Home Blog Page 1187

ચેન્નઈ કોન્સર્ટ પહેલા એડ શીરને એ.આર. રહેમાન સાથે કરી મુલાકાત

મુંબઈ: બ્રિટિશ ગાયક એડ શીરન ગુરુવારે ચેન્નાઈના YMCA ગ્રાઉન્ડ્સ ખાતે પોતાનો મ્યુઝિક કોન્સર્ટ કરશે. આ કોન્સર્ટ પહેલા તેણે ગાયક-સંગીતકાર એ.આર. રહેમાન અને તેમના પુત્ર એ.આર.અમીન સાથે મુલાકાત કરી હતી. એ.આર. રહેમાને આ મુલાકાતની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

રહેમાનના પુત્ર અમીને મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શીરન અને રહેમાન સાથેની ઘણી તસવીરો શેર કરી. એક ફોટામાં શીરનને રહેમાન અને અમીન સાથે પોઝ આપતો જોઈ શકાય છે. બીજા ફોટામાં બ્રિટિશ ગાયક એડ શીરન અને રહેમાન એક મ્યુઝિક સ્ટુડિયોમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by “A.R.Ameen” (@arrameen)

કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગીત ગાયું
એડ શીરને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે રહેમાનની કેએમ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સાથે તેનું ગીત ‘પરફેક્ટ’ ગાતો જોવા મળે છે. વિદ્યાર્થીઓ પણ તેમની સાથે આ ગીત ગાય છે. એડ શીરને આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે,’આજે ચેન્નાઈમાં સિંગર્સની ટોળકી સાથે ગીત ગાયું.’

છેલ્લે જ્યારે એડ શીરન હૈદરાબાદમાં હતો, ત્યારે પણ તેણે આ શહેરનો પ્રવાસ કર્યો હતો. આ સમયે પણ તે ચેન્નઈ શહેરના પ્રવાસનો આનંદ માણી રહ્યો છે. તે ચેન્નાઈમાં માથાની માલિશ કરાવતો પણ જોવા મળ્યો હતો. ગાયકે આ વીડિયો પણ શેર કર્યો છે. એડ શીરન ટૂંક સમયમાં દિલ્હી-એનસીઆરમાં પણ એક કોન્સર્ટ કરશે. ગાયકનો સંગીત કાર્યક્રમ 15 ફેબ્રુઆરીએ દિલ્હી-એનસીઆરમાં યોજાશે, આ સાથે તેમનો સંગીત પ્રવાસ પણ સમાપ્ત થશે.

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રીતે થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમકે શિયાળાની સિઝનમાં માવઠું થાય તો કૃષિ પાક પર વ્યાપક અસર પડવાની ભીતિ સેવાય રહી છે.

ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટશે. જ્યારે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લધુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેશે.આ ઉપરાંત ઉત્તરના પવનોને કારણે તાપમાન નીચું જશે. સાથે જ દક્ષિણ રાજસ્થાન તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની સંભાવના છે. નોંધનીય છે કે, હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી, આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

પ્રિયંકાના ભાઈના લગ્નની વિધિઓ શરૂ, માતાજીની પૂજામાં સામેલ થઈ અભિનેત્રી

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે હાલમાં પ્રસંગનો માહોલ જામ્યો છે. હોય જ ને,ભાઈ સિદ્ધાર્થના લગ્ન જો છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. બંને પરિવારોમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નીલમે પહેલેથી જ પોતાના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી લગાવી દીધી છે, જ્યારે સિદ્ધાર્થના ઘરે માતા રાણીની પૂજા સાથે વિધિઓ શરૂ થઈ ગઈ છે.

માતા રાણીની પૂજા સાથે શુભ શરૂઆત
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ લગ્નની વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. તેમણે માતા રાણીને પ્રાર્થના કરી છે કે તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂની દુનિયા ખુશીઓથી ભરી દે. મધુ ચોપરાએ લખ્યું, ‘લગ્ન સમારંભો શ્રદ્ધાથી શરૂ થાય છે. માતા દેવી આ દંપતીને આશીર્વાદ આપે. સુખ, પ્રેમ અને સમૃદ્ધિ આપો.’

