અધિકારીઓ પર શિસ્ત જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ચૂંટણી પંચના સચિવ સુજીત કુમાર મિશ્રા દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ તમામ આદેશોનો તાત્કાલિક પ્રભાવથી અમલ થવો જોઈએ. પશ્ચિમ બંગાળ સરકારને સૂચના આપવામાં આવી છે કે 25 April ના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં અનુપાલન અહેવાલ પંચને મોકલી આપવામાં આવે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે પંચ આગામી તબક્કાની ચૂંટણીઓ માટે કોઈ પણ પ્રકારની ઢીલાશ સહન કરવાના મૂડમાં નથી અને સુરક્ષા વ્યવસ્થા તેમજ વહીવટી પારદર્શિતા પર પૂરતું ધ્યાન આપી રહ્યું છે.
માત્ર ડાયમંડ હાર્બર જ નહીં, પરંતુ હિંગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. હિંગલગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી સંદીપ સરકારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમના પર ચૂંટણી દરમિયાન કથિત રીતે પક્ષપાત કરવા, સ્થાનિક તત્વો સાથે સાંઠગાંઠ રાખવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવાના ગંભીર આરોપો છે. પંચે મુખ્ય સચિવને મોકલેલા પત્રમાં સંદીપ સરકાર વિરુદ્ધ તાત્કાલિક ખાતાકીય કાર્યવાહી શરૂ કરવા અને હિંગલગંજ પોલીસ સ્ટેશનમાં નવા પ્રભારીની નિમણૂક માટે પ્રસ્તાવ મોકલવા પણ જણાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા અને ગેરરીતિઓની ફરિયાદો અગાઉ પણ આવતી રહી છે, પરંતુ 2026 ની આ ચૂંટણીમાં પંચે પ્રથમ તબક્કાથી જ જે પ્રકારના એક્શન લીધા છે તે અભૂતપૂર્વ માનવામાં આવે છે. વિપક્ષી દળોએ પણ આ વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ હોવાની ફરિયાદો કરી હતી, ત્યારબાદ પંચે ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે આ નિર્ણય લીધો છે. આગામી તબક્કાના મતદાન પહેલા આ કાર્યવાહી અન્ય અધિકારીઓ માટે એક કડક સંદેશ સમાન છે કે જો ફરજમાં બેદરકારી દાખવવામાં આવશે તો તેની ગંભીર અસરો ભોગવવી પડશે.
BSEના MD-CEOના નામે ફરતા ડીપફેક વિડીયોથી રોકાણકારો સાવચેત રહે
મુંબઈ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુન્દરરમણ રામમૂર્તિના નામનો ફરીવાર દુરુપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેક વીડિયોના સંદર્ભમાં એકસચેંજે રોકાણકારોને ગંભીર ચેતવણી આપીને તેનાથી સાવચેત રહેવા તેમજ ગેરમાર્ગે ન દોરાવાનો અનુરોધ કર્યો છે. એકસચેંજ આ વિષયમાં કાનૂની કારવાઈ પણ કરી રહયું છે.
BSEના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા તેમ જ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફરીથી એક ભ્રામક વિડીયો પ્રસારિત થઈ રહ્યો છે. જેમાં એકસચેંજના વડાના નામે ખોટી રીતે શેરબજારની ટીપ્સ તેમજ રોકાણ સલાહ આપવામાં આવી રહી હોવાનું દર્શાવવામાં આવે છે. આ વિડીયો સંપૂર્ણપણે નકલી અને ભ્રામક છે, જેમાં ઊંચા અને ખાતરીયુક્ત નફાની લાલચ સાથે પસંદગીના શેરોમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમજ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે કહેવામાં આવે છે.
BSEએ સ્પષ્ટ કર્યું છે કે તેના કોઈપણ અધિકારી દ્વારા ક્યારેય શેરબજાર અંગેની ટિપ્સ અથવા રોકાણ સલાહ આપવામાં આવતી નથી અને આવાં કોઈ ગ્રુપ પણ ચલાવવામાં આવતાં નથી. રોકાણકારોને આવી ભ્રામક સામગ્રી પર વિશ્વાસ ન કરવા, તેને ફોરવર્ડ ન કરવા તેમજ તેના આધારે કોઈ પણ નિર્ણય ન લેવાની સૂચના આપવામાં આવી છે. BSEએ જણાવ્યું છે કે આવા કિસ્સાઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ રોકાણકારોની જાગૃતિ માટે સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલાં EDના દરોડાઃ ભૂતપૂર્વ મંત્રીની ધરપકડ
કોલકાતાઃ EDએ શનિવારે પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કથિત રેશન વિતરણ કૌભાંડ (Ration Scam Case) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ કરવામાં આવી છે. EDની ટીમોએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં વેપારી પાર્થ સારથિના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એટલે કે PDS કૌભાંડ સાથે સંબંધિત છે. આ કેસમાં EDએ પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિય મલ્લિક સહિત કેટલાક અન્ય લોકોને ધરપકડ કરી છે.
