બોલિવૂડ અભિનેત્રી ઈશા કોપ્પીકર તેના માતા-પિતા અને પુત્રી રિયાના સાથે મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચી છે. ઈશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સંગમમાં ડૂબકી લગાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રી તેની પુત્રી સાથે પાણીમાં ડૂબકી લગાવતી જોવા મળે છે. તેના માતા-પિતા પણ એક ફ્રેમમાં જોવા મળે છે. એક ફોટામાં ઈશાને પ્રાર્થના કરતી જોઈ શકાય છે. તેમણે લખ્યું,’ત્રણ પેઢીઓ, એક પવિત્ર ક્ષણ. કુંભના દિવ્ય જળમાં ડૂબકી લગાવીને, શ્રદ્ધા, પરંપરા અને આશીર્વાદને એકસાથે સ્વીકારો.’
ઈશા કોપીકરે 1997 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘ડબલ્યુ/ઓ વી. વારા પ્રસાદ’ થી સિનેમામાં પોતાની સફર શરૂ કરી હતી, જેમાં તે અભિનેતા વિનીત સાથે એક ગીતમાં જોવા મળી હતી. તમિલમાં તેની પહેલી ફિલ્મ ‘કધલ કવિધાઈ’ હતી જેમાં પ્રશાંત સાથે કામ કર્યું હતું. 1999માં ઈશા કોપ્પીકરે વિજય સાથે ‘નેન્જિનાયલે’માં કામ કર્યું. વર્ષ 2000માં તેણીએ કરિશ્મા કપૂર અને ઋતિક રોશન સાથે ખાલિદ મોહમ્મદની ફિલ્મ ‘ફિઝા’ માં એક નાની ભૂમિકા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો.
ઈશા કોપ્પીકરની ફિલ્મો
વર્ષ 2001 માં તેણીએ અર્જુન રામપાલ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત’ થી બોલિવૂડમાં પોતાનો સંપૂર્ણ પ્રવેશ કર્યો. ત્યાર બાદ તેણીએ કે.રાઘવેન્દ્ર રાવની કોમેડી ફિલ્મ ‘આમદાની અઠ્ઠાની ખર્ચા રુપૈયા’ હતી જેમાં ગોવિંદાની સામે ફિલ્મ આવી હતી. તેઓ છેલ્લે ‘લવ યુ લોકતંત્ર’ ફિલ્મમાં રૂપેરી પડદે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કૃષ્ણા અભિષેક, અલી અસગર, સપના ચૌધરી, મનોજ જોશી, રવિ કિશન, ઈશા કોપ્પીકર, અમિત કુમાર, રોહિત સિંહ માટરુ, સુધીર પાંડે અને સ્નેહા ઉલ્લાલ જેવા કલાકારો છે.
ઈશાએ 2009 માં ઉદ્યોગપતિ ટિમી નારંગ સાથે લગ્ન કર્યા. જોકે, નવેમ્બર 2023 માં તેમના છૂટાછેડા થઈ ગયા. મહાકુંભ વિશે વાત કરીએ તો ટીવી ક્વીન એકતા કપૂર પણ પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ ગઈ હતી. તેમણે ત્યાંની કેટલીક ઝલક પણ શેર કરી. તેણે આખી સફર ખૂબ માણી. અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સે પવિત્ર જળમાં ડૂબકી લગાવી છે.
અમેરિકામાં ફરી એક વખત પ્લેન દુર્ઘટના સર્જાય છે. એરિઝોનાના સ્કોટ્સડેસ એરપોર્ટ પર એક પ્રાઈવેટ જેટ લેન્ડ થતા સમયે રનવે પર અન્ચ એક જેટ અથડાતા દુર્ઘટના સર્જાય છે. મીડિયા સૂત્રો પ્રમાણે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે સાથે 4 લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર વિમાન પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા દોઢ મહિનામાં અમેરિકામાં ચોથી વિમાન દુર્ઘટના સર્જાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી, જ્યારે એક લિયરજેટ 35A વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી ઘસી ગયું હતું અને રેમ્પ પર ઉભેલા ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાયું હતું. આ પછી એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. સ્કોટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટનું પ્રાઇમરી લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે બીજા પાર્ક કરેલા જેટ સાથે અથડાયું હતું. જે વિમાન અથડાયુ તેમાં ચાર લોકો સવાર હતા. પાર્ક કરેલા વિમાનમાં એક માણસ સવાર હતો. આ અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એકની હાલત સ્થિર છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત પણ થયું છે. આ પહેલા અમેરિકાના અલાસ્કાથી નોમ શહેર જઈ રહેલું એક વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જે બાદ શોધ શરૂ કરવામાં આવી હતી અને હવે વિમાનનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો હતો. વિમાન દરિયામાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા.