પ્રિયંકા ચોપરા એથનિક લુકમાં
મધુ ચોપરાએ આગળ લખ્યું, ‘મિત્રો અને પરિવારની હાજરીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો’. તસવીરોમાં, મધુ ચોપરા અને પરિવારના સભ્યો પૂજા કરતા જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. જ્યારે, મધુ ચોપરા ગુલાબી રંગના પોશાકમાં જોવા મળી રહી છે.

નીલમના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી
દુલ્હનના ઘરમાં પણ ઉજવણીનો માહોલ છે. મહેંદી વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે, મંગળવારે પ્રિયંકા ચોપરા અને વરરાજા પક્ષના અન્ય સભ્યો મહેંદી કન્યાના ઘરે લઈ ગયા હતાં. નીલમ ઉપાધ્યાયે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરી છે, જેમાં તે મહેંદી લગાવતી જોવા મળી રહી છે. નીલમના હાથ પર સિદ્ધાર્થના નામવાળી મહેંદી બનાવવામાં આવી છે. હલ્દી સમારોહ પણ શરૂ થઈ ગયો છે, જેમાં મધુ ચોપરા પણ જોઈ શકાય છે.

બાકી લેણાં નહીં ચૂકવાય તો… દેશઆખામાં છવાશે અંધારપટઃ CM સોરેન

ધનબાદઃ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના 53મા સ્થાપના દિવસ નિમિત્તે ગોલ્ફ ગ્રાઉન્ડમાં આયોજિત સભામાં CM હેમંત સોરેન અને તેમનાં પત્ની તથા ગાંડેયનાં ધારાસભ્ય કલ્પના સોરેને કેન્દ્ર સરકાર પર સીધો હુમલો કર્યો હતો. CM સોરેને કહ્યું હતું કે કેન્દ્ર સરકારથી અમારે રૂ. 1.36 લાખ કરોડનાં લેણાં બાકી છે અને એ અમે લઈને રહીશું.

અમે કેન્દ્રને પત્ર પણ લખ્યો છે ને સંદેશ પણ મોકલ્યો છે. જો અમને અમારા અધિકારો નહીં અપાય તો અમે કેન્દ્ર સરકાર સાથે કાયદાકીય લડાઈ લડીશું, એટલું જ નહીં, કોલસાની ખાણોને પણ ઠપ કરી દઈશું. એનાથી દેશ અંધકારમાં ડૂબી જશે. ઝારખંડ હવે કેન્દ્ર સરકારના સાવકી માતા જેવું વર્તન સહન કરશે નહીં, એમ તેમણે કહ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે હાલ થોડા દિવસો પહેલાં કેન્દ્રીય કોલસા મંત્રી ઝારખંડ આવ્યા હતા. કોલસા મંત્રીએ કહ્યું હતું કે ઝારખંડમાં જમીનનો ભાવ વધુ છે, જેમાં ઘટાડો કરવો જોઈએ. અમે તેમને જવાબ આપ્યો કે જમીન અમારી છે અને જમીનના દર અમને જે જોઈએ તે માગીશું. કોલસા કંપનીઓએ જે ખાણોમાંથી ખાણકામ બંધ કર્યું છે તે ખાણોની જમીન માલિકોને પરત કરી દેવી જોઈએ. જો આમ નહીં થાય તો અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું.’

તેમણે બજેટમાં ઝારખંડની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ‘જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝારખંડને કંઈ મળ્યું નથી. મનરેગાની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 50 લાખ કરોડના બજેટમાં કેન્દ્ર સરકારને 12 લાખ કરોડ રૂપિયા વ્યાજ પેટે પરત કરવાના છે, એમ તેમણે કહ્યું હતું.