આ જ કેસમાં પહેલાં પણ થઈ ચૂક્યા છે દરોડા
અહેવાલ મુજબ કોલકાતા, બર્ધમાન અને હાબરા વિસ્તારમાં સપ્લાયરો અને એક્સપોર્ટરોના લગભગ નવ સ્થાનો પર તલાશી લેવામાં આવી રહી હતી. તેમાં નિરંજન ચંદ્ર સાહા સાથે જોડાયેલાં સ્થળો પણ સામેલ છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી રહી છે. ED અગાઉ પણ આ કેસમાં દરોડા પાડી ચૂકી છે.
29 એપ્રિલે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો
આ દરોડા એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો 29 એપ્રિલે યોજાવાનો છે. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે થઈ ચૂક્યું છે.
શું છે મામલો?
આ કેસ ઓક્ટોબર, 2020માં નોંધાયેલા એક FIR સાથે જોડાયેલો છે. આ FIR બસીરહાટ પોલીસે ઘોજાડાંગા સ્થિત લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનના ડેપ્યુટી કમિશનરની ફરિયાદને આધારે નોંધાવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારી યોજનાઓ માટે ફાળવાયેલા PDS ઘઉંને મોટા પાયે ગેરકાયદે રીતે અન્યત્ર વાળવામાં આવ્યું હતું.
તપાસ મુજબ ઘઉંને ઓછી કિંમતે ગેરકાયદે રીતે ખરીદવામાં આવ્યા હતા અને તેમાં સપ્લાયર, લાઇસન્સધારક ડિસ્ટ્રિબ્યુટર, ડીલર અને દલાલોની મિલીભગત હતી.
EDનો દાવો
EDનો દાવો છે કે મોટા પ્રમાણમાં ઘઉંને સપ્લાય ચેઇનમાંથી હટાવી અલગ-અલગ સ્થળોએ સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની ઓળખ છુપાવવા માટે FCI અને રાજ્ય સરકારના નિશાનવાળી ગૂણી દૂર કરવામાં આવી અથવા બદલવામાં આવી અને ઘઉંને ફરીથી ભરી ખુલ્લા બજારમાં અથવા નિકાસ માટે કાયદેસર સ્ટોક તરીકે વેચવામાં આવ્યા હતા.
LPG માટે ‘નો-ટેન્શન’: હોર્મુઝના યુદ્ધ વચ્ચે પણ 15 દેશોમાંથી આવી રહ્યો છે ગેસ
ભારત સરકારે પશ્ચિમ એશિયામાં યુદ્ધના તણાવ વચ્ચે એલપીજી (LPG) ના પુરવઠાને જાળવી રાખવા માટે આક્રમક રણનીતિ અપનાવી છે. હવે ભારત ૧૦ ને બદલે ૧૫ દેશોમાંથી રાંધણ ગેસની આયાત કરી રહ્યું છે અને સ્પોટ માર્કેટમાંથી પણ ખરીદી શરૂ કરવામાં આવી છે. દેશમાં રાષ્ટ્રીય એલપીજી ઉત્પાદન ૨૦ ટકા વધીને ૪૬,૦૦૦ ટન સુધી પહોંચ્યું છે, જેના કારણે વિદેશી નિર્ભરતા ઘટી છે. અમેરિકા, રશિયા અને નોર્વે જેવા નવા સપ્લાયર્સ સાથે ભારતે દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરી છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની રોજિંદી એલપીજી જરૂરિયાત અંદાજે 80,000 ટન છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા ગેસ આયાત કરતું હતું, પરંતુ સરકારી તેલ કંપનીઓએ હવે ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. જેના પરિણામે દેશમાં એલપીજી ઉત્પાદન 20 ટકાના વધારા સાથે હવે 46,000 ટન પ્રતિ દિવસ થઈ ગયું છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની પ્રાથમિકતા ઘરેલું જરૂરિયાત પૂરી કરવાની છે અને આ માટે જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી ગેસના કાર્ગો મંગાવવામાં આવશે.