સીઆરપીએફ ઓફિસર પૂનમ ગુપ્તા બુધવારે (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫) લગ્નગ્રંથિથી જોડાશે. તેમના લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહીં હોય. આ એક ઐતિહાસિક લગ્ન હશે જેને આખું ભારત યાદ રાખશે કારણ કે તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં થવાના છે. આ એ જ પૂનમ ગુપ્તા છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કમાન્ડો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. તે પીએમ મોદી સાથે ચાલતી જોવા મળી અને ચર્ચાઓ શરૂ થઈ કે તે પીએમ મોદીની મહિલા કમાન્ડો છે.
પૂનમ ગુપ્તા દેશના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં વિશ્વભરના રાષ્ટ્રાધ્યક્ષોનું સ્વાગત કરવામાં આવ્યું છે, પરંતુ દેશના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્નનું આયોજન કરવામાં આવશે. પૂનમ ગુપ્તાના લગ્ન સમારોહમાં ફક્ત નજીકના પરિવારના સભ્યો જ હાજરી આપશે.
પૂનમ ગુપ્તાના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મધર ટેરેસા કોમ્પ્લેક્સમાં યોજાશે. હવે બધાના મનમાં પ્રશ્ન એ છે કે તેમના લગ્ન રાષ્ટ્રપતિ ભવનમાં શા માટે યોજાઈ રહ્યા છે અને પૂનમ ગુપ્તાને તેના માટે પરવાનગી કેવી રીતે મળી? પૂનમ ગુપ્તાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તે માટે વિનંતી પણ કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પૂનમ ગુપ્તાની વ્યાવસાયીકરણ, સમર્પણ અને CRPFમાં તેમની નોકરી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રાષ્ટ્ર સેવાને ધ્યાનમાં રાખીને તેમની વિનંતી સ્વીકારી.
કોણ છે પૂનમ ગુપ્તા?
દુલ્હન બનવા જઈ રહેલી પૂનમ ગુપ્તા CRPFની સહાયક મહિલા કમાન્ડો છે અને હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં પર્સનલ સિક્યુરિટી ઓફિસર (PSO) તરીકે તૈનાત છે. તેમણે ૭૪મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા ટુકડીનું નેતૃત્વ કરીને પોતાનું મજબૂત નેતૃત્વ અને ભૂમિકા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી. પૂનમ ગુપ્તા સીઆરપીએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અવનાશ કુમાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટેડ છે.
પૂનમ ગુપ્તા મધ્યપ્રદેશના શિવપુરીની રહેવાસી છે અને તે હંમેશા અભ્યાસમાં સારી રહી છે. તેણી પાસે ગણિતમાં ડિગ્રી અને અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી છે. તેમણે ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાંથી બી.એડ પણ કર્યું છે. 2018 માં, પૂનમ ગુપ્તાએ UPSC CAPF માં 81મો રેન્ક મેળવ્યો. આ પછી તેણીને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે પોસ્ટ કરવામાં આવી. રાષ્ટ્રપતિ ભવનમાં પોસ્ટિંગ પહેલાં, તેણી બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પોસ્ટિંગ કરતી હતી.
અમદાવાદ: ગુજરાતમાં RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિરલ ઓફિસ એસોસિયેશન દ્વારા ઘણી પડતર મગોને લઈ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ સાથે કાલથી ગુજરાતભરમાં ગઈકાલથી કામ કાજ ઠપ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તમામ RTO પર અવાર નવાર ટેકનિકલ એરરને લઈ કામકાજ બંધ થતું હોય, ત્યારે ગઈકાલથી કર્મચારી વિરોધના પગલે કામકાજ ઠપ જોવા મળ્યું હતું. પરંતુ RTOના મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશનના પ્રશ્નોનો ઉકેલવાની સરકાર તરફથી બાયંધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.
ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે દોઢ દિવસમાં અમદાવાદ આરટીઓ કચેરીમાં 400થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ટેસ્ટ ન આપી શક્યા. વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં પણ 200 થી વધુ લોકોએ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ન આપી શક્યા ટેસ્ટ 12 વાગ્યા પછીની તમામ અપોઈન્ટમેન્ટ પર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
રણવીર અલ્હાબાદિયા યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ છે. આને બીયર બાયસેપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રણવીર તાજેતરમાં સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં પેનલિસ્ટ તરીકે જોડાયો. જોકે, આ શોમાં જોડાયા પછી તેને ઇન્ટરનેટ પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. શો દરમિયાન યુટ્યુબરે શોના સિગ્નેચર ડાર્ક હ્યુમરને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. હવે તેને ખુબ જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં મહેમાન તરીકે ગયો હતો. આ એપિસોડમાં તેની સાથે જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજા જેવા કન્ટેન્ટ ક્રિએટર્સ પણ હતાં. શો દરમિયાન રણવીરે એક વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના શારિરિક સંબંધને લઈ કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરી સવાલ કર્યો હતો. રણવીરના આ સવાલને કારણે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો અને તેના સવાલ પર લોકોએ વાંધો ઉઠાવ્યો. લોકોની ટિપ્પણીઓ બાદ સમગ્ર વિવાદ શરૂ થયો.
રણવીરનો વીડિયો વાયરલ થયા પછી તેની ટીકા થવા લાગી અને વિવાદ ઉભો થયો. મામલો એટલો વધી ગયો કે તેની સામે ફરિયાદ અને FIR દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને માફી પણ માંગી, પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે શોમાં જવું એ ખોટો નિર્ણય હતો. આ સાથે રણવીર અલ્લાહબાદિયાએ વિનંતી કરી હતી કે આ એપિસોડમાંથી તેમની ટિપ્પણી દૂર કરવામાં આવે. ચાલી રહેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને અને રણવીર અલ્લાહબાદિયાની વિનંતી પર આ એપિસોડ હવે યુટ્યુબ પરથી કાઢી નાખવામાં આવ્યો છે.
રણવીરે માફી માગી
રણવીર અલ્લાહબાદિયાએ એક લાંબો વીડિયો પોસ્ટ કર્યો. વીડિયોમાં તેણે કહ્યું,’મારી ટિપ્પણી માત્ર અયોગ્ય જ નહોતી, પણ રમુજી પણ નહોતી. કોમેડી મારી ખાસિયત નથી, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. તમારામાંથી ઘણાએ પૂછ્યું હશે કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું, સ્વાભાવિક છે! હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ સંદર્ભ, વાજબીપણું કે તર્ક આપીશ નહીં, હું ફક્ત માફી માંગવા આવ્યો છું. મારી નિર્ણય લેવાની વ્યક્તિગત ક્ષમતાનો અભાવ હતો. મારા તરફથી આ યોગ્ય નહોતું. આ પોડકાસ્ટ બધી ઉંમરના લોકો જુએ છે, અને હું તે વ્યક્તિ હોવાની જવાબદારીને હળવાશથી લેવા માંગતો નથી. આ પ્લેટફોર્મનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની જરૂર છે, આ સમગ્ર અનુભવમાંથી મને આ શીખવા મળ્યું છે. હું ફક્ત વધુ સારા બનવાનું વચન આપું છું. મેં વિડિઓના નિર્માતાઓને પણ અસંવેદનશીલ ભાગો દૂર કરવા કહ્યું છે અને અંતે હું ફક્ત એટલું જ કહી શકું છું કે મને માફ કરશો. મને આશા છે કે તમે મને એક માણસ તરીકે માફ કરશો.
સીએમ ફડણવીસે આપી પ્રતિક્રિયા
યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણી પર મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું,”મને તેના વિશે ખબર પડી છે. મેં હજી સુધી તે જોયું નથી. વસ્તુઓ ખોટી રીતે કહેવામાં આવી છે અને રજૂ કરવામાં આવી છે.” દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આપણે આપણા સમાજમાં કેટલાક નિયમો બનાવ્યા છે, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તો તે એકદમ ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.”
એપિસોડ હટાવવામાં આવ્યો
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો વિવાદાસ્પદ એપિસોડ હવે યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે. આ સામગ્રી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ મોબાઇલ એપ્લિકેશન પર પણ અલગથી અપલોડ કરવામાં આવે છે, પરંતુ વિડિઓ હવે એપ્લિકેશનમાં પણ ઍક્સેસ કરી શકાતો નથી. NHRC એ YouTube ને વિડીયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, શોમાં અપશબ્દોના ઉપયોગ અંગે મુંબઈ કમિશનર અને મહારાષ્ટ્ર મહિલા આયોગને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં ફક્ત રણવીર અલ્લાહબાડિયા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા અને કોમેડિયન સમય રૈનાનું પણ નામ હતું. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે અને માહિતી આપી છે કે ગુવાહાટી પોલીસે પણ આ મામલે એફઆઈઆર નોંધી છે.
સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી
એક યુઝરે લખ્યું હતું, “આજકાલ કોમેડી ફક્ત ગાળો, અશ્લીલતા અને બિનજરૂરી મજાક સુધી મર્યાદિત રહી ગઈ છે. આ વિડીયો જોયો ત્યાં સુધી મને ખરેખર આ જૂઠું લાગતું હતું.” બીજા એક યુઝરે લખ્યું. “આ ઘૃણાસ્પદ છે. કોઈએ આ બેદરકાર યુવા સામે FIR નોંધાવવી જોઈએ.”
અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટતું નોંધાઈ રહ્યું છે. પવનની દિશા બદલાતા લોકોને કડકડતી ઠંડીમાંથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ આ કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણની નિશ્ચિતા જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી દેશનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. કારણ કે, મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આજથી બાંગ્લાદેશ પર એક ચક્રવાત સર્જાશે, જેની અસર ભારતના અનેક રાજ્યોને થશે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોને કમોસમી વરસાદની ચીમકી આપી છે. સાથે જ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળવાની શક્યતા સેવાય રહી છે.
દેશમાં IMD દ્વારા વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. જેની અસર દેશના વિવિધ રાજ્યોને થશે. આ સાથે ગુજરાતમાં પણ 11-13 તારીખ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઉત્તરથી ઉત્તર પૂર્વીય ઠંડા પવનો ધીમા પડતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો નોંઘાયો ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે. પરંતુ રાત્રે હજુ પણ ઠંડીમાંથી રાહત નહીં મળે.એવું કહેવાય છે કે મહા મહિનામાં આવતી શિવરાત્રી બાદ ઠંડીનું જોર ઘટશે.
હવામાન વિભાગે રાજ્યના જુદા-જુદા વિસ્તારોને લઈને ઠંડીની આગાહી કરી છે. આ સાથે નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં અમદાવાદ સહિતના સ્થાનો પર સરેરાશ 12 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં 13.8 અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, ડીસામાં 13.5 જયારે પોરબંદરમાં 12.6 ડિગ્રી, કંડલામાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કેશોદ, વડોદરા અને ભુજ જેવા સ્થાનો પર નલિયાની સરખામણીએ વધુ તાપમાન જોવા મળ્યું.વલ્લભ વિદ્યાનગરમાં 16.4 ડિગ્રી, કેશોદમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.6 ડિગ્રી, ભુજમાં 16.8 ડિગ્રી, ભાવનગરમાં 17 ડિગ્રી અને દ્વારકામાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. મનોવિજ્ઞાન વિષયમાં Needs એટલે કે જરૂરિયાતોની અગ્રિમતાનો ત્રિકોણ જેને માસ્લોનો ત્રિકોણ કહે છે તેમાં માણસની જરૂરિયાતોને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી નીચે પાયાના સાથે જોડાયેલી જરૂરિયાતોને Basic Needs એટલે કે મૂળભૂત જરૂરિયાતો કહે છે.
આટલી જરૂરિયાતો સંતોષાય તો જ માણસ આગળની જરૂરિયાતો એટલે કે સલામતી, સામાજિક, કોઈ પણ ક્ષેત્રે કૌશલ્ય થકી Excellence એટલે કે ઉત્તમ ક્ષમતા પ્રાપ્ત કરવી અને છેલ્લે Self Actualization એટલે કે પરમ જ્ઞાન અથવા મોક્ષની સ્થિતિ આવે.
ઊંઘ, ભૂખ, થાક વિગેરે Basic Needs એટલે કે પાયાની જરૂરિયાતો છે. માણસ ભૂખ્યો હોય ત્યાં સુધી એનાં વ્યક્તિત્વ વિકાસનાં આગળનાં પાસાં અને તેમાંય ભજન/ભક્તિ થકી ઈશ્વરની આરાધના અને અંતે મોક્ષની પ્રાપ્તિ તરફ પ્રયાણ આવે છે. પણ આ બધું પેટ ભરેલું હોય ત્યાર પછીના તબક્કે જ સાધી શકાય છે. આ સંદર્ભમાં ‘ભૂખ્યા પેટે ભજન ન થાય’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અમેરિકા: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલુ છે. આ યુદ્ધવિરામ હેઠળ, હમાસ સતત ઇઝરાયલી બંધકોને મુક્ત કરી રહ્યું છે. પરંતુ હવે હમાસે ઇઝરાયલ પર આ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ બંધકોની મુક્તિને રોકી શકે છે, જેના વિશે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે.
