ગુજરાતમાં નસેડી પદાર્થોની હેરાફેરી દિનપ્રતિદીન વધી રહી છે ત્યારે વડોદરામાંથી વધુ એક નસીલા પદાર્થનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કેરિયરને ઝડપી પાડી રાજસ્થાનના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. આખી વાત એમ છે કે, ડભોઇ રોડ ઉપર વુડાના મકાનમાં ભાડેથી રહેતો અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મેફેડ્રોનનો જથ્થો મંગાવી ડિલિવરી આપનાર હોવાની વિગતો મળી હતી.

SOGને મળેલી બાતમીને આધારે તેમણે કપુરાઈ ચોકડી પાસે વોચ રાખી હતી. પોલીસે શકમંદ હાલતમાં નજરે પડતા અશોક મહિપાલ મેઘવાલને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂ.6.66 લાખની કિંમતને 66 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ પણ કબજે લીધો હતો. આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા કાળુ એ મોકલ્યું હોવાની વિગતો ખુલતા તેમજ તાંદલજા વિસ્તારના નીલોફર સલમાનને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તો બીજી બાજું પ્લાસ્ટિકની સ્ટ્રોની આડમાં લાખોનો દારૂ ઘુસાડવાની મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે દારૂની હેરાફેરી કરતા કન્ટેનરને ઝડપી લીધી. સાથે જ પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. વલસાડ પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂનું કન્ટેનર ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કન્ટેનર આવતા તેને અટકાવી ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કન્ટેનરમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્લાસ્ટિકની સ્ટ્રો અને ફ્રૂટી બનાવવા માટે રોલના બોક્ષ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકનો રોલ હટાવી કન્ટેનરની તપાસ કરતા લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 5.52 લાખના વિદેશી દારૂ અને કન્ટેનર મળી 16.4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રમાકાંત પ્રસાદ અને રવિશંકર પાંડે નામના આરોપીઓને પણ દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો દમણથી ભરૂચ તરફ લઈ જવાઈ રહ્યો હતો. હાલ તો પોલીસે દારૂ કોણે મંગાવ્યો હતો અને અત્યાર સુધી કેટલી વખત દારૂની હેરાફેરી કરવામાં આવી છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.





અસલમાં એ ગીત પહેલાં અન્ય ગાયકના સ્વરમાં હતું પણ પછી જાવેદ અલીને મળ્યું હતું. જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આમિર ખાન, સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર પ્રસૂન જોશી અને ગાયક જાવેદ અલી હાજર હતા. પહેલાં આ ગીતના 6-7 મુખડાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી અંતે ‘ગુઝારીશ’ શબ્દોનું મુખડું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે જાવેદ પાસે જ આખું ગીત ગવડાવવાનું નક્કી ન હતું. બધાએ વિચારીને જાવેદનું નામ નક્કી કર્યું હતું. કેમકે એનો અવાજ અનોખો અને અલગ લાગી રહ્યો હતો.




49 દિવસની સરકાર
રાણાના પ્રત્યાર્પણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તમને તાજેતરના ઘટનાક્રમ પરથી ખબર પડી ગઈ હશે કે રાણાએ અમેરિકામાં બધા કાનૂની રસ્તાઓ ખતમ કરી દીધા છે, યુએસ સુપ્રીમ કોર્ટે પણ તેમની અપીલ ફગાવી દીધી છે.’ તેથી અમે હવે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છીએ જેથી રાણા ભારતીય અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરે. આ ખાસ બાબતે વધુ માહિતી મળતાં જ અમે તમને જણાવીશું.
21 જાન્યુઆરીના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો હતો. ભારતે અગાઉ કહ્યું હતું કે તે રાણાના વહેલા પ્રત્યાર્પણ માટે યુએસ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે હવે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપીઓને વહેલી તકે ભારતને સોંપવા માટે યુએસ પક્ષ સાથે કામ કરી રહ્યા છીએ.’
રાણા પાકિસ્તાનની ISI સાથે જોડાયેલો છે અને લશ્કર-એ-તૈયબા સાથે પણ જોડાયેલો છે.
દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.