યુદ્ધ પહેલા ભારતની 90 ટકા એલપીજી જરૂરિયાત સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને ઓમાન જેવા ખાડી દેશો પૂરી કરતા હતા. પરંતુ વર્તમાન કટોકટીને જોતા ભારતે હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશો પાસેથી મોટા પાયે ખરીદી શરૂ કરી છે. ખાસ કરીને રશિયા અને અમેરિકા હવે ભારતના મહત્વના ગેસ સપ્લાયર બનીને ઉભરી આવ્યા છે. સરકારે અગાઉ જ જાહેરાત કરી હતી કે અંદાજે 8 લાખ ટન એલપીજી કાર્ગો સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે જે અત્યારે ભારત આવવાના માર્ગમાં છે.
આ ઉપરાંત, ભારતની સરકારી તેલ કંપનીઓએ ‘સ્પોટ માર્કેટ’ (Spot Market) માંથી પણ ગેસની ખરીદી શરૂ કરી છે. સ્પોટ માર્કેટમાં તત્કાલ જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવે છે, જેથી લાંબા ગાળાના કરારો પર નિર્ભર રહેવું પડતું નથી. આ પગલાથી હોસ્પિટલ, હોટલ અને ઉદ્યોગોમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડરો તેમજ ઘરોમાં વપરાતા ઘરેલું સિલિન્ડરોની સપ્લાયમાં કોઈ અવરોધ નહીં આવે. નિષ્ણાતો માને છે કે ભારતનો આ સ્વતંત્ર અને વૈવિધ્યસભર અભિગમ વૈશ્વિક કટોકટીના સમયે પણ સામાન્ય જનતાના રસોડા સુધી ગેસ પહોંચાડવાની ખાતરી આપે છે.




પરંતુ પછી વચ્ચે-વચ્ચે તેને પંપાળતા રહેવાનું અને પછી વારંવાર તે વિચારોને નકારાત્મકતાની ગર્તામાં ધકેલી દેવાનું કોને નહીં ગમશે? એટલે કે, આપણને ગમે કે નહીં, આપણું મન તો સતત ત્યાં જ ખેંચાતું રહે છે, પરંતુ મન કે તે સિચ્યુએશન બિલંદર હોય તો હું મહાબિલંદર, અસલી મરાઠી ભાષામાં તેને `ખમકી’ કહેવાય છે. મેં નીલની વાત મારા મનના પરિઘની બહાર જ રાખી. ત્યાંથી નીકળી ગઈ અને મળેલા સમયનો સદુપયોગ કરીને મારું કેટલાય દિવસોથી અટવાઈ રહેલું પુસ્તક વાંચવા લીધું.
`જો ખાઈશ તો ઘી સાથે નહિતર ભૂખી રહીશ’ પ્રમાણે અમે ક્યારેક `જયુસ મિક્સરમાં નહીં કરતાં કોલ્ડ પ્રેસ જ્યુસરમાં જ કરવાનો, જેથી તેમાંનું જીવનસત્વ જળવાઈ રહે છે’ આ શીખ પ્રમાણે તે કોલ્ડ પ્રેસ જ્યુસરની પ્રતિષ્ઠાપના અમારા ઘરમાં કરી હતી. વર્ષા, સાયલી જો આપણને આટલું ઈઝિલી જ્યુસ કાઢી આપતી હોય તો આપણને કેમ નહીં ફાવી શકે? એમ વિચારીને અમે કિચનમાં એન્ટ્રી મારી. તે જ્યુસર ચાલુ કરવાનું એટલું આસાન નહોતું તે અમને પહેલી દસ જ મિનિટમાં સમજાઈ ગયું. `નેવર અંડરએસ્ટિમેટ એની ગેજેટ’ પ્રમાણે તે કાંઈ અમને ફાવ્યું નહીં. સુધીરે ડ્રોઅરમાંથી મેન્યુઅલ કાઢ્યું. મેં યુટ્યુબ પર જ્યુસરનું ડેમોન્સ્ટ્રેશન શરૂ કર્યું. પિસ્તાલીસ મિનિટની પ્રચંડ મહેનત પછી જ્યુસરે અમારી દયા ખાઈને અમને જીતવા દીધાં અને તે ચાલુ થયું. મેં ફળ કાપીને રાખ્યાં જ હતાં, પરંતુ ટુકડા મોટા હતા, કારણ કે જ્યુસ સેન્ટર પર મોટા ગાજર, સંત્રા, સફરજન જ્યુસરમાં નાખતી વખતે મેં જોયું હતું. જોકે તે કમર્શિયલ જ્યુસર હોય છે અને આ આપણા ઘરનું જ્યુસર છે તે સમજાવા માટે જ્યુસરે અટકવું પડ્યું. ટ્રાયલ એન્ડ એરર કરીને સવા કલાક અમારી કસોટી પછી આખરે જ્યુસ તૈયાર થયો. સામાન્ય રીતે વર્ષા, સાયલી અને ઘરમાં હમણાં સુધી ખાવાનું પીરસનારા બધા પ્રત્યે મારા અને સુધીરના મનમાં પણ બહુ આદરની ભાવના ઊભરી આવી હતી. પહેલા દિવસે જ્યુસ બનાવવા માટે સવા કલાક રોજ પંદર-પંદર મિનિટ સુધારણા કરીને પાંચ-છ દિવસમાં વીસ મિનિટ પર આવ્યો અને અમને ઓલિમ્પિકમાં એકાદ ગોલ્ડ મેડલ મળે તેવો આનંદ થયો. `વી ડિડ ઈટ – વી કેન ડુ ઈટ’ના હર્ષોલ્લાસમાં મેં સુધીરને કહ્યું, `કોઈ પણ બાબત સાથે ટેવાઈ જવા માટે વાર લાગે છે અને પેશન પણ કામે લાગે છે. આ સાદો જ્યુસ બનાવવામાં પાસ થવા માટે આપણને પાંચ દિવસ લાગ્યા.’ એટલે કે, સમય બચાવવા માટે અથવા જ્યુસ બનાવવાનો સમય ઓછો કરવા માટે અમને વધુ સમય આપવો પડ્યો હતો.
મને નાઈકી શૂઝ ફાઉન્ડર ફિલ નાઈટનો કિસ્સો યાદ આવ્યો. તેની કંપની આરંભમાં પ્રચંડ રોલર કોસ્ટર રાઈડ હતી. અનેક સમય તે `બાબત આ રીતે કેમ થતી નથી? માણસો જોઈએ તેવું કામ કેમ કરતા નથી?’ આ ફ્રસ્ટ્રેશનમાં જતો. આનો તેને બહુ ત્રાસ થતો હતો. જાપાનમાં કંપનીનું એક્સપાન્શન કરતી વખતે તેની એક જાપાનીઝ ગુરુ સાથે મુલાકાત થઈ હતી. ફિલ નાઈટે તેની ફરિયાદો તેમની સામે મૂકી. ગુરુએ બધું સાંભળી લીધું. કશું પણ બોલ્યા વિના તેઓ ફિલને લઈને તેમના ગાર્ડનમાં ગયા. ત્યાં ઊંચા-ઊંચા બાંબૂના ઝાડ તરફ આંગળી બતાવીને કહ્યું, `આ ઝાડનાં બીજ જમીનમાં રોપ્યા પછી અમુક વર્ષ કશું જ થતું નથી. જોકે ઝાડ ઊગે તે પછી પાંચ-છ મહિનામાં જ તે ખાસ્સી ઊંચાઈ મેળવી લે છે. ઈટ ટેક્સ ટાઈમ.’ તે જાપાનીઝ ગુરુનો નાનો સંદેશ ફિલ નાઈટમાં પ્રચંડ બદલાવ કરી ગયો. તેની બેચેની ઓછી થઈ, તેણે પોતાને ખાસ્સો શાંત કર્યો અને તે પછી નાઈકીનું ભવિષ્ય કઈ રીતે બદલાયું તે ઈતિહાસ આપણે જાણીએ છીએ.