ટ્રમ્પે હમાસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો ગાઝામાં બંધક બનાવવામાં આવેલા તમામ 73 લોકોને શનિવાર બપોર સુધીમાં મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો અંત લાવવા અને હમાસને ખતમ કરવાનો પ્રસ્તાવ મૂકશે.
એક અહેવાલ મુજબ, ઓવલ ઓફિસમાં બોલતા, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો જોર્ડન અને ઇજિપ્ત ગાઝામાંથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને લેવાનો ઇનકાર કરે છે, તો તેઓ તેમને આપવામાં આવતી સહાય બંધ કરી શકે છે. દિવસની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે પેલેસ્ટિનિયનોને તેમની પ્રસ્તાવિત યુએસ-નેતૃત્વ હેઠળના જોડાણ યોજના હેઠળ ગાઝા પાછા ફરવાનો અધિકાર રહેશે નહીં.
ટ્રમ્પે આ ટિપ્પણી હમાસે ઇઝરાયલી બંધકોની મુક્તિ આગામી સૂચના સુધી રોકવાની જાહેરાત કર્યા બાદ કરી હતી. આતંકવાદી સંગઠને ઇઝરાયલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે કે સંઘર્ષ ફરી શરૂ થઈ શકે છે. હમાસે જણાવ્યું હતું કે તેમણે આગામી નિર્ધારિત બંધક મુક્તિના પાંચ દિવસ પહેલા આ નિર્ણય લીધો હતો, જેથી મધ્યસ્થીઓને ઇઝરાયલ પર તેનું વચન પૂર્ણ કરવા અને સમયસર મુક્તિ સુનિશ્ચિત કરવા દબાણ કરવા માટે સમય મળે.
બંધકોને શનિવારે મુક્ત કરવાના હતા
યુદ્ધવિરામ મુજબ, હમાસ શનિવારે પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓના બદલામાં વધુ ઇઝરાયલી બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા હતી. આ સિસ્ટમ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અમલમાં હતી. તે જ સમયે, હમાસની આ જાહેરાત પછી, ઇઝરાયલી બંધક પરિવારો અને તેમના સમર્થકોએ સોમવારે રાત્રે તેલ અવીવના વિસ્તારને ઘેરી લીધો, જેને હવે હોસ્ટેજ સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે. વિરોધીઓએ સરકાર પર કરાર ન છોડવા માટે દબાણ કર્યું. આ પ્રદર્શનમાં 2 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
પીએમએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી
આ પછી, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે હમાસની જાહેરાતે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને તેમણે સેનાને ગાઝા અને સ્થાનિક સંરક્ષણ માટે ઉચ્ચતમ સ્તરની તૈયારી જાળવવા સૂચના આપી છે. એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ મંગળવારે સવારે સંરક્ષણ, NSA અને વિદેશ પ્રધાન સાથે બેઠક કરશે.
સોમવારે બે ઇજિપ્તીયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્યસ્થીઓને ડર છે કે યુદ્ધવિરામ કરાર તૂટી શકે છે. અમેરિકા સાથે મળીને કતાર અને ઇજિપ્તે આ કરારમાં મધ્યસ્થી કરી છે. આ કરારના પ્રથમ તબક્કા હેઠળ, અત્યાર સુધીમાં 33 બંધકોમાંથી 16ને મુક્ત કરવામાં આવ્યા છે. બદલામાં, ઇઝરાયલ તેની જેલોમાં કેદ પેલેસ્ટિનિયનોને પણ મુક્ત કરી રહ્યું છે.
બાંગ્લાદેશ: વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ શકે છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પક્ષને ખાતરી આપી હતી કે, તેમની વચગાળાની સરકાર ડિસેમ્બર સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહી છે, એમ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના એક ટોચના નેતાએ જણાવ્યું હતું.BNP મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે વચગાળાની સરકારના વડા સાથેની મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું, “યુનુસે અમને કહ્યું કે તેઓ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવા માટે કામ કરી રહ્યા છે. અમે વારંવાર સરકારને જલ્દી ચૂંટણી કરાવવાની અપીલ કરી રહ્યા છીએ. અમે આ બાબતે ફરી એકવાર તેમના પર દબાણ લાવ્યું છે. ન્યૂનતમ સુધારાઓ પૂર્ણ કરીને, સુધારા પંચો સાથે ચર્ચામાં ભાગ લઈને અને સર્વસંમતિ પર પહોંચીને, અમે માનીએ છીએ કે ચૂંટણીઓ ઝડપથી યોજાઈ શકે છે.”