સોરેન સરકારના મંત્રી હફિઝુલ હસને પણ ટિપ્પણી કરી હતી કે કોલસાના પ્રદેશમાં ખોદકામ કરતી આઉટસોર્સિંગ કંપનીઓ કોલસાને લૂંટી રહી છે. સ્થાનિકોને રોજગારી મળી રહી નથી. અન્ય રાજ્યોના લોકો કામ કરી રહ્યા છે અને ઝારખંડના માલિક બની રહ્યા છે. જ્યારે અહીંના વાસ્તવિક માલિકો આદિવાસીઓ, વતની અને ખતિયાણી લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.‘We will bring darkness to the country’, Hemant Soren

Jharkhand CM, Hemant Soren, Threatened, Darkness, Outstanding Dues, Government,

53rd Foundation Day, Jharkhand Mukti Morcha, MLA Kalpana Soren, Coal Mines, closed,

Chitralekha, Gujarati News, Latest Gujarati News Online, gujarati news paper, Ahmedabad, Mumbai, India

 

સોનું ઓલટાઈમ હાઈ પર, જાણો ક્યાં પરિબળોથી આવ્યો તેજીનો ટ્રેન્ડ

વિશ્વ બજારમાં ઉછળતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. આજે સતત ત્રીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,313 રૂપિયા વધીને 84,323 રૂપિયા થયો છે. ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ, સોનું 83,010 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતું. તો આ બાજુ ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તે 1,628 રૂપિયા મોંઘુ થઈને 95,421 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. અગાઉ ચાંદીનો ભાવ 93,73 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024 ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી, જ્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી ગઈ હતી.

સોનાના કિંમતોની જો વાત કરવામાં આવે તો, અત્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 79,200 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,390 રૂપિયા છે. તો, મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા. કોલકાતામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે, ત્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78150 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 85250 રૂપિયા

સોનામાં સતત ત્રણ દિવસથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી જિયો પોલિટિકલ ટેન્શન વધ્યું છે. જેનાથી સોનાની કિંમતો સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત અમેરિકાએ તાજેતરમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને તેમાં વધુ ઘટાડો કરી શકે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પણ સોનામાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે. શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે, લોકો ગોલ્ડ ETFમાં રોકાણ વધારી રહ્યા છે.

હાથમતીનું આ ઈન્દ્રાસર જોવા જેવું છે!

ભારતના તમામ રાજ્યના પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવામ કુદરતી સૌંદર્યથી ભરપૂર નદી, સરોવર,  પર્વતો, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો બતાવવાનો પ્રયત્ન કરે છે. એમાંય વેકેશન ગાળો આવે એટલે દેશ વિદેશના પ્રવાસન સ્થાનો પર ગુજરાતીઓ અવશ્ય જોવા મળે. પણ આજે અહીં ગુજરાતના એવા  કુદરતી સૌંદર્ય સ્થળની વાત કરવાની છે, જેનાથી એની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ અજાણ છે.

જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,  દક્ષિણ ગુજરાત,  કચ્છ સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. હિંમતનગરથી ગાંભોઈ , ભિલોડા તરફ જતાં અંતરિયાળ વિસ્તારના માર્ગ પરથી પસાર થાઓ એટલે નાના નાના ડુંગરા જોવા મળે. આ ડુંગરા, ચોમાસા પછીની વનરાજી અને ગ્રામ્ય જીવન જોતા હોવ ત્યાંજ એક ‘ડેમ સાઈટ’ દેખાય.

હાથમતી નદીનો જ એક વિશાળ વિસ્તાર ઈન્દ્રાસર સરોવર ચોમાસા પછી  છલકાઈ જાય ત્યારે સુંદર પર્યટન સ્થળ બની જાય છે. વરસાદી પાણીથી ઈન્દ્રાસર સરોવરમાંતો સુંદરતા સર્જાય આ સાથે પથ્થરીયા ડુંગરો પણ લીલોતરીથી ખીલી ઉઠે. કેટલીકવાર સિક્સલેન કે ફોરલેન વાહનોથી ધમધમતા હાઈવેની અંદરના સાંકડા અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામ્ય જીવન,  વન્યજીવન અને કુદરતી સૌંદર્યની સમીપે જવાનો મોકો મળી જાય છે.  જેવી રીતે ભિલોડાની એકદમ નજીકનું હાથમતી નદીનું ઈન્દ્રાસર રિઝર્વ અંતરિયાળ પણ અદભુત છે. એમ ગુજરાતમાં અનેક સ્થળો કુદરતને માણનારાઓને મોજ પાડી દે એવા છે..!

(પ્રજ્ઞેશ વ્યાસ)

દીકરા અભિષેકના જન્મદિવસ પર અમિતાભે શેર કરી અનસીન તસવીર

મુંબઈ: અભિષેક બચ્ચન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસ પર તેમના પિતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ તેમને શુભેચ્છા પાઠવી હતી, એ પણ ખૂબ જ ખાસ રીતે. બિગ બીએ જુનિયર બચ્ચનનો એક અનસીન ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. ત્યારે આજે પુત્ર અભિષેક બચ્ચનના જન્મદિવસ પર પણ અમિતાભે પોસ્ટ કરી છે.

Photo: Tumblr

અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેકનો એક અનસીન ફોટો શેર કર્યો
અમિતાભ બચ્ચને તેમના પુત્ર અભિષેકના જન્મદિવસ પર તેનો એક અનસીન ફોટો શેર કર્યો છે. આ અભિષેકના જન્મનો ફોટો છે, જેમાં બિગ બી મેટરનિટી વોર્ડમાં ઉભા છે. તેમની આસપાસ કેટલીક મહિલાઓ અને મહિલા નર્સો જોવા મળે છે અને બિગ બી તેમના નવજાત પુત્ર એટલે કે અભિષેકને પ્રેમથી જોઈ રહ્યા છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને પોતાની લાગણીઓ પણ શેર કરી છે.

અમિતાભ બચ્ચનની પોસ્ટ
ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું, ‘અને આજની રાત એક લેટિન રાત્રિ હશે.. અભિષેક 49 વર્ષનો થઈ ગયો છે અને હવે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.’ 5 ફેબ્રુઆરી, 1976 સમય કેટલો ઝડપથી પસાર થઈ ગયો. ક્યારેક મનને આતુર કરવાની અને જે કહેવાની જરૂર છે તે વ્યક્ત કરવાની ઇચ્છા હોય છે.. પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા માહિતી બ્યુરો તમારી લાગણીઓને સમજી શકતા નથી, જેના કારણે તે વિકૃત થઈ જાય છે.

મૌન અને અભિવ્યક્તિ પર આ કહ્યું
પુત્ર અભિષેકના જન્મ પર ખુશી વ્યક્ત કરતી વખતે, બિગ બીએ એવા લોકો તરફ પણ ઈશારો કર્યો જે સોશિયલ મીડિયા પર તથ્યો વિના અને પ્રશ્નાર્થ ચિહ્ન સાથે કંઈપણ શેર કરે છે. અમિતાભ બચ્ચન આગળ લખે છે – ‘ક્યારેક વ્યક્તિએ આ બધું પોતાની અંદર જ રાખવું જોઈએ અને તેને વ્યક્ત કરવાથી પોતાને રોકવું જોઈએ. તેને મૌનની શક્તિને નહીં, પણ વાયરલ કરવા કરતાં બિનશરતી ટિપ્પણી કરવાના સંતોષને સમજવાની જરૂર છે. કામ..મજા કરો. સૌથી સારો સમય પસાર થયો.

વર્ષ 2000 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો
તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનનો જન્મ 4 ફેબ્રુઆરી 1976 ના રોજ થયો હતો. તેમણે જેપી દત્તાની ફિલ્મ ‘રેફ્યુજી’ થી ડેબ્યૂ કર્યું, જે વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ કરીનાની પણ પહેલી ફિલ્મ હતી. જોકે, આ પહેલા અભિષેકને રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘સમજૌતા એક્સપ્રેસ’ ઓફર કરવામાં આવી હતી, પરંતુ અભિનેતાએ આ ફિલ્મનો ઇનકાર કરી દીધો હતો. ખરેખર, તેને ફિલ્મમાં આતંકવાદીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, જેના કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી.