અમારા વીણા વર્લ્ડના નાના કિંગડમમાં પણ થોડા દિવસ પૂર્વે આવું જ કાંઈક બન્યું હતું. માર્કેટિંગ, જાહેરાતો, લેખન, સંવાદ અને વાતો કરવામાં જીવન વિતાવેલું હોવાથી પોતાને આમાંથી ઘણું બધું સમજાય છે એવા અભિમાનનો દીવો બેક ઓફ ધ માઈન્ડ પ્રગટતો જ હોય છે અને આ દીવો ક્યારેય બુઝાતો નથી. આથી મારી અને માર્કેટિંગ ટીમની કાયમ શાબ્દિક ચકમક થતી હોય છે. `તમને આટલી સહેલી વાત કેમ સમજાતી નથી?’ આ દરેક મિટિંગનો સૂર હોય છે. ફિલ નાઈટને મળ્યો હતો તેવો ગુરુ મને મળ્યો નહીં. આથી મારા પ્રશ્ન મારે જ ઉકેલવા પર ભાર આપ્યો. દરેક બાબત માટે, આપણે અન્યો પર – ક્નસલ્ટન્ટ પર આધાર રાખીએ તો ઓર્ગેનાઈઝેશનના ભવિષ્ય માટે તે બહુ સારી વાત નથી તેની પર મારો નક્કર વિશ્વાસ છે. `પહલે દેખતે હૈ અપને બાજુઓ મેં કિતના દમ હૈ’ આ માનસિકતા. આથી દરેક વાતમાંથી માર્ગ કાઢતી વખતે વીણા વર્લ્ડ ટીમ વધુમાં વધુ સ્ટ્રોંગ, પર્સિસ્ટન્ટ અને રેઝિલિયન્ટ બનતી ગઈ, જેનો હાલમાં અને આગળ જતાં પણ ઓર્ગેનાઈઝેશનને ફાયદો થશે. વારુ. તો માર્કેટિંગ ટીમ સાથે આ સતત તૂતૂમૈમૈમાંથી બહાર નીકળવા માટે મેં થોડા દિવસ પૂર્વે નક્કર ભૂમિકા લીધી. ન્યૂઝપેપર્સ માટે અમે જે ફુલ પેજ સપ્લિમેન્ટ્સ બનાવીએ છીએ અથવા આર્ટિકલ લખીએ છીએ તેમાંથી મારું ઈન્ટરફિયરન્સ મેં સંપૂર્ણ કાઢી લીધું છે. મેં એક વાર આર્ટિકલ લખીને આપી દીધો હોય તે પછી તેમાંથી મારું ઈન્ટરફિયરન્સ મેં સંપૂર્ણપણે કાઢી લીધું. મેં એક વાર આર્કિટકલ લખીને આપું એટલે તમે જ તેનું પ્રૂફ રીડિંગ, ડિઝાઈનિંગ કરી લેવાનું. હું ફાઈનલ પ્રોડક્ટ જોઈશ નહીં, ડાયરેક્ટ પેપરમાં વાંચીશ. આ જ રીતે ફુલ પેજ સપ્લિમેન્ટ હોય તેમાં અમારું, એટલે કે, હું, નીલ અથવા સુનિલાનો જે નાનો આર્ટિકલ હોય તે અમે આપીશું, બાકી બધી માહિતી તમે ભેગી કરવાની તમારા વાચકો – પર્યટકોને નજર સામે રાખીને. તેમને કઈ માહિતીની જરૂર છે તેનો વિચાર કરીને તમે પણ સપ્લિમેન્ટ બનાવો. બધી જવાબદારી તમારી.’
