પંજાબમાં AAP ના સાંસદોના પક્ષપલટા બાદ રાજકીય સંગ્રામ તેજ થયો છે. હરભજન સિંહના ઘરની બહાર ‘ગદ્દાર’ લખવામાં આવ્યું છે અને પક્ષના કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહ સહિતના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. માને આક્ષેપ કર્યો છે કે ભાજપ ડર અને લાલચ આપી પ્રાદેશિક પક્ષોને ખતમ કરી રહી છે, પરંતુ ગણતરીના નેતાઓના જવાથી પક્ષ નબળો નહીં પડે.
क्रिकेटर और राज्यसभा सांसद @harbhajan_singh के घर के बाहर @AamAadmiParty का विरोध प्रदर्शन।
आम आदमी पार्टी ने कार्यकर्ताओं ने हरभजन सिंह के घर की दीवार पर लिखा गद्दार लिखा।@AAPPunjab pic.twitter.com/avv65tKucr
— Amit Pandey (@amitpandaynews) April 25, 2026
ચંદીગઢમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભગવંત માન અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે પક્ષ છોડીને જનારા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જેમને જનતા વચ્ચે ગયા વગર અને હાથ જોડ્યા વગર સીધા જ મોટા પદો મળી ગયા હતા, તેમણે આજે પોતાના અંગત સ્વાર્થ માટે પંજાબની જનતા સાથે દગો કર્યો છે. માને આક્ષેપ કર્યો હતો કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે પરંતુ નેતાઓના મનની વાત વાંચી શકે તેવું મશીન હજુ સુધી બન્યું નથી. રાઘવ ચઢ્ઢાના ‘ગૂંગળામણ’ વાળા નિવેદન પર તંજ કસતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેઓ અત્યાર સુધી સત્તાનો આનંદ માણતા હતા તેમને હવે અચાનક પાર્ટીમાં ગૂંગળામણ થવા લાગી છે.
ભગવંત માને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા તેને ‘બંદે ખાની પાર્ટી’ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ જે પણ પક્ષ સાથે ગઠબંધન કરે છે તેને તે ધીમે ધીમે ગળી જાય છે. પંજાબમાં ભાજપ પાસે પોતાનો કોઈ મજબૂત આધાર નથી, તેથી તે પ્રાદેશિક પક્ષોને તોડવાની રણનીતિ અપનાવી રહી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને મહારાષ્ટ્રમાં શરદ પવાર તેમજ ઉદ્ધવ ઠાકરેના ઉદાહરણો આપીને જણાવ્યું કે કેવી રીતે કેન્દ્રીય એજન્સીઓ અને દબાણની રાજનીતિ દ્વારા વિપક્ષને નબળો પાડવામાં આવી રહ્યો છે. માને કહ્યું કે પંજાબમાં જ્યારે ‘બેઅદબી’ સામે કડક કાયદો આવ્યો ત્યારથી ભાજપમાં બેચેની જોવા મળી રહી છે.




એક તરફ મહાનગર પાલિકાની ચુૂંટણી જાહેર થઇ ત્યારથી જ મોટાભાગના વિસ્તારોમાં નિરસતા જોવા મળી રહી છે. રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને મતદારોમાં પણ ક્યાંક નારાજગી અને રસનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાંય ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. એવા સમયે મતદાન ઓછું ન થાય એ માટે રાજકીય પક્ષો તેમજ તંત્ર સક્રિય થઇ ગયા છે.
મતદાન થાય એ પહેલાં તમામ મતદાન મથકો પર મતદારોને ગરમીમાં ઉભાના રહેવું પડે એ માટે મંડપ બાંધવામાં આવ્યા છે. આ સાથે ગરમીમાં તરસ છીપાવવા ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોને ગરમી સામે રક્ષણ મળે એવા તમામ પ્રયાસો મતદાન મથકની અંદર અને બહાર કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણી પૂર્વે અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારની નવરંગ સ્કૂલમાં ઇ.વી.એમ મશીનની સાથે મતદાન સામગ્રી પોલિંગ ઓફિસરો દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવામાં આવી હતી. જેમાં 1.સુપ્રત કરેલ મત પત્રકો 2. મતદાર યાદી માર્ક કોપી 3.ધાતુનું સીલ 4. વિશિષ્ટતા દર્શક સિક્કો 5. એરોક્રોસ માર્ક 6. અવિલોપ્ય સાહીની બોટલ 7.પેપર સીલ 8. સ્પેશ્યલ ટેગ 9. મતદાન મથકનો વિસ્તાર દર્શાવતી નોટિસ 10. હરીફ ઉમેદવારોની યાદી 11.ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટની સહીના નમુના 12. મત કુટિક – પરચુરણ કીટ જેવી મતદાન સામગ્રીનો સમાવેશ થાય છે.
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં પોલીસ જવાનોના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ઇ.વી.એમ મશીન સ્ટ્રોંગ રૂમમાંથી પોલિંગ ઓફિસરોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ વર્ષે વાદળી રંગની બેગોમાં સીલ મતદાનની સામગ્રી એ.એમ.ટી.એસ બસો દ્વારા મતદાન મથક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


કલાકારો અને ફિલ્મોના કન્ટેન્ટનો દુરુપયોગ