મારી હત્યા ઇરાન કરે તો એનો ખાતમો બોલાવવામાં આવેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી હતી કે જો તેમની હત્યા કરવામાં આવશે તો ઇરાનને ખતમ કરવામાં આવશે. તેમણે તેમના સલાહકારોને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જો ઇરાન તેમની હત્યા કરશે તો એને ખતમ કરી દેવામાં આવે.

તેમણે ઇરાનને ધમકી આપી છે કે જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો હું ઈરાનને બરબાદ કરી નાખીશ. અમેરિકાએ એવો પણ સંકેત આપ્યો છે કે જો ઈરાન તેના પરમાણુ હથિયાર સંબંધિત પ્રોજેક્ટ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર વધુ પ્રતિબંધો લગાવશે. ટ્રમ્પે ઈરાન પર વધુ દબાણ લાવવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું હતું કે મેં મારા સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાને મને મારવાનો પ્રયાસ કર્યો તો ઈરાનને નષ્ટ નાબૂદ કરજો. ઈરાન પાસે પરમાણુ હથિયાર નથી. બીજી તરફ ટ્રમ્પે ઈરાનના પ્રતિનિધિઓની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પના ઈરાન પ્રત્યે આકરાં વલણો અને પ્રતિબંધોના કારણે અનેક વાર ધમકી મળી ચૂકી છે. હાલમાં જ ચૂંટણીપ્રચાર કરતી વખતે ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. જોકે તેમની હત્યાનો પ્રયાસ ઈરાને કર્યો ન હોવાનું અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.વિશ્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના આર્થિક સંબંધો ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં સતત ખરાબ થઈ રહ્યા છે. અગાઉ પણ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યા હતા. જેને પગલે ઈરાન આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. 2018માં અમેરિકાએ ઈરાન સાથેનો પરમાણુ કરાર પણ તોડી નાખ્યો હતો.

ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાન ચોથાનું અવસાન

મુંબઈ: 20 વર્ષની ઉંમરે વિશ્વભરના લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાન ચોથાનું 4 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું. તેઓએ 88 વર્ષે અંતિમ શ્વાસ લીધા. ઇસ્માઇલી મુસ્લિમોને આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત, તેમણે અબજો ડોલરની મદદથી વિકાસશીલ દેશોમાં ઘરો, હોસ્પિટલો અને શાળાઓ બનાવવા જેવા પરોપકારી કાર્યો દ્વારા પણ પોતાની ઓળખ બનાવી. આગા ખાન ફાઉન્ડેશન અને ઇસ્માઇલી ધાર્મિક સમુદાયે જાહેરાત કરી કે, મહામહિમ પ્રિન્સ કરીબ અલ-હુસેની, આગા ખાન IV અને શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામનું મંગળવારે પોર્ટુગલમાં અવસાન થયું.

આગા ખાને તેમના પરિવારની વચ્ચે અંતિમ શ્વાસ લીધા. આગા ખાન ફાઉન્ડેશને કહ્યું કે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત પછીથી કરવામાં આવશે. તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારીનું નામ આપવામાં આવ્યું છે, જે જાહેર કરતા પહેલા લિસ્બનમાં તેમના પરિવાર અને ધાર્મિક નેતાઓની હાજરીમાં વાંચવામાં આવશે. ઇસ્માઇલી સમુદાયની વેબસાઇટ અનુસાર, ઉત્તરાધિકારીની પસંદગી તેમના પુરુષ વંશજો અથવા સંબંધીઓમાંથી કરવામાં આવે છે.

પ્રોફેટના સીધા વંશજો

આગા ખાન પરિવાર ઇસ્લામના પયગંબર મુહમ્મદના સીધા વંશજ હોવાનું માનવામાં આવે છે. 1957માં જ્યારે તેમના દાદાએ અચાનક તેમના પુત્ર અલી ખાનને અવગણીને તેમને વારસદાર તરીકે નામ આપ્યું ત્યારે પ્રિન્સ કરીમ આગા ખાન 20 વર્ષના હતા. તેમને નોમિનેટ કરતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે નેતૃત્વ એવા યુવાન વ્યક્તિને સોંપવું જોઈએ જે નવા યુગમાં મોટો થયો હોય.

તેમની નિમણૂક સમયે તેઓ હાર્વર્ડ ગ્રેજ્યુએટ હતા. 2012 માં વેનિટી ફેર મેગેઝિન સાથેની એક મુલાકાતમાં, તેમણે કહ્યું હતું કે, હું એક સ્નાતક હતો જે જાણતો હતો કે હું મારા બાકીના જીવન માટે શું કરવાનો છું. મને નથી લાગતું કે મારી પરિસ્થિતિમાં કોઈ તૈયાર હોત.

લોક કલ્યાણ માટે સમર્પિત જીવન

આગા ખાન ચોથાએ પોતાનું આખું જીવન જાહેર કલ્યાણ માટે સમર્પિત કર્યું. તેમણે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) ની સ્થાપના કરી, જે આજે 96,000 લોકોને રોજગારી આપે છે અને આરોગ્યસંભાળ, શિક્ષણ, આવાસ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના પ્રયાસો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને તાજિકિસ્તાન સહિત અનેક દેશોમાં ફેલાયેલા હતા. તેઓએ સ્થાનિક અર્થતંત્રો અને આરોગ્યસંભાળ માળખામાં રોકાણ કર્યું.

સરકારી કચેરીઓમાં ChatGPT-DeepSeek પર પ્રતિબંધ, સરકારની માર્ગદર્શિકા

ભારતમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપી વધી રહ્યો છે. મેન પાવર સાથે ટેક્નોલોજીના ઉપયોગથી ઓછા સમયમાં સારું પ્રોડ્કશન લઈ શકાય છે. AI મુખ્ય ChatGPT, DeepSeek, Google Gemini જેવા પ્લેટફોર્મ કન્ટેન્ટ રાઈટીંગ, ડેટા એનાલિસિસ, કોડિંગ અને ટ્રાન્સલેશનમાં મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ આ પ્લેટફોર્મનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, સરકાર માને છે કે તેમનો અનિયંત્રિત ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને, AI પ્લેટફોર્મના ઉપયોગને લઈને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

કેન્દ્રીય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મ જેવા કે, ChatGPT, DeepSeek પર પ્રતિબંધ મૂક્યો છે. 5મી ફેબ્રુઆરીના જાહેર કરેલા આદેશમાં નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓએ ChatGPT, DeepSeek અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. આ AI પ્લેટફોર્મ દ્વારા સંવેદનશીલ માહિતી લીક થવાનું જોખમ વધી શકે છે.’ કેન્દ્ર સરકારના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કમ્પ્યુટર અને લેપટોપ આ AI પ્લેટફોર્મનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. આથી કર્મચારીઓને AI પ્લેટફોર્મથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના કર્મચારીઓને ChatGPT અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાની સૂચનાઓ આપી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કચેરીઓમાં AI પ્લેટફોર્મની અવગણના કરવી જરૂરી છે. જો કે, જો કર્મચારીઓ ઈચ્છે તો તેનો ઉપયોગ તેમના અંગત ડિવાઈસ પર કરી શકે છે. સરકારે ટૂંક સમયમાં સરકારી કામમાં AI પ્લેટફોર્મના ઉપયોગને લગતી એક વ્યાપક નીતિ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ નીતિમાં ડેટા સંરક્ષણ ધોરણો સ્પષ્ટપણે જણાવવામાં આવશે.