સદયા કરદેકરે પ્રશ્ન કર્યો, `આ અઠવાડિયાથી જ આ કરવાનું છે? હવે ફક્ત બે દિવસ બાકી છે, કઈ રીતે બનશે? ગણેશ કદમ, પ્રાજસ રાઉત, જિતેશ ઘાગ અને તેમની હેડ વિભૂતિ ચુરીના ચહેરા પરનું પ્રશ્નચિહન અને ફિકર મને થતી હતી. તેને કહ્યું, આપણે જો ટ્રેક રેકોર્ડ જોઈએ તો છેલ્લા બે દિવસમાં જ બાબતો બની રહી છે. મારો આધાર લેવાનું બંધ કરો, પોતાના એક્સપર્ટ ક્નટેન્ટ રાઈટર, ડિઝાઈનર, પ્રૂફ રીડર, એક પરીક્ષક, વાચક, પર્યટક અને બધું જ બનો. જયાં સુધી તમે મારી પર આધાર રાખશો ત્યાં સુધી તમે ઓનરશિપ લેશો નહીં, રિસ્પોન્સિબલ રહેશો નહીં અને તમારા હાથમાંથી મોટાં કામો થશે નહીં. તમે જસ્ટ એક્ઝિક્યુટર બનશો અને જીવન નીરસ થઈ જશે. ક્રિયેટિવિટીનો આનંદ લો, ઈનોવેશન્સ કરો, ગઈકાલની ડિઝાઈન કરતાં આજની ડિઝાઈન વધુ ઉત્કૃષ્ટ કઈ રીતે થશે તે માટે સતત ઈમ્પ્રુવમેન્ટ કરો. બધાને આવી ક્રિયેશનની ઓપોર્ચ્યુનિટી મળતી નથી. તમને મળી છે તો આ તકનો લાભ લો અને તમારું ક્રિયેશન તમારી કેપેસિટી અને કેપેબિલિટીનો માપદંડ બનીને બધાની પ્રશંસાનો ભાગ નીવડશે ત્યારે તમને તમારી કરિયરમાંનું પહેલું માઈલસ્ટોન પાર કર્યાનો સંતોષ મળશે. તમે પોતાની પર પ્રેમ કરવા લાગશો.તમને પોતાના વિશે અભિમાન થશે. મને ભલે મોડું થયું, પરંતુ તમારો ટેકો પાછો ખેંચી લેવાનો સાક્ષાત્કાર થયો છે. અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં! તમને ફાવશે. આગે બઢો, આપ કર પાઓગે!’ સ્વિમિંગ શીખતી વખતે આપણા પિતા અથવા આપણો કોચ પાણીમાં ધકેલી દેતો તેવી જ આ અવસ્થા છે. છ એપ્રિલે આશંકા સાથે આ પાંચ જણની ટીમ મિટિંગ રૂમમાંથી બહાર નીકળી. હું પણ સંપૂર્ણપણે ડિટેચ થઈ, `વો કરેંગે’ એ આત્મવિશ્વાસથી- હાહાહા.
ક્યારેક ક્યારેક ખરેખર આપણે એટલી ખોટી રીતે અમુક બાબતો કરીએ છીએ કે જીવનની દોડધામમાં ધ્યાનમાં પણ રહેતું નથી કે આપણી પદ્ધતિ ખોટી પડી રહી છે અથવા આ જ બાબત કરવાનો કોઈ અન્ય માર્ગ પણ હોઈ શકે છે. હવે ભાન થયું છે કે આ કરવા માટે – કેળવવા માટે ફક્ત આપણે વચ્ચે જ એક `બ્રીફ પૉઝ’ લેવો જોઈએ. ચિકિત્સકની નજરથી પરીક્ષણ કરતાં ફાવવું જોઈએ. ભૂલ સમજાવી જોઈએ, તેની માલિકી સ્વીકારીને સુધારણા કરવી જોઈએ. નીલે એક વખત ટીમ મીટને દાખલો આપ્યો હતો, માલ્કમ ગ્લેડવેલના પુસ્તકમાંના `ટેન થાઉઝન્ડ અવર્સ રુલ’નો. માનસશાસ્ત્રીય દ્રષ્ટિથી કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરવા માટે સામાન્ય રીતે દસ હજાર કલાક લાગે છે. એટલે કે, લગભગ પાંચ વર્ષ લાગે છે કોઈ પણ બાબતમાં નિપુણતા મેળવવા માટે. એક્ચ્યુઅલી આ રુલ કહે છે કે, કન્ઝિસ્ટન્સી મહત્ત્વની છે. સતત, સંયમથી, સતર્કતાથી પ્રયાસ કરતા રહીએ તો બાબત ઘડાય છે, એક્સપર્ટીઝ મેળવી શકાય છે અને આપણે પોતાના સ્વકીયના અભિમાન બનીએ છીએ. ટૂંકમાં જીવનની બધી સારી બાબતો એટલે સગાસંબંધી, વ્યવસાય, સફળતા, વિશ્વાસ, સમાધાન આ બધાને વાર લાગે છે. આથી સમય આપવા શાંતિથી પોતાને તૈયાર કરવા જોઈએ.
જેફ બેઝોસે એમેઝોન શરૂ કર્યું ત્યારે અનેક વર્ષ તેમણે પ્રોફિટ તરફ ધ્યાન જ આપ્યું નહીં. તેમના ઈન્વેસ્ટર્સ ત્રસ્ત થતા. તેમના `પૈસા ક્યારે કમાશે?’ એવી સતત પૃચ્છાને કારણે જેફ બેઝોસ ઉત્તર આપતાં આપતાં મુશ્કેલીમાં આવતા હતા, પરંતુ તેમનો ફોકસ એક જ હતો `લોંગ ટર્મ બિલ્ડિંગ.’ લોજિસ્ટિક્સ, વેરહાઉસ, નેટવર્ક, કસ્ટમર ટ્રસ્ટ… આ બધાની પાછળ પ્રચંડ મહેનત લેવાનું કામ ચાલતું હતું. બેઝ સ્ટ્રોંગ બનતો હતો. લગભગ પંદર વર્ષ એમઝોન સંયમ રાખીને સતત કામ કરતું રહ્યું અને આજે તે ફક્ત દુનિયામાં એક વિશાળ ઈ-કોમર્સ કંપની હોવા સાથે `એમેઝોન વેબ સર્વિસ’ને લીધે દુનિયાની સૌથી મોટી `ટેક બેકબોન’ કંપનીમાંથી એક છે. `એપલ’ની બાબતમાં પણ તે જ કહી શકાય. તેની વિશિષ્ટતા એ કે તે ક્યારેય ઉતાવળમાં પ્રોડક્ટ લોન્ચ કરતા નથી. આયફોન, આયપેડ કે મેક… દરેક બાબત રિફાઈન કરવામાં આવે છે.સ્ટીવ જોબ્ઝે કહ્યું હતું, `ડિટેઈલ્સ મેટર, ઈટ્સ વર્થ વેટિંગ ટુ ગેટ ઈટ રાઈટ.’ તેમણે અનેક પ્રોડક્ટ્સ ડિલે કરી, રિજેક્ટ કરી, પરંતુ જે પ્રોડક્ટ્સ બહાર આવતી હતી તે કેટેગરી ડિફાઈન કરનારી હતી. તેમણે સમય લીધો, પરંતુ જ્યારે તે પ્રોડક્ટ્સ આવી ત્યારે તેણે માર્કેટ સાથે દુનિયા બદલી નાખી, માણસોનું જીવન સુખમય બનાવી દીધું. આજે એનવિડિયાની સર્વત્ર બોલબોલા છે. જોકે તેમની સફળતા ઓવરનાઈટ સકસેસ નથી. વીસ વર્ષ તેમણે ગેમિંગ માટે ૠઙઞ એટલે કે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ બનાવ્યા. તે સમયે કોઈને જ એવું લાગ્યું નહોતું કે ગદશમશફ એઆઈનું ફાઉન્ડેશન બનશે. તે પોતાને શાંતિથી તૈયાર કરતા રહ્યા. સમય આવ્યો ત્યારે તેમને એક્સપોનેન્શિયલ ગ્રોથ મળી.
TIME100 Next Indiaની યાદી TIMEના સંપાદકો દ્વારા તૈયાર કરવામાં આવશે. જેમાં કળા, વિજ્ઞાન, બિઝનેસ, સ્પોર્ટ્સ, એડવોકેસી અને અન્ય ક્ષેત્રોમાં ભારતનું ભવિષ્ય ઘડી રહેલા ભારત અને વિદેશમાં વસતા ભારતીયોના 100 ઉભરતા આગેવાનોને સ્થાન આપવામાં આવશે. આ યાદી ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવશે અને ડિસેમ્બર 2026માં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ‘TIME100 Next India Gala’માં તેની ઉજવણી કરવામાં આવશે.
TIMEના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા સિબલીએ જણાવ્યું હતું, “અમે પહેલીવાર TIME100 Nextને ભારત રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. TIME100 Next India વિવિધ ઉદ્યોગો અને સમગ્ર વિશ્વમાં પ્રગતિ કરી રહેલા આગામી પેઢીના આગેવાનોને સન્માનિત અને એકત્રિત કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસને સાકાર કરવામાં રિલાયન્સની ભાગીદારી બદલ અમે આભારી છીએ.”
“TIME100 Next એવા નેતાઓને સન્માનિત કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે જેઓ આગામી દાયકાઓનું ઘડતર કરશે. ભારતમાં આનો વિસ્તાર કરવાથી અમને એક મહત્વપૂર્ણ વળાંક પર ઉભરતી પ્રતિભાઓની અસાધારણ પેઢીને ઉજાગર કરવાની અને તેમની કહાની વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની તક મળે છે,” તેમ TIMEના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને એક્ઝિક્યુટિવ એડિટર ડેન મેકસાઈએ જણાવ્યું હતું, જેઓ TIME100 ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરે છે.