સરકાર જવાબદારી લેવાનું ટાળી રહી છે: BNP નેતા
આલમગીરે દેશભરમાં તાજેતરની ઘટનાઓ, જેમાં ડાંગર બજારની ઘટનાનો પણ સમાવેશ થાય છે, તેના પર પણ સરકારની ટીકા કરી હતી. જ્યાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાનને ટોળાએ તોડી પાડ્યું હતું. તેમણે કહ્યું, “સરકાર આ ઘટનાઓની જવાબદારીથી છટકી શકે નહીં. આ ઘટનાઓના પરિણામે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી હદ સુધી બગડી ગઈ છે.”આલમગીર, પાર્ટીના સ્થાયી સમિતિના સભ્યો સલાઉદ્દીન અહેમદ અને મેજર (નિવૃત્ત) હાફિઝ ઉદ્દીન અહેમદ સાથે, મુખ્ય સલાહકાર સાથે દોઢ કલાક ચાલેલી બેઠકમાં હાજરી આપી હતી. આલમગીરે જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કારણ કે આ સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક છે. જો કે, સરકારે કહ્યું કે તેઓ તેને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યા છે.”
ડેવિલ હન્ટ વિશે આ કહ્યું
બી.એન.પી. નેતાએ કહ્યું કે સરકારે તાજેતરમાં ‘ડેવિલ હન્ટ’ નામનું સુરક્ષા ઓપરેશન શરૂ કર્યું છે જેમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ભોગ બનવું ન જોઈએ. કારણ કે આપણે ભૂતકાળમાં આ જોયું છે. આલમગીરે એમ પણ કહ્યું કે BNP રાષ્ટ્રીય ચૂંટણી પહેલા કોઈપણ સ્થાનિક સરકારની ચૂંટણીઓને કોઈપણ રીતે સ્વીકારશે નહીં. નઝરુલ ઇસ્લામ ખાનના નેતૃત્વમાં બી.એન.પી.ના અન્ય એક પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી કમિશનર એ.એમ.એસ. નાસિર ઉદ્દીન અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યા અને કમિશનની ચૂંટણી તૈયારીઓ વિશે માહિતી મેળવી.
અમેરિકા: ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર ખાનગી જેટ વિમાનો વચ્ચે અથડામણને કારણે અકસ્માત થયો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 12 દિવસમાં આ ચોથો વિમાન અકસ્માત છે.
વિમાન પાર્ક કરેલા જેટ સાથે અથડાયું
સ્કોટ્સડેલ એરપોર્ટના એવિએશન પ્લાનિંગ અને આઉટરીચ કોઓર્ડિનેટર કેલી કુએસ્ટરના જણાવ્યા અનુસાર, એક મધ્યમ કદનું બિઝનેસ જેટ ખાનગી મિલકત પર પાર્ક કરેલા બીજા મધ્યમ કદના બિઝનેસ જેટ સાથે અથડાયું. કુએસ્ટરના જણાવ્યા મુજબ, એક જેટ રનવે પરથી ભટકી ગયું અને પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આવનારા જેટનું પ્રાથમિક લેન્ડિંગ ગિયર નિષ્ફળ ગયું હતું, જેના કારણે અથડામણ થઈ. કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટ ટેક્સાસથી આવ્યું હતું જેમાં ચાર લોકો સવાર હતા અને એક વ્યક્તિ પાર્ક કરેલા વિમાનમાં હતો.
સ્કોટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એકની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે તેઓ અથડામણમાં માર્યા ગયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવા માટે કામ કરી રહ્યા છે.તાજેતરના વિમાન અકસ્માતો
૩ ફેબ્રુઆરીના રોજ, હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટને ટેકઓફના થોડા સમય પહેલા તેના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને ખાલી કરાવવામાં આવી હતી.
1 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક એક વિમાન ક્રેશ થયું. ક્રેશ થયેલ વિમાન લિયરજેટ 55 વિમાન હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રાન્સન રાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.
